ETV Bharat / bharat

રામ મંદિરનાં નિર્માણ માટે એક મહિનામાં 1 હજાર કરોડથી વધુનું દાન એકત્ર કરાયું

author img

By

Published : Feb 12, 2021, 11:33 AM IST

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટનાં સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે, રામ મંદિર નિર્માણ માટે અત્યાર સુધીમાં એક હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્ર કરવામાં આવી છે.

રામ મંદિરનાં નિર્માણ માટે એક મહિનામાં 1 હજાર કરોડથી વધુનું દાન એકત્ર કરાયું
રામ મંદિરનાં નિર્માણ માટે એક મહિનામાં 1 હજાર કરોડથી વધુનું દાન એકત્ર કરાયું

  • મંદિર નિર્માણની દેખરેખ રાખનારા ટ્રસ્ટનાં સભ્યએ ગુરુવારે આ માહિતી આપી
  • સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે, મંદિરના નિર્માણ માટે સમાજના તમામ વર્ગોએ દાન કર્યું છે
  • અત્યાર સુધીમાં ટ્રસ્ટનાં ત્રણેય બેંકોના ખાતામાં 1 હજાર કરોડથી વધુ રકમ જમા થઈ ચૂકી છે

અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દાન એકત્ર કરવા ગત મહિને મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં અત્યાર સુધીમાં 1 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્ર થઈ ચૂકી છે.

વિશ્વ હિન્દુ પરિષદના 2 લાખથી વધુ કાર્યકરો ઘરે ઘરે જઈને દાન એકત્ર કર્યું

અયોધ્યામાં નિર્માણાધિન રામ મંદિર માટે વિશ્વ હિન્દુ પરિષદના 2 લાખથી વધુ કાર્યકરો ઘરે ઘરે જઈને દાન એકત્ર કરી રહ્યા છે. રામ મંદિર ટ્રસ્ટે આ હેતુ માટે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને બેંક ઑફ બરોડામાં ખાતા ખોલાવ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલી કામગિરી બાદ ત્રણેય બેન્કનાં ખાતાઓમાં કુલ 1 હજાર કરોડથી વધુની રકમ જમા થઈ ચૂકી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.