ETV Bharat / bharat

Pond Missing In Bihar : બિહારમાં રાતોરાત ગાયબ થયું તળાવ, ભૂ-માફિયાઓના કારસ્તાન સામે આવતા તપાસના આદેશ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 3, 2024, 4:25 PM IST

બિહારમાં ક્યારેક રેલવે એન્જિન, ક્યારેક લોખંડનો પુલ, ક્યારેક રેલવે ટ્રેક, ક્યારેક સરકારી હોસ્પિટલ તો ક્યારેક પંચાયત બિલ્ડીંગની ચોરી થાય છે. હવે દરભંગા ખાતે રાતોરાત તળાવની ચોરી થઈ ગઈ અને વહીવટીતંત્રને આ અંગે કોઈ જાણ સુધ્ધા નથી. આ મામલો પ્રકાશમાં આવતા વહીવટી વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને DM એ તપાસના આદેશ આપ્યા છે.

Pond Missing In Bihar
Pond Missing In Bihar

બિહાર : દરભંગામાં રાતોરાત એક તળાવ ગાયબ થઈ ગયું છે. આ અજીબોગરીબ કિસ્સો શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના વોર્ડ નંબર ચારમાં સ્થિત નીમ પોખરનો છે. જ્યાં જમીન માફિયાઓએ રાતોરાત લગભગ 36 ડેસિમલ તળાવમાં ચોરીછૂપીથી માટી ભરીને સમતલ જમીન બનાવી દીધું હતું. ઉપરાંત આ જમીન પર પોતાનો કબજો કરવા માટે ત્યાં એક ઝૂંપડું અને વાંસની બાઉન્ડ્રી વોલ પણ બનાવી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, વહીવટીતંત્રની મિલીભગતથી તળાવ ભરવામાં આવ્યું છે.

લોકો શું કહે છે ? સ્થાનિક રહેવાસી સત્તોકુમાર સાહનીએ જણાવ્યું કે, 10-15 વર્ષ પહેલા માછીમાર સમિતિના કેટલાક લોકો આ તળાવમાં માછલી ઉછેર કરતા હતા. પરંતુ બાદમાં કોઈ કારણોસર માછલીનો ઉછેર થઈ શક્યો નહીં. જેના કારણે તળાવ કચરો બની ગયો હતો. આખું તળાવમાં કીચડ આવી ગયું હતું. ત્યારબાદ આ શખ્સોએ ધીમે ધીમે માટી ભરવાનું શરૂ કર્યું અને લગભગ 6 મહિના પહેલા એક વ્યક્તિએ અડધો કટ્ટો જમીનને માટીથી ભરી દીધી હતી.

એક વ્યાપારીએ કર્યો દાવો : આજથી બે વર્ષ પહેલા પણ જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે એક ચા-પત્તીના વેપારીએ આ તળાવ પર દાવો કર્યો હતો. ત્યારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સ્ટાફે અહીં આવીને દસ્તાવેજ મંગાવ્યા હતા. તે વ્યક્તિએ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા તેના પછી મામલો કોર્ટમાં ગયો હતો. આગળના પક્ષે કોર્ટમાંથી ડિગ્રી લઈને કહ્યું કે, જમીન અમારી છે અને જમીન ભરવાનું કામ બરાબર આઠ-નવ દિવસ પહેલા કરવામાં આવ્યું હતું.

પોલીસની પણ મિલીભગત ? સ્થાનિક લોકોનું કહેવું છે કે, જે તળાવને માટીથી ભરવામાં આવ્યું છે તેમાં માછીમારો દ્વારા માછલી, પાણી અને ફળોનો સંગ્રહ કરવામાં આવતો હતો. તળાવનું ટેન્ડર સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. લોકોનું માનીએ તો એક અઠવાડિયામાં જ તળાવ ગાયબ થઈ ગયું છે. જ્યારે અહીં રાત-દિવસ માટી ભરવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે પોલીસ અને પ્રશાસનને પણ ખબર હતી પરંતુ તેમને રોકવા કોઈ આવ્યું ન હતું.

