ETV Bharat / bharat

Street Dog Attack: કન્નુરમાં રખડતા કૂતરાના કરડવાથી 10 વર્ષના વાણી-વિકલાંગ છોકરાનું કરુણ મોત

author img

By

Published : Jun 12, 2023, 5:55 PM IST

પાછલા કેટલાક વર્ષોમાં, દેશમાં કૂતરાઓના હુમલાની ઘટનાઓમાં અચાનક વધારો જોવા મળ્યો છે. આવા જ એક કિસ્સામાં કન્નુરમાં રખડતા કૂતરાના કરડવાથી 10 વર્ષના વાણી-વિકલાંગ છોકરાનું કરુણ મોત થયું છે. આ ઘટના બાદ આસપાસના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Street Dog Attack: કન્નુરમાં રખડતા કૂતરાના કરડવાથી 10 વર્ષના વાણી-વિકલાંગ છોકરાનું કરુણ મોત
Street Dog Attack: કન્નુરમાં રખડતા કૂતરાના કરડવાથી 10 વર્ષના વાણી-વિકલાંગ છોકરાનું કરુણ મોત

કન્નુર: મુઝાપિલાંગડમાં રખડતા કૂતરા કરડવાથી નિહાલ નામના 10 વર્ષના છોકરાનું મોત થયું છે. આ ઘટના બાદ આસપાસના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે રખડતા કૂતરા અંગે કોઈ પગલાં ન લેવાને કારણે બાળકનું મોત થયું છે.

પહેલા નિહાલ ગુમ થયો: નિહાલ કેરળના કન્નુરના મુઝાપિલંગડમાં તેના પરિવાર સાથે રહેતો હતો. રવિવારે સાંજે પાંચેક વાગ્યે તે ઘરેથી નીકળ્યો હતો. તે થોડે દૂર જતાં જ રખડતા કૂતરાઓએ તેના પર હુમલો કર્યો હતો. નિહાલ ગુમ થયા બાદ તેની શોધખોળ કરતાં તેનો મૃતદેહ એક ખાલી ઘર પાસે મળી આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે જ્યારે નિહાલ તેના ઘરની બહાર આવ્યો ત્યારે રખડતા કૂતરાઓએ તેના પર હુમલો કર્યો હતો.

ગંભીર ઈજાઓથી મોત: નિહાલ ઘરથી 300 મીટર દૂર ગંભીર રીતે ઘાયલ હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. સ્થાનિકોએ નિહાલને કમરના નીચેના ભાગે ગંભીર ઇજાઓ સાથે બેભાન અવસ્થામાં જોયો હતો. લોકો તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ તેઓ તેનો જીવ બચાવી શક્યા નહીં. મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. નિહાલ બહેરીનમાં નોકરી કરતા નૌશાદનો પુત્ર છે.

વૈજ્ઞાનિક ઉકેલ જરૂરી: ગયા વર્ષે કેરળના કોટ્ટયમમાં રખડતા કુતરાના હુમલામાં એક સગીરનું મોત થયું હતું. આ અંગે કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને કહ્યું હતું કે, રખડતા કૂતરાઓની સમસ્યા કૂતરાઓને મારીને હલ કરી શકાતી નથી. આ સમસ્યાના સમાધાન માટે વૈજ્ઞાનિક ઉકેલ શોધવો જોઈએ.

કૂતરાના આતંકમાં વધારો: પાછલા કેટલાક વર્ષોમાં, દેશમાં કૂતરાઓના હુમલાની ઘટનાઓમાં અચાનક વધારો જોવા મળ્યો છે. જેના પરિણામે પીડિતોના મૃત્યુ પણ થયા છે. આ પહેલા કર્ણાટકના હૈદરાબાદ અને બેલ્લારીમાં રખડતા કૂતરાઓનો આતંક જોવા મળ્યો હતો. કર્ણાટકના બેલ્લારીમાં ડિસેમ્બરમાં રખડતા કૂતરાઓના હુમલામાં બે બાળકોના મોત થયા હતા. ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ તે કૂતરાને મારી નાખ્યો હતો.

  1. Dog Bite: નવસારીમાં રખડતા શ્વાનનો આતંક, શ્વાને બાળક સહિત આઠ લોકોને બચકા ભર્યા
  2. Dog Bite: સુરતમાં શ્વાનનો આતંક યથાવત, અડધી રાત્રે યુવકના પગે બચકા ભર્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.