Rathyatra 2022 : ભાવનગરમાં જગન્નાથજીને નગરચર્યાએ લઈ જવામાં મોંઘવારી નડશે, સમિતિને શું તકલીફો પડી જાણો

author img

By

Published : Jun 23, 2022, 10:03 PM IST

Rathyatra 2022 : ભાવનગરમાં જગન્નાથજીને નગરચર્યાએ લઈ જવામાં મોંઘવારી નડશે, સમિતિને શું તકલીફો પડી જાણો

જગન્નાથીજીને નગરચર્યાએ લઈ જવા માટે કોરોનાકાળ બાદ લઈ જવામાં ભારે આર્થિક તંગીનો સામનો કરવાની ફરજ રથયાત્રા સમિતિને પડી છે. રથયાત્રામાં (Rathyatra 2022 ) જોવા મળતો માહોલ હાલ જોવા મળતો નથી. ભાવનગર રથયાત્રા સમિતિને (Bhavnagar Rath Yatra Committee) કઈ કઈ બાબતે મોંઘવારી (Inflation ) નડશે તે જાણો.

ભાવનગર- ભગવાન જગન્નાથજી નગરચર્યાએ (Rathyatra 2022 )નીકળવાના છે ત્યારે ભાવનગરને સજાવવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે જોઈએ તેવો માહોલ ઉભો થયો નથી. જેનું કારણ છે મોંઘવારી. હા ભગવાનને આવકારવામાં મોંઘવારી (Inflation ) પણ નડી છે તે કેવી રીતે આપણે જાણીએ.

ભારે આર્થિક તંગીનો સામનો કરવાની ફરજ રથયાત્રા સમિતિને પડી

શહેરને સજાવવામાં ક્યાં કસર અને કેવી થઈ -ભાવનગરમાં 37મી રથયાત્રાને પગલે શહેરને કેસરિયો કરવામાં આવે છે પરંતુ આ વર્ષે (Rathyatra 2022 )તેમાં થોડી કચાશ જોવા મળે છે. કારણ છે મોંઘવારી. હા, મોંઘવારીના પગલે રસ્તા પર કમાનો,ધજાઓ અને પોસ્ટરોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. ક્યાંક પોસ્ટરો જુના લગાવવામાં આવ્યા છે. ક્યાંક કમાનો ઓછી મુકવામાં આવી છે. 17 કિલોમીટર પર જે કેસરિયો રંગ ચડવો જોઈએ તે જોવા મળતો નથી. ઉત્સાહ તો છે પરંતુ ભાવનગર રથયાત્રા સમિતિના (Bhavnagar Rath Yatra Committee) હાથ હેઠા પડેલા છે. આ સિવાય પણ મોંઘવારી (Inflation ) ક્યાં નડી રહી છે તે જોવા જેવું છે.

આ પણ વાંચો -Jagannath Rathyatra 2022 : કોર્પોરેશન પદાધિકારીઓ સ્થળ પર જઇ કર્યું આ કામ

આ વર્ષે પેટ્રોલ ડીઝલ સહિત બધું જ ખૂબ મોંઘુ છે - ભાવનગર શહેરમાં રથયાત્રા સમિતિ (Bhavnagar Rath Yatra Committee) સમગ્ર રથયાત્રાનું (Rathyatra 2022 )આયોજન કરતી હોય છે. આ વર્ષે રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયાએ જણાવ્યું હતું કે મોંઘવારી ચોક્કસ અસર કરે છે દરેક ચીજોમાં મોંઘવારી હોય છે ત્યારે ટ્રક,ટ્રેકટર અને છકડાંના પેટ્રોલ ડીઝલના ભાડા અમારે વધારવાની ફરજ પડી છે. તો પ્રસાદની વસ્તુઓની મોંઘવારી પણ વિચારમાં પાડી દે એવી છે.

આ પણ વાંચોઃ રથયાત્રાની તડામાર તૈયારીઃ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક યોજઈ

17 કિલોમીટરથી વધુ અંતર પર પ્રસાદ વિતરણ - તેઓ વધુમાં જણાવે છે કે (Bhavnagar Rath Yatra Committee) આ સિવાય પ્રસાદીમાં પણ દાતાઓ દ્વારા આપવામાં આવતી હોય છે. પણ 3 ટન પ્રસાદી બનતી હોવાથી સંસ્થાને 17 કિલોમીટર ઉપર સતત પ્રસાદી વિતરણ થતી હોવાથી ઘટતી પ્રસાદી આપવી પડે છે. એટલે ચણા,મગ વગેરેના ભાવ ચોક્કસ વધ્યા છે. આમ અમે કોઈ કસર છોડવા માંગતા નથી. જો કે અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયાએ મૌખિક જણાવ્યું હતું કે 25 લાખ જેવો ખર્ચ અંદાજે જગન્નાથ રથયાત્રાનો (Rathyatra 2022 )કુલ થતો હોય છે. દાતાઓ આપતા હતાં એટલા જ દાનમાં પૈસા લખાવે છે જ્યારે ચીજોના ભાવ (Inflation ) વધી ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.