Jagannath Rathyatra 2022 : કોર્પોરેશન પદાધિકારીઓ સ્થળ પર જઇ કર્યું આ કામ

author img

By

Published : Jun 23, 2022, 9:01 PM IST

Jagannath Rathyatra 2022 : કોર્પોરેશન પદાધિકારીઓ સ્થળ પર જઇ કર્યું આ કામ

ભગવાન જગન્નાથની રથયાત્રાઓમાં દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા (Jagannath Rathyatra 2022) ગણાતી અમદાવાદની ગણાય છે. આ વર્ષે 145મી રથયાત્રા નીકળે તે પહેલાં અમદાવાદ કોર્પોરેશન પદાધિકારીઓ દ્વારા સમગ્ર રૂટનું સ્થળ પર જઈને ચેકીંગ (Ahmedabad Rathyatra route checking by AMC )કરવામાં આવ્યું હતું.

અમદાવાદ : કોરોના મહામારીને બે વર્ષ બાદ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી 145મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શહેરના મેયર,ડે.મેયર સહિતના પદાધિકારી રથયાત્રા (Jagannath Rathyatra 2022) ફરશે તે સ્થળે પર રૂબરૂ જઈને રોડ રસ્તાની ચકાસણી (Ahmedabad Rathyatra route checking by AMC )કરવામાં આવી હતી. આ ઉપરાંત જે પણ રોડ પર કામગીરી જરૂરીયાત છે તે જગ્યા પર કામગીરી કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

અમદાવાદ કોર્પોરેશન પદાધિકારીઓ દ્વારા સમગ્ર રૂટનું સ્થળ પર જઈને ચેકીંગ

કામગીરી ખામી હશે તાત્કાલિક નિરાકરણ - શહેરના મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે રથયાત્રાને (Jagannath Rathyatra 2022) લઈને કોર્પોરેશન દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.આ રૂટ પર રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના(AMC Road and Building Committee) ચેરમેન,સ્ટેટ વિભાગ અને લાઇટિંગ વિભાગને સાથે રાખીને નિરીક્ષણ (Ahmedabad Rathyatra route checking by AMC )કરવામાં આવ્યું છે. જેમાં કોઈપણ પ્રકારની કામગીરીમાં ખામી જોવા મળે તો તરત જ કામ પૂર્ણ કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

સદભાવના જાગે તે હેતુ રમતગમતનું આયોજન - વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં(Jagannath Rathyatra 2022) કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અને લોકોમાં સદભાવના જાગે તે માટે રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉપરાત રથયાત્રા રૂટ પર આવતા મકાન માલિકોને નોટિસ પાઠવામાં આવી છે. સાથે સાથે રથયાત્રા દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત (Ahmedabad Rathyatra route checking by AMC )પણ ગોઠવવામાં આવશે.

બે જગ્યામાં કામ બાકી છે - જગન્નાથ મંદિર ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ (Bhagvan Jagannath Temple Trust) જણાવ્યું હતું કે આજ રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ દરમિયાન ખાડિયા ચાર રસ્તા પાસે કામ અને એક જગ્યા તૂટેલું મકાન નજરમાં આવ્યું છે. આ બે કામ ધ્યાનમાં આવતા સ્ટેસ્ટ વિભાગને કામગીરી (Ahmedabad Rathyatra route checking by AMC )પણ સોંપી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.