ETV Bharat / business

Mutual fund redemption: જાણો, મ્યુચ્યૂઅલ ફંડ રિડેમ્પશન અંગે

author img

By

Published : Feb 11, 2022, 11:26 AM IST

મ્યુચ્યૂઅલ ફંડમાંથી પૈસા ઉપાડવા એ એક સમયે મોટી (Withdraw money from mutual funds) પ્રક્રિયા હતી. રોકાણકારે કંપનીની ઓફિસમાં જઈને એજન્ટ મારફતે અરજીપત્રક સબમિટ કરવાનું હતું. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. માત્ર એક ક્લિકની મદદથી રોકાણ પાછું ખેંચવાની સુવિધા મળે (Mutual fund redemption) છે. જોકે, કેટલીક વાર તે આપણા માટે અનુકૂળ હોય છે. જ્યારે મોટા ભાગના કિસ્સાઓમાં આપણે જરૂરી ન હોવા છતાં પણ રોકાણ પાછું ખેંચી લઈએ છીએ.

Mutual fund redemption: જાણો, મ્યુચ્યુઅલ ફંડ રિડેમ્પશન અંગે
Mutual fund redemption: જાણો, મ્યુચ્યુઅલ ફંડ રિડેમ્પશન અંગે

હૈદરાબાદઃ મ્યુચ્યૂઅલ ફંડ એ શેરધારકો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલા રોકાણ છે, જે વૈવિધ્યસભર હોલ્ડિંગ્સમાં વેપાર કરે છે અને વ્યવસાયિક રીતે સંચાલિત થાય છે. અને હવે મ્યુચ્યૂઅલ ફંડમાં રોકાણ એક ક્લિક દૂર છે. બદલાતી ટેક્નોલોજી સાથે પ્રક્રિયા આપણા માટે અનુકૂળ હોવા છતાં શું અમે અમારા રોકાણો પાછા ખેંચતી વખતે (Withdraw money from mutual funds) કાળજી લઈ રહ્યા છીએ? આપણે તે પરત ખેંચતા પહેલા 2 વાર વિચારવું જોઈએ? મ્યુચ્યૂઅલ ફંડ રિડીમ કરતી (Mutual fund redemption) વખતે શું કરવું અને શું નહીં તે જાણો.

ધ્યેયોની નજીક (Closer to the Goals): દરેક રોકાણનું એક ગંતવ્ય હોવું જોઈએ. જ્યારે તમે મ્યુચ્યૂઅલ ફંડમાં રોકાણ (Invest in a mutual fund) કરવાનું શરૂ કરો ત્યારે તમારે આ નક્કી કરવાની જરૂર છે. જ્યાં સુધી તમે તમારા લક્ષ્ય સુધી ન પહોંચો ત્યાં સુધી રોકાણમાંથી (Withdraw money from mutual funds) એક પણ રૂપિયો ઉપાડશો નહીં. કેટલીક વાર તમે અપેક્ષિત સમયગાળામાં જરૂરી રકમ જમા કરાવી શકતા નથી. આ તે છે જ્યારે તમે તમારા રોકાણને પુનઃપ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી શકો છો. બીજી બાજુ, ડેસ્ટિનેશન હજી 2-3 વર્ષ છે. રોકાણોને જોખમ-વિરોધી સ્કિમ્સ જેવી કે, ઈક્વિટીમાંથી ડેટ સ્કિમ તરફ વાળવું જોઈએ.

આ પણ વાંચો- RBI MPC Meeting 2022: RBIએ દરોમાં કોઈ ફેરફાર ન કર્યો, રેપો રેટ સતત 10મી વખત 4 ટકા પર યથાવત્

સમય સાથે અમારા ઉદ્દેશ અને ધ્યેય બદલાઈ શકે છે

તે માટે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનર (Systematic transfer planner STP)નો ઉપયોગ કરવો જોઈએ. ઝિપની જેમ તે તમારા રોકાણોને ધીમે ધીમે ઈક્વિટીમાંથી ડેટ તરફ વાળવાનું કામ કરે છે. સમય સાથે અમારા ઉદ્દેશ અને ધ્યેયો બદલાઈ શકે છે. જ્યારે ટૂંકા ગાળાના રોકાણો લાંબા ગાળાના બની શકે છે. આવા કિસ્સામાં તેની સાથે જોડાયેલા રોકાણને તે મુજબ બદલવું જોઈએ. આ ઉપરાંત જ્યારે તમારી જરૂરિયાતો પૂરી થાય ત્યારે રોકાણ પાછું ન ખેંચો તેના બદલે તમારા બદલાતા લક્ષ્યો અનુસાર તમારા રોકાણની ફાળવણીમાં ફેરફાર કરો.

આ પણ વાંચો-Home Loan EMIs: જો તમે હોમ લોનના હપ્તા ચૂકી ગયા છો તો કઈ રીતે મેનેજ કરવું, જાણો

લાંબા સમય સુધી ફંડમાં રોકાણ કરતી વખતે સારા વળતરની તક હોય છે

નિષ્ણાતો કહે છે કે, લાંબા સમય સુધી ફંડમાં રોકાણ કરતી વખતે સારા વળતરની તક હોય છે. અહીં ધ્યેય લાંબા ગાળે ચાલુ રાખવાનો હોવો જોઈએ, પરંતુ જ્યાં પરફોર્મન્સ જરા પણ સારું ન હોય તેવા ફંડ્સમાં ચાલુ રાખવાનું નહીં. તમારે વર્ષમાં ઓછામાં ઓછા એક વખત તમારા ફંડની કામગીરીની સમીક્ષા કરતા રહેવું જોઈએ. સમાન શ્રેણીના અન્ય ફંડ્સ સાથે સરખામણી કરો. જો આવક અપેક્ષિત સ્તરે ન પહોંચે તો તેમાં તાત્કાલિક ફેરફાર કરવા જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.