ETV Bharat / bharat

Ravishankar Comments on Rahul : રાહુલે ગૃહને ગેરમાર્ગે દોર્યું, 'કમિશન' બંધ થવાની ચિંતા - રવિશંકર પ્રસાદ

author img

By

Published : Feb 8, 2023, 5:10 PM IST

રાહુલ ગાંધીએ અદાણી મામલાને લઈને વડાપ્રધાન પર કેટલાક આરોપો લગાવ્યા હતા. જેને લઈ ભાજપના નેતા રવિશંકર વળતો પ્રહાર કર્યો અને આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ ગૃહને ગેરમાર્ગે દોર્યું છે. PM મોદીની સરકારમાં કમિશન અને ડીલ બંધ થઈ ગઈ છે. આ બાબત તેમને ડંખે છે.

PROCEEDINGS UPDATES PM MODI BJP CONGRESS
PROCEEDINGS UPDATES PM MODI BJP CONGRESS

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની ટિપ્પણીને લઈને લોકસભામાં કોંગ્રેસના નેતા પર વળતો પ્રહાર કર્યો હતો. પ્રસાદે કહ્યું કે 'રાહુલ ગાંધીની ટિપ્પણીમાં પીડા, ગુસ્સો અને હતાશા દેખાતી હતી. તમે પ્રવાસમાં કોને મળો છો તેની અસર પડે છે. કોંગ્રેસના નેતાના સમગ્ર ભાષણમાં એ વાતથી હતાશાની લાગણી હતી કે તેમણે સત્તા ગુમાવી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા.

મોદી સરકારમાં 'ડીલ અને કમિશન' બંધ: રાષ્ટ્રપતિના અભિભાષણ પર નીચલા ગૃહમાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાને આગળ ધપાવતા, પ્રસાદે એવો પણ દાવો કર્યો કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષે ગૃહને ગેરમાર્ગે દોર્યું અને મોદી સરકારમાં 'ડીલ અને કમિશન' બંધ થઈ ગયું હોવાથી તેઓ ચિંતામાં છે. રાહુલ ગાંધીએ મંગળવારે અદાણી ગ્રૂપ સંબંધિત મામલાને લઈને વડાપ્રધાન પર કેટલાક આરોપો લગાવ્યા અને દાવો કર્યો કે 2014માં કેન્દ્રમાં ભાજપ સત્તામાં આવ્યા બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

આ પણ વાંચો: PM MODI PARLIAMENT SPEECH: કોંગ્રેસની સરકારે તકને મુશ્કેલીમાં ફેરવી - PM

કોલસા પ્રોજેક્ટને મંજૂરી આપી: પ્રસાદે દાવો કર્યો કે આજે નરેન્દ્ર મોદીની સરકારમાં કમિશન અને ડીલ બંધ થઈ ગઈ છે. આ બાબત તેમને ડંખે છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં અદાણી ગ્રૂપના રોકાણનો ઉલ્લેખ કરતાં પ્રસાદે જણાવ્યું હતું કે, "છત્તીસગઢ સરકારે પર્યાવરણીય વાંધાઓ છતાં કોલસા પ્રોજેક્ટને મંજૂરી આપી હતી." અદાણી જૂથ રાજસ્થાનમાં 65 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યું છે. રાહુલજી, ત્યાં પણ કોઈ ડીલ થઈ છે?' તેમણે એમ પણ કહ્યું 'ભારતના ઉદ્યોગસાહસિકોએ કેમ આગળ ન વધવું જોઈએ? નરેન્દ્ર મોદીની સરકાર ઈમાનદારીથી લોકોને આગળ લઈ જાય છે. આ સરકારમાં કમિશન બંધ થઈ ગયું છે. તેથી જ તેઓ મુશ્કેલીમાં છે.

આ પણ વાંચો: PM Modi in Special Jacket: સંસદમાં PM મોદી બ્લુ જેકેટમાં જોવા મળ્યા, જાણો કેમ છે ખાસ

નેશનલ હેરાલ્ડને લઈને કટાક્ષ: રવિશંકર પ્રસાદે નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત એક કેસને ટાંકીને આરોપ લગાવ્યો કે, "વડાપ્રધાન પર કોણે આરોપ લગાવ્યો, જે ભ્રષ્ટાચારના આરોપમાં જામીન પર છે, તેની માતા જામીન પર છે, ભાભી જામીન પર છે." મામલો એ છે કે 5000 કરોડ રૂપિયાની સંપત્તિ 50 લાખ રૂપિયામાં પડાવી લેવામાં આવી હતી. તેમણે દાવો કર્યો કે જ્યારે 2જી કૌભાંડ, કોલસા કૌભાંડ અને આદર્શ કૌભાંડ થયું ત્યારે કોંગ્રેસ સત્તામાં હતી. પ્રસાદે કટાક્ષ કરતાં કહ્યું, 'રાહુલ ગાંધી આરએસએસને ખૂબ પ્રેમ કરે છે.' તેમણે કહ્યું, 'આજે આરએસએસ ક્યાંથી પહોંચી ગયું છે અને તે લોકો ક્યાંથી પહોંચી ગયા છે. તેઓ હવે વધુ નીચે જશે. પ્રસાદે કહ્યું, "એવું કહેવાય છે કે આખી 'અગ્નિપથ' યોજના આરએસએસ દ્વારા બનાવવામાં આવી હતી, જ્યારે આખી યોજના સેનાના ઉચ્ચ લોકો દ્વારા બનાવવામાં આવી હતી.".

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.