ETV Bharat / city

Ahmedabad Rathyatra 2022: આ વખતે રથયાત્રામાં કયા મહેમાનો જોડાશે, જૂઓ

author img

By

Published : Jun 24, 2022, 9:57 AM IST

Updated : Jun 24, 2022, 2:59 PM IST

Ahmedabad Rathyatra 2022: આ વખતે રથયાત્રામાં કયા મહેમાનો જોડાશે, જૂઓ
Ahmedabad Rathyatra 2022: આ વખતે રથયાત્રામાં કયા મહેમાનો જોડાશે, જૂઓ

અમદાવાદમાં 1 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા (Ahmedabad Rathyatra 2022) નીકળશે. ત્યારે આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર મુખ્ય રાજકીય અતિથિઓ અને સાધુસંતો રહેશે. તો આવો જાણીએ કયા મહેમાનો રથયાત્રામાં જોડાશે.

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા અષાઢ સુદ બીજ (1 જુલાઈ) શુક્રવારના દિવસે યોજાશે. રથયાત્રા સવારે 07.05 વાગ્યે નીજ મંદિરેથી નીકળીને નગરચર્યા પૂર્ણ કરીને રાત્રે 8.30 વાગ્યે નીજ મંદિરે પરત ફરશે. લાખો ભાવિક ભક્તો આ રથયાત્રામાં જોડાશે, પરંતુ આકર્ષણનું કેન્દ્ર મુખ્ય રાજકીય અતિથિઓ અને સાધુસંતો રહેશે. આ વખતની રથયાત્રામાં કયા કયા અતિથિઓ આવશે તે ઉપર નજર નાખીએ.

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં રહેશે ઉપસ્થિત
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં રહેશે ઉપસ્થિત

રથયાત્રાના દિવસે મહેમાનો - દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ રથયાત્રામાં જોડાશે. તેઓ વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતીમાં મુખ્ય અતિથિ તરીકે (Union Home Minister Amit Shah will join the rath yatra) ઉપસ્થિત રહેશે. સાથે જ વિશેષ અતિથિમાં ગુજરાત સ્ટેટ કૉ. બેન્કના ચેરમેન અજય પટેલ ઉપસ્થિત રહેશે. પરંપરા મુજબ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રથયાત્રાની પહિંદ વિધિ (CM Bhupendra Patel will perform pahind vidhi of Rathyatra) કરશે. આ રથયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે ડાકોરના સ્વામી રામરતનદાસજી મહારાજ રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે નિરમા ગૃપના ચેરમેન કરસનદાસ પટેલ સાથે નિરમા પરિવાર (Nirma Group Chairman Karsandas Patel will join the rathyatra) અને રિલાયન્સ ગૃપના ધનરાજ નથવાણી ઉપસ્થિત (Dhanraj Nathwani of Reliance Group will join the rathyatra) રહેશે.

મુખ્યપ્રધાન કરશે રથયાત્રાની પહિંદ વિધિ
મુખ્યપ્રધાન કરશે રથયાત્રાની પહિંદ વિધિ

આ પણ વાંચો- Jagannath Rathyatra 2022 : કોર્પોરેશન પદાધિકારીઓ સ્થળ પર જઇ કર્યું આ કામ

નેત્રોત્સવ વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતીના મહેમાનો - 29 જૂને (બુધવારે) જેઠ વદ અમાસના દિવસે સવારે 6 વાગ્યાથી 10.30 વાગ્યે નેત્રોત્સવ વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતી કરાશે. તેમાં મુખ્ય અતિથિ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે અમદાવાદના મેયર કિરીટ પરમાર, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, ભાજપ શહેર અધ્યક્ષ અમિત શાહ, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, ભાજપના સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ, મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, AMC શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, AMC દંડક અરુણસિંહ રાજપૂત ઉપસ્થિત રહેશે. તો બપોરે સાધુસંતો માટે ભંડારાના મુખ્ય અતિથિ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદી રહેશે.

રથયાત્રામાં વિશેષ મહેમાન BCCIના જનરલ સેક્રેટરી જય શાહ ઉપસ્થિત રહેશે
રથયાત્રામાં વિશેષ મહેમાન BCCIના જનરલ સેક્રેટરી જય શાહ ઉપસ્થિત રહેશે

આ પણ વાંચો- Rathyatra 2022 : ભાવનગરમાં જગન્નાથજીને નગરચર્યાએ લઈ જવામાં મોંઘવારી નડશે, સમિતિને શું તકલીફો પડી જાણો

30 જૂનના મહેમાન - 30 જૂને અષાઢી સુદ એકમના દિવસે (ગુરુવાર) રથની પ્રતિષ્ઠા અને પૂજા-આરતી કરાશે. અહીં મુખ્ય અતિથિ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પૂત્ર અને BCCIના જનરલ સેક્રેટરી જય શાહ ઉપસ્થિત રહેશે. જ્યારે રથ પૂજન અને આરતીના મુખ્ય અતિથિ ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર ઉપસ્થિત રહેશે. તો અતિથિ વિશેષમાં ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા, બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળા હાજર રહેશે.

રિલાયન્સ ગૃપના ધનરાજ નથવાણી રથયાત્રામાં જોડાશે
રિલાયન્સ ગૃપના ધનરાજ નથવાણી રથયાત્રામાં જોડાશે

વિધાનસભાનાં અધ્યક્ષ પણ જોડાશે - જ્યારે સંધ્યા આરતીના સંધ્યા આરતીના મુખ્ય અતિથિ ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય ઉપસ્થિત (Gujarat Legislative Assembly Speaker Dr Nimaben Acharya in Rathyatra) રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે કેન્દ્રિય પ્રધાન પુરસોત્તમ રૂપાલા, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન પ્રદીપ પરમાર, રાજ્યના ઉધોગ પ્રધાન જગદીશ પંચાલ, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી, પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, દસક્રોઇના ધારાસભ્ય બાબુભાઇ પટેલ, એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ, મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલ ઉપસ્થિત રહેશે.

નિરમા ગૃપના ચેરમેન કરસનદાસ પટેલ સાથે નિરમા પરિવાર રથયાત્રામાં જોડાશે
નિરમા ગૃપના ચેરમેન કરસનદાસ પટેલ સાથે નિરમા પરિવાર રથયાત્રામાં જોડાશે

રથયાત્રામાં લાખો ભક્તો જોડાશે - 2 વર્ષ પછી અમદાવાદ શહેરમાં લાખો લોકો રથયાત્રાના દર્શન કરશે. હજારો સાધુસંતો રથયાત્રામાં જોડાશે. કેટલીય ભજન મંડળીઓ હશે. રથયાત્રાના વિવિધ પરંપરાના યજમાનો અને દાતાઓ હશે. હજારો પોલીસ જવાનો ખડેપગે તૈયાર હશે.

Last Updated :Jun 24, 2022, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.