અમે છેલ્લા 35 વર્ષથી અહીં રહીએ છીએ. અહીં એક સરકારી તળાવ હતું. છેલ્લા એક અઠવાડિયામાં તળાવ માટીથી ભરવામાં આવ્યું છે. જમીન માફિયાઓ દ્વારા રાત-દિવસ તળાવમાં માટીથી ભરવામાં આવતી તે સમયે ત્યાં ભીડ હતી, પરંતુ પોલીસ આવતી નહોતી. -- સુનિલ કુમાર (સ્થાનિક રહેવાસી)

નિષ્ણાતો શું કહે છે ? તળાવ બચાવો અભિયાનના સંયોજક નારાયણ ચૌધરીએ કહ્યું કે, આ લોકોએ પટના સ્તરે આવી ઘટનાઓને રોકવા માટે કોઈ સિસ્ટમ વિકસાવી નથી જેથી. સ્થાનિક લોકોની ભાગીદારીથી જ તળાવને બચાવી શકાય છે. હું છેલ્લા 12-13 વર્ષથી પત્ર લખું છું, પરંતુ કોઈએ મને એક પણ આભાર પત્ર આપ્યો નથી. જો તળાવ ભરાઈ રહ્યું હોવાની ફરિયાદ કરીએ તો પણ 15 થી 20 દિવસ કે મહિનામાં કોઈ કાર્યવાહી થતી નથી.

DM કાર્યવાહી : તળાવની ચોરીનો મામલો સામે આવતા વહીવટી વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. દરભંગાના DM રાજીવ રોશને તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે, પોખર સંબંધિત કેસ એડિશનલ ડેપ્યુટી કલેક્ટર કોર્ટમાં ચાલી રહ્યો હતો. જમાબંધી રદ કરવા બાબતે ફરિયાદીની તરફેણમાં નિર્ણય લેવાયો હતો. સદર સર્કલ ઓફિસરને સૂચન કરવામાં આવ્યું છે કે તેઓ આ બાબતે તાત્કાલિક મારી કોર્ટમાં અપીલ દાખલ કરે અને સ્થળ પરની તમામ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે.

મેં સદર સર્કલ ઓફિસરને આ બાબતે તાત્કાલિક મારી કોર્ટમાં અપીલ દાખલ કરવા કહ્યું છે. સાથે જ તે જગ્યા પર કોઈ વ્યક્તિ માટી ભરવા કે બાંધકામની પ્રવૃત્તિ ન કરે તેની તાત્કાલિક ખાતરી કરે. જ્યાં સુધી તળાવની સલામતીની વાત છે, તો આપણા જેટલા પણ જાહેર તળાવ છે તે જલજીવન હરિયાળીનો ભાગ છે. આ અંતર્ગત તેમને અતિક્રમણમાંથી મુક્ત કરાવો પડશે. ખાનગી તળાવની માલિકી અંગે કોર્ટનો નિર્ણય છે કે તેના સ્વરૂપમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. -- રાજીવ રોશન (જિલ્લા મેજિસ્ટ્રેટ, દરભંગા)

મહેસુલ અધિકારીને સૂચના : DM રાજીવ રોશને વધુમાં કહ્યું કે, રેવન્યુ ઓફિસરને તળાવના અતિક્રમણ પર ધ્યાન આપવાની જરૂર છે. જમાબંધી રદ કરવાનો કેસ અધિક કલેકટરની કોર્ટમાં છે. તેમાં કયા દસ્તાવેજો દર્શાવવામાં આવ્યા છે પરંતુ જમાબંધી રદ કરવાની દરખાસ્ત ફગાવી દેવામાં આવી છે અને જમાબંધી ચાલુ રાખવાની વાત કરવામાં આવી છે. આ અંગે મેં સીઓને આદેશ કર્યો છે કે, અધિક કલેક્ટરનો કોઈ આદેશ હોય તો તેની સામે મારી કોર્ટમાં અપીલ કરી શકાશે.

અધધ 200 તળાવ નકશા પરથી ગાયબ : દરભંગામાં તળાવોની સંખ્યા વિશે વાત કરવામાં તો દરભંગા રાજ અને જૂના રેકોર્ડ મુજબ સમગ્ર જિલ્લામાં 9 હજાર 113 તળાવ હતા. તેમાંથી સરકારી દસ્તાવેજો મુજબ એકલા દરભંગા શહેરમાં જ 350 થી 400 તળાવ હતા. પરંતુ સમયાંતરે જમીન માફિયાઓએ સરકારી તંત્રની મદદથી તળાવ પર કબજો કરી તેમાં માટી ભરવાનું શરૂ કર્યું હતું. હાલમાં મહાનગરપાલિકાના રેકોર્ડ મુજબ તળાવોની સંખ્યા 100 થી 125 વચ્ચે રહી ગઈ છે. અત્યાર સુધીમાં 200 જેટલા તળાવોને ભરવામાં આવ્યા છે.

  1. Airplane Stuck Under Flyover: બિહારમાં ઓવરબ્રિજ નીચે ફસાયું વિમાન, લોકો ચોંકી ઉઠ્યા
  2. Bihar CM Bomb Threat : બિહારના મુખ્યપ્રધાને કલાકોમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી દેનાર સુરતથી ઝડપાયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.