ETV Bharat / bharat

Top News: આજે વડાપ્રધાન આદિવાસી સંમેલનને સંબોધશે, બલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન સેન્ટરનું ભૂમિપૂજન કરાયું, સહિતના અન્ય સમાચાર

author img

By

Published : Apr 20, 2022, 3:00 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

TOP NEWS 20 APRIL 2022
TOP NEWS 20 APRIL 2022

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.

  • વડાપ્રધાન મોદીના 20 એપ્રિલના કાર્યક્રમો

20 એપ્રિલે સવારે વડાપ્રધાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જશે. અહીં આયુષ મંત્રાલયની 2 દિવસીય કોંફરન્સનું ઉદ્ઘાટન કરશે. બપોર બાદ વડાપ્રધાન દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધન કરશે. દાહોદથી અમદાવાદ પરત ફરી વડાપ્રધાન રાત્રે જ દિલ્લી રવાના થશે. Click Here...

ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

  • જામનગરમાં GCTMનું ભૂમિપૂજન

જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના(PM Modi Jamnagar Visit) પ્રવાસે આવ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ આજે જામનરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન સેન્ટરનું ભૂમિપૂજન(Global Centre for Traditional Medicine) કર્યું છે. વિશ્વના પ્રથમ પારંપરિક ચિકિત્સાના મેડિસિન સેન્ટરનો(first center of traditional medicine) શિલાન્યાસ થયો છે ત્યારે આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા સમગ્ર જામનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. Click Here...

  • અમદાવાદમાં PM મોદીનો રોડ શો

અમદાવાદઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Road Show in Ahmedabad ) ત્રણ દિવસના પ્રવાસના આજના બીજા દિવસે અમદાવાદ એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો કર્યો હતો. જયારે મોરિશિયસના વડાપ્રધાન (Mauritius PM Gujarat Visit) લગભગ 35 મિનિટ મોડા આવ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટથી (PM Road Show in Ahmedabad ) ઇન્દિરાબ્રિજ સુધી રોડ શો કર્યો હતો. જયારે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ (Mauritius PM Gujarat Visit) લગભગ 35 મિનિટ મોડા આવ્યા હતાં.જેથી તેમની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupenra Patel with Mauritius PM ) રોડ શોમાં જોડાયા હતાં. રોડ શોમાંં મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથે ભારતીય સંસ્કૃતિની ઝાંખી નિહાળી હતી. Click Here...

  • જાતિવાદનું ઝેર : બાળકો અને પશુઓ સાથે 300 દલિતો પહોંચ્યા કલેક્ટર કચેરી

ભરતપુર, રાજસ્થાન : જિલ્લાના કુમ્હેર વિસ્તારના સાહા ગામનો દલિત સમાજ આંબેડકર જયંતિની શોભાયાત્રા દરમિયાન થયેલા તોફાનો અને મારપીટથી પરેશાન થઈને મંગળવારે ગામ છોડીને હિજરત કરી રહ્યો છે. આથી, તેઓ તમામ લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. સમાજના સેંકડો લોકોએ બાળકો અને પાલતુ પ્રાણીઓ સાથે કલેક્ટર કચેરી સામે આંબેડકર ભવનમાં ધામા નાખ્યા છે. દલિત સમાજના લોકોનું કહેવું છે કે, ગામમાં માથાભારે લોકો ઘરમાં ઘૂસીને મારપીટ કરી રહ્યા છે, જેના કારણે ગામમાંથી ભાગવું પડે છે. Click Here...

સુખીભવ:

  • પિસ્તાના ઔષધીય ગુણોને આયુર્વેદમાં પણ ઉપયોગી બતાવવામાં આવ્યા છે, જાણો તેના તમામ ફાયદા વિષે...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...સ્તા એક એવું ડ્રાય ફ્રુટ છે જે મીઠાઈનો સ્વાદ અને રંગ તો વધારે છે પણ તેમાં પોષક તત્વો પણ ઉમેરે છે. પિસ્તાના ઔષધીય ગુણોને આયુર્વેદમાં પણ ગણવામાં (healthy food tips) આવ્યા છે. મહારાષ્ટ્રના પૂણે સ્થિત આયુર્વેદિક ચિકિત્સક ડૉ. કલાકાંત સમજાવે છે કે આયુર્વેદમાં પિસ્તાને 'કફ' અને 'પિત્ત' વર્ધક ગણવામાં આવે છે, જે શક્તિમાં વૃધિ કરે છે. તેનું સેવન પુરુષોના જાતીય સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક (health benefits of pistachio ) માનવામાં આવે છે. ઉપરાંત, માત્ર પિસ્તા જ નહીં, પરંતુ તેની છાલ, પાંદડા અને તેલનો પણ ઔષધીય ઉપચાર માટે ઉપયોગ થાય છે. Click Here...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.