ETV Bharat / bharat

Army Murder Case: 'જવાન રાજકીય કારણોસર નહીં, પરંતુ કૌટુબિંક લડાઈમાં શહીદ થયો'

author img

By

Published : Feb 16, 2023, 8:09 PM IST

તમિલનાડુમાં સેનાના જવાનની હત્યા મામલે કૃષ્ણાગિરી જિલ્લાના એસપીનું નિવેદન સામે આવ્યું છે. એસપીએ કહ્યું કે આ હત્યા કેસમાં કેટલાક રાજકીય પક્ષો અને નેતાઓ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. જવાનનું શહીદ થવું દુર્ભાગ્યપૂર્ણ છે.

તમિલનાડુમાં સેનાના જવાનની હત્યા
તમિલનાડુમાં સેનાના જવાનની હત્યા

કૃષ્ણાગિરીઃ કૃષ્ણાગિરી જિલ્લાના બોચમપલ્લીમાં રજાઓ માણવા ગયેલા જવાન પ્રભુની માર મારીને હત્યા કરવામાં આવી. આ હત્યાનો આરોપી ચિન્નાસ્વામી ડીએમકે પાર્ટીનો છે અને તેથી આ હત્યા પાછળ રાજકીય હેતુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ભાજપે ડીએમ ઓફિસમાં ફરિયાદ કરી છે. ભાજપે જાહેરાત કરી છે કે પૂર્વ સૈનિકો યુનિફોર્મમાં વિરોધ કરશે.

કૌટુબિંક લડાઈમાં શહીદ: મામલો જોર પકડતો જોઈને પોલીસ અધિક્ષક સરોજ કુમાર ઠાકુરે જણાવ્યું કે જવાનનું શહીદ થવું દુર્ભાગ્યપૂર્ણ છે. આ કેસમાં હત્યારો અને પીડિત નજીકના સગા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે આ મામલે કોઈ રાજકીય હેતુ નથી. આ હત્યામાં કોઈ રાજકીય પક્ષની વ્યક્તિ સામેલ ન હોવાનું જણાવતા તેમણે કહ્યું કે 8 ફેબ્રુઆરીએ જાહેર પાણીની પાઇપમાં સમસ્યા સર્જાઈ હતી. ત્યારબાદ ચિન્નાસ્વામી અને તેમના સંબંધીઓએ સૈનિક પ્રભુ અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો. ત્યારબાદ 14મીએ જવાન પ્રભુનું અવસાન થયું હતું.

આ પણ વાંચો: MH Crime : મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન ઉત્તમ ખંડારે સામે દુષ્કર્મનો કેસ

9 આરોપીઓને રિમાન્ડ પર: પોલીસ અધિક્ષક સરોજ કુમાર ઠાકુરે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આ કેસમાં સંડોવાયેલા 9 આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. જિલ્લા એસપીએ કહ્યું કે કેટલાક રાજકીય પક્ષો અને નેતાઓ આ મામલે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.

ડીએમકેના નેતાઓ હત્યામાં સામેલ: ભાજપની પૂર્વ સૈનિક પાંખના પ્રદેશ અધ્યક્ષ રમણે આ મામલે કૃષ્ણાગિરી જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ડીએમકેના નેતાઓ આ મામલામાં સામેલ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈએ પોતાની ટ્વિટર પોસ્ટમાં જાહેરાત કરી છે કે રાજ્યભરમાં તમામ ભૂતપૂર્વ સૈનિકો યુનિફોર્મમાં વિરોધ કરશે.

આ પણ વાંચો: Check bounce case: કોંગ્રેસ નેતા દત્તા વિરૂદ્ધ સિટી કોર્ટે જારી કર્યું વોરંટ

શું હતો મામલો: 8 ફેબ્રુઆરીના રોજ પોચમપલ્લીમાં વેલમપટ્ટી ખાતે પ્રભુ અને તેના ભાઈનો ડીએમકેના કોર્પોરેટર સાથે નગર પંચાયતની પાણીની ટાંકી પાસે કપડાં ધોવાને લઈને ઝઘડો થયો હતો. પ્રભુ અને પ્રભાકરન પર એ જ દિવસે સાંજે ચિન્નાસ્વામી અને તેમના સહયોગીઓ દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું બુધવારે મોત થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.