ETV Bharat / bharat

Jammu and Kashmir Delimitation: ડ્રાફ્ટ બાઉન્ડ્રી પ્લાન પર BJP, NCની પ્રતિક્રિયા પર સૌની નજર

author img

By

Published : Jan 4, 2022, 3:33 PM IST

જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં (Union Territory of Jammu and Kashmir) ડાઉનગ્રેડ કર્યા પછી ચૂંટણીની રાજનીતિ લડવા (Electoral politics in Jammu and Kashmir) માટે એક નવો રાજકીય લેન્ડસ્કેપ (Jammu and Kashmir Delimitation) મળી રહ્યો છે. ETV Bharatના ન્યૂઝ એડિટર બિલાલ ભટે આ અંગે લખ્યું હતું કે, સીમાઓને ફરીથી દોરવાના પરિબળોથી કેટલાકને ફાયદો થશે, પરંતુ બધાને નહીં.

Jammu and Kashmir Delimitation: ડ્રાફ્ટ બાઉન્ડ્રી પ્લાન પર BJP, NCની પ્રતિક્રિયા પર સૌની નજર
Jammu and Kashmir Delimitation: ડ્રાફ્ટ બાઉન્ડ્રી પ્લાન પર BJP, NCની પ્રતિક્રિયા પર સૌની નજર

હૈદરાબાદઃ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં (Union Territory of Jammu and Kashmir) ડાઉનગ્રેડ કર્યા પછી ચૂંટણીની રાજનીતિ લડવા માટે (Electoral politics in Jammu and Kashmir) એક નવો રાજકીય લેન્ડસ્કેપ મળી રહ્યો છે. વર્ષ 2011ની વસ્તી ગણતરીને દૂર કરીને ટોપોગ્રાફી અને ભૂપ્રદેશના આધારે મત વિસ્તારો માટે ફરીથી સીમાઓ દોરવામાં આવી રહી છે. તો હવે આગામી વર્ષમાં ચૂંટણીઓ યોજાવાની છે કે કેમ તેની પર દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યો છે, પરંતુ સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં લેન્ડસ્કેપ સીમાંકન (Jammu and Kashmir Delimitation) એક નવી રાજકીય રચના માટે નિર્ણાયક પરિબળમાંનું એક હશે.

આ પણ વાંચો- NEET-PG Admissions: એડમિશનમાં EWS અનામત માટેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી

સીમાંકન પંચે જમ્મુ અને કાશ્મીરને ત્રણ કેટેગરીમાં વિભાજિત કર્યા

સીમાંકન પંચે ત્રણ ભૌગોલિક પરિબળોને ધ્યાનમાં રાખીને એસેમ્બલી સેગમેન્ટ્સને ફરીથી વ્યાખ્યાયિત કરવા ફરજિયાત જમ્મુ અને કાશ્મીરને ત્રણ કેટેગરીમાં વિભાજિત કર્યા છે. તેમાં હિલ્સ, મિક્સ ઓફ હિલ્સ અને ફ્લેટ વિસ્તારોનો સમાવેશ થાય છે. જોકે, સપાટ વિસ્તારોમાં વસતીને ભાગ્યે જ કોઈ લાભ મળી શકે છે. કારણ કે, કમિશન માત્ર ભૌગોલિક પરિબળોને ધ્યાનમાં લઈ રહ્યું છે. હિલ્સ અને મિક્સ ઓફ હિલ્સને ઓછી વસ્તી સાથે બેઠકો ફાળવવામાં આવી છે. જમ્મુ પ્રદેશ તેના મહત્તમ મતવિસ્તારો ટેકરીઓ અને હિલ્સ કેટેગરીના મિશ્રણમાં બનાવે છે. જ્યારે સમગ્ર કાશ્મીર મોટા ભાગે સપાટ છે.

આ પણ વાંચો- Marathon at Bishop Mandal Inter College: ગર્લ મેરેથોનમાં નાસભાગ મચી, કોંગ્રેસે કહ્યું, વૈષ્ણોદેવીમાં પણ થયું

ગયા વર્ષે રચાયેલા સીમાંકન પંચ અંગે જાણો

એક વર્ષ પહેલા રચાયેલા અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ (નિવૃત્ત) રંજના પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળના સીમાંકન પંચે જમ્મુ અને કાશ્મીરના વિધાનસભા મત વિસ્તારોને (Electoral politics in Jammu and Kashmir) ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે એક ડ્રાફ્ટ તૈયાર (Draft Boundary Plan Political Party Reaction) કર્યો છે. દેખીતી રીતે આ ડ્રાફ્ટ જમ્મુ માટે આનંદદાયક હશે અને ભાજપ માટે આગામી ચૂંટણીઓમાં (Elections in Jammu and Kashmir) કાશ્મીર આધારિત મુખ્ય પ્રવાહના પક્ષો પર સ્કોર કરવાનું થોડું સરળ જણાય છે.

સામાન્ય જનતાના પ્રતિભાવ માટે ડ્રાફ્ટને જાહેર ડોમેનમાં મૂકાશે

સીમાંકન પંચમાં મુખ્ય ચૂંટણી પંચ અને જમ્મુ અને કાશ્મીર ચૂંટણી કમિશનરનો (Elections in Jammu and Kashmir) પણ સમાવેશ થાય છે. તેમણે પંચના 5 સહયોગી સભ્યો જિતેન્દ્ર સિંહ (BJP), જુગલ કિશોર (BJP), નેશનલ કોન્ફરન્સના નેતાઓ મોહમ્મદ અકબર લોન, ફારૂક અબ્દુલ્લા અને હસનૈન મસૂદી સાથે તેમના ઈનપુટ્સ માટે ડ્રાફ્ટ શેર (Draft Boundary Plan Political Party Reaction) કર્યો છે. જો આ ભાજપ અને એનસીના સાંસદો સહભાગી સભ્યો તેમના પ્રતિભાવ આપે ત્યારબાદ સૂચિત ભલામણો સામાન્ય જનતાના પ્રતિભાવ માટે જાહેર ડોમેનમાં મૂકવામાં આવશે.

વસ્તીની સંખ્યા અને ગુણોત્તર જમ્મુ ક્ષેત્ર માટે પડકાર રહ્યો છે

વસ્તીની સંