ETV Bharat / bharat

Supreme Court : સુપ્રીમ કોર્ટે આવકથી વધુ સંપત્તિ કેસમાં તમિલનાડુના શિક્ષણપ્રધાનની અરજી ફગાવી

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2023, 3:43 PM IST

તમિલનાડુના ઉચ્ચ શિક્ષણપ્રધાન કે. પોનમુડી અને તેની પત્નીને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આવકથી વધુ સંપત્તિ કેસમાં તેઓની અરજી ફગાવી દીધી છે. કે. પોનમૂડીએ અપ્રમાણસર સંપત્તિ કેસમાં નિર્દોષ છૂટ્યા બાદ મદ્રાસ હાઈકોર્ટના સુઓ મોટો સંજ્ઞાન લેવાના આદેશને પડકાર્યો હતો.

Supreme Court
Supreme Court

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ દ્વારા તમિલનાડુના ઉચ્ચ શિક્ષણપ્રધાન કે. પોનમૂડી અને તેઓની પત્નીની અરજી ફગાવી દેવામાં આવી હતી. કે. પોનમૂડીએ અપ્રમાણસર સંપત્તિના કેસમાં નિર્દોષ છૂટ્યા બાદ મદ્રાસ હાઇકોર્ટના સુઓ મોટો સંજ્ઞાન લેવાના આદેશને પડકાર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની ખંડપીઠે કહ્યું કે, ભગવાનનો આભાર છે ! આપણા ન્યાયતંત્રમાં જસ્ટિસ એન. આનંદ વેંકટેશ જેવા ન્યાયાધીશ છે.

જસ્ટિસ જે.બી. પારદીવાલા અને જજ મનોજ મિશ્રાની ખંડપીઠે વકીલોને સ્પષ્ટ કર્યું હતું કે, આ મામલો હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચ સમક્ષ અટક્યો હોવાથી તેઓ આ મામલે વિચાર કરવા તૈયાર નથી. અરજદાર વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને મુકુલ રોહતગી હાજર રહ્યા હતા. વકીલે હાઈકોર્ટના આદેશની માન્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને એક વાત પર ભાર મૂક્યો હતો કે તેમને કોઈ નોટિસ જાહેર કર્યા વિના આદેશ પસાર કરવામાં આવ્યો હતો.

વિરોધી પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આશ્ચર્યજનક રીતે આરોપીઓ સાથે મળેલી છે અને કોર્ટને ન્યાય મિત્રની નિમણૂક માટે નિર્દેશ આપવાની વિનંતી કરી હતી. ખંડપીઠે કહ્યું કે, હાઈકોર્ટ દ્વારા સરકારી વકીલને પહેલાથી નોટિસ આપી દેવામાં આવી છે.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, સિંગલ જજ 10 ઓગસ્ટના આદેશના સંદર્ભમાં હજુ પણ કાર્યવાહી પર વિચાર કરી રહ્યા છે અને અમે હાલના તબક્કે વિશેષ મંજૂરી અરજી પર વિચાર કરવા ઇચ્છતા નથી. જ્યારે આગળની કાર્યવાહી શરૂ થાય ત્યારે અરજદાર સિંગલ જજ સમક્ષ તમામ યોગ્ય ફરિયાદોની વિનંતી કરવા માટે સ્વતંત્ર છે. અમે સ્પષ્ટ કરીએ છીએ કે કોઈપણ આરોપીની સમસ્યા પર વિચાર કરવામાં આવશે. અરજી ફગાવી દેવામાં આવે છે.

સુનાવણી દરમિયાન સામે પક્ષે પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ બાલાજી શ્રીનિવાસને જણાવ્યું હતું કે, ડોક્ટરેટ ઓફ વિજિલેંસ એન્ડ એન્ટી કરપ્શન દ્વારા પણ આવી જ અરજી દાખલ કરવામાં આવી છે. આને પણ નકારી કાઢવી જોઈએ. જોકે ખંડપીઠે કહ્યું કે, DVAC નું અહીં પ્રતિનિધિત્વ નથી અને અરજીમાં ખામીઓ છે, તેથી તેને સામાન્ય રીતે આવવા દો.

ન્યાયાધીશ એન. આનંદ વેંકટેશે પોતાના આદેશમાં સ્વત સંજ્ઞાન લેતા કહ્યું હતું કે, 28 જૂને વેલ્લોર મુખ્ય જિલ્લા અદાલત દ્વારા આપેલા નિર્દોષ છોડવાના આદેશથી જાણ થાય છે કે, અપરાધિક ન્યાય પ્રણાલીમાં છેડછાડ અને તેને નષ્ટ કરવાનો આ એક ચોંકાવનારો અને ઇરાદાપૂર્વકનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલો 1996 અને 2001 વચ્ચે પરિવહનપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પોનમૂડીની અપ્રમાણસર સંપત્તિ સાથે સંબંધિત છે.

  1. Rahul Gandhi in Kedarnath: કેદારનાથમાં 'ચા વાળા' બન્યાં રાહુલ ગાંધી, શ્રદ્ધાળુઓ સાથે લીધી ચાની ચુસ્કી
  2. Kangana to Fight Lok Sabha Election: કંગના રનૌત કઇ લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.