ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં બુલડોઝર ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો, યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ

author img

By

Published : Apr 20, 2022, 11:54 AM IST

Updated : Apr 20, 2022, 1:12 PM IST

જહાંગીરપુરીમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની બુલડોઝર કાર્યવાહી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં કાર્યવાહી તાત્કાલિક રોકવાનો આદેશ (Supreme Court order on jahangirpuri demolition) આપ્યો છે. કોર્ટે પ્રશાસનને સ્થળ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં બુલડોઝર ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો, યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ
સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં બુલડોઝર ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો, યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ

નવી દિલ્હીઃ જહાંગીરપુરી (jahangirpuri violence)માં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની બુલડોઝરની કાર્યવાહી (anti encroachment drive in Jahangirpuri) અટકાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં કાર્યવાહી તાત્કાલિક રોકવાનો આદેશ (Supreme Court order on jahangirpuri demolition) આપ્યો છે. કોર્ટે પ્રશાસનને સ્થળ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો છે.

આદેશની નકલ મળતાં જ કાર્યવાહી: અતિક્રમણ હટાવવાની કાર્યવાહી શરૂ થયાના એક કલાક બાદ કોર્ટે સ્ટે ઓર્ડર (Supreme Court orders status-quo on demolition drive ) જારી કર્યો હતો. હાલમાં સુપ્રીમ કોર્ટના આદેશની નકલ કોર્પોરેશનના સ્ટાફને મળી નથી. તેથી, સ્થળ પર અતિક્રમણ સામે કાર્યવાહી ચાલુ છે, પરંતુ થોડા સમય બાદ આદેશની નકલ મળતાં જ કાર્યવાહી અટકાવી દેવામાં આવશે તેમ સમજાય છે. જહાંગીરપુરીમાં કહેવાતા અતિક્રમણને દૂર કરવા કોર્પોરેશન પ્રશાસને અનેક બુલડોઝર અને ભારે પોલીસ ફોર્સ સાથે સ્થળ પર કાર્યવાહી શરૂ કરી હતી. થોડી વાર પછી કોર્ટનો આદેશ આવ્યો.

આ પણ વાંચો: જહાંગીરપુરીમાં ઝિંકાશે હથોડાઃ NDMCએ હાથ ધર્યુ બે દિવસીય ડિમોલેશન અભિયાન

બુલડોઝર, કોર્પોરેશનના અધિકારીઓ, કેટલાક આગેવાનો, પોલીસ દળો વગેરે સવારે 10 વાગ્યે અતિક્રમણ હટાવવા સ્થળ પર પહોંચી ગયા હતા. સવારે 10:15 કલાકે અહીં અતિક્રમણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. લગભગ 1 કલાક સુધી અતિક્રમણ હટાવવા કોર્પોરેશનનું બુલડોઝર અને જેસીબી દોડાવવામાં આવ્યું હતું. આ દરમિયાન, એવી માહિતી મળી હતી કે સુપ્રીમ કોર્ટે અતિક્રમણ હટાવવાની ઝુંબેશ પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે સ્થળ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો: petrol and diesel prices : રાજ્યમાં આજે કયા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો એક ક્લિકમાં...

આ મામલે NDMC મેયર રાજા ઈકબાલ સિંહે કહ્યું છે કે કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે. આ મામલે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. સુપ્રિમ કોર્ટના આદેશની કોપી હજુ કોર્પોરેશન સુધી પહોંચી નથી તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જેના કારણે સ્થળ પર અતિક્રમણ દૂર કરવાની કામગીરી પોતપોતાની ગતિએ ચાલી રહી છે. આગામી થોડા દિવસોમાં આદેશની નકલ મળ્યા બાદ અતિક્રમણ હટાવવાની આ ઝુંબેશ બંધ થઈ જશે તેવી અપેક્ષા છે.

Last Updated : Apr 20, 2022, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.