ETV Bharat / bharat

Rahul Gandhi in Kedarnath: કેદારનાથમાં 'ચા વાળા' બન્યાં રાહુલ ગાંધી, શ્રદ્ધાળુઓ સાથે લીધી ચાની ચુસ્કી

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2023, 7:04 AM IST

Updated : Nov 6, 2023, 9:30 AM IST

કેદારનાથમાં રાહુલ ગાંધી
કેદારનાથમાં રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેદારનાથની મુલાકાતે છે, રાહુલ ગાંધીના કેદારનાથ ધામ પહોંચ્યા બાદ રાજકીય વર્તુળોમાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે, જોકે આ આ દરમિયાન તેઓ કોઈપણ પણ પ્રકારનું રાજકીય નિવેદનો આપવાથી બચી રહ્યાં છે. આટલું જ નહીં, રાહુલ ગાંધી તેમના પક્ષમાં થઈ રહેલા નારાઓને પણ મહત્વ નથી આપી રહ્યાં, તેથી અહીં તેમની સાદગી પણ દેખાઈ રહી છે. અહીં તેઓ યાત્રાળુઓને ચા પીરસતા પણ જોવા મળ્યાં અને તેમની સમસ્યાઓ સાંભળતા પણ જોવા મળ્યા હતા.

રૂદ્રપ્રયાગ (ઉત્તરાખંડ): કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી બાબ કેદારનાથને શરણે પહોંચ્યા છે. કેદારનાથમાં પણ રાહુલ ગાંધીની સાદગી જોવા મળી હતી. પહેલા તો રાહુલ ગાંધી VIP હેલિપેડને બદલે સામાન્ય મુસાફરો માટેના હેલિપેડ પર ઉતર્યા અને લગભગ અડધો કિલોમીટર ચાલીને મંદિર પહોંચ્યા. જ્યાં તેઓ તીર્થયાત્રી પૂજારીઓ અને શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક લોકોને મળ્યા હતા. આ પછી તેમણે દર્શન માટે લાઈનમાં ઉભેલા શ્રદ્ધાળુઓને ચા પીરસી હતી અને તેમની સાથે વાતો પણ કરી હતી.

રાહુલ ગાંધી બન્યાં ચા વાળા: રાહુલ ગાંધી કેદારનાથમાં યાત્રાળુઓને ચા પીરસે છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેદારનાથ ધામ પહોંચ્યા બાદ રાજકીય વર્તુળોમાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ તેઓ રાજકીય નિવેદનો ટાળી રહ્યા છે. આટલું જ નહીં, રાહુલ ગાંધી તેમના પક્ષમાં થઈ રહેલા નારાઓને ટાળી રહ્યા છે, પરંતુ આ સિવાય તેમની સાદગી પણ દેખાઈ રહી છે. જ્યાં તે યાત્રાળુઓને ચા પીરસતા અને તેમની યાત્રા સંબંધિત સમસ્યાઓ સાંભળતા જોવા મળ્યા હતા.

રાહુલ ગાંઘીની સાદગી: રાહુલ ગાંધી બાબા કેદારના દર્શન માટે કેદારનાથ ઘામ પહોંચ્યા છે. અહીં રાહુલ ગાંધીની સાદગી જોવા મળી હતી. પહેલાં તો VIP હેલિપેડને બદલે રાહુલ ગાંધી સામાન્ય મુસાફરો માટે હેલિપેડ પર ઉતર્યા અને લગભગ અડધો કિલોમીટર ચાલીને મંદિર પહોંચ્યા હતાં, જ્યાં તેમણે તીર્થયાત્રીઓ, પૂજારીઓ અને શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી અને ત્યાર બાદ તેમણે દર્શન માટે લાઈનમાં ઉભેલા મુસાફરોને ચા પણ પીરસી હતી અને તેમની સાથે વાત પણ કરી હતી. આ સમય દરમિયાન, તે કોઈ સરકારી સિસ્ટમમાં નથી, પરંતુ ખાનગી સિસ્ટમમાં છે. રાહુલ ગાંધી કેદાર સભાના પૂર્વ અધ્યક્ષ વિનોદ શુક્લાના ગેસ્ટ હાઉસમાં રોકાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તેમની ધાર્મિક યાત્રા છે. આ દરમિયાન તેઓ ભગવાન ભૈરવનાથની પૂજા પણ કરશે. જ્યારે રવિવારે સાંજે સાંજની આરતીમાં ભાગ લીધો હતો.

ગેસ્ટ હાઉસમાં રોકાણ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાના ત્રણ દિવસ પ્રવાસને લઈને રવિવારે કેદારનાથ ધામ પહોંચ્યાં હતાં. આ દરમિયાન તેઓ કોઈ સરકારી વ્યવસ્થામાં નહી પરંતુ ખાનગી વ્યવસ્થાઓમાં છે. રાહુલ ગાંધી કેદારસભાના પૂર્વ અઘ્યક્ષ વિનોદ શુક્લાના ગેસ્ટ હાઉસમાં રોકાયા. જાણાવાઈ રહ્યું છે કે, આ તેમની ધાર્મિક યાત્રા છે. આ દરમિયાન તેઓ ભગવાન ભૈરવનાથમાં પણ પૂજા અર્ચના કરશે, જ્યારે રવિવારે સાંજે સંધ્યા આરતીમાં ભાગ લીધો હતો. રાહુલ ગાંધી રવિવારે બપોરે લગભગ 1 વાગે કેદારનાથ પહોંચ્યા હતા. જ્યાં તીર્થ પુરોહિત સમાજના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસના ગણેશ ગોડિયાલે હેલીપેડ પર તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી, કેટલાક લોકો સાથે વાત કરતા તેઓ સીધા કેદારનાથ મંદિર પહોંચ્યા. બહારથી મંદિરના દર્શન કર્યા બાદ તેઓ શુક્લ ભવન હોટેલમાં ગયા હતા. સાથે જ સાંજે તેમણે બાબા કેદારના દર્શન કર્યા હતા.

રાહુલ ગાંધીએ રાજકીય નિવેદનો ટાળ્યાં: કેદારનાથ ધામ ખાતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના આગમનથી રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. જો કે કેદારનાથ પ્રવાસે આવેલા રાહુલ ગાંધી રાજકીય નિવેદનોને સંપૂર્ણપણે ટાળી રહ્યા છે. આ સાથે જ રાહુલ ગાંધીએ કેદારનાથમાં થયેલી દુર્ઘટના અંગે તીર્થયાત્રીઓ પાસેથી માહિતી પણ લીધી હતી. કેદારનાથમાં ચાલી રહેલા નિર્માણ કાર્યમાં તેમની સમસ્યાઓ વિશે પણ ચર્ચા કરી હતી.: કેદારનાથ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ તેમના સમર્થકો સાથે પણ વાત કરી હતી.

  1. Rahul Gandhi in US: રાહુલે અમેરિકામાં કહ્યું- મોદીજી ભગવાનને પણ સમજાવી શકે છે કે બ્રહ્માંડ કેવી રીતે કામ કરે છે
  2. Rahul Gandhi Scooter Ride : જયપુરના રસ્તાઓ પર રાહુલ ગાંધીની સ્કૂટર સવારી
Last Updated :Nov 6, 2023, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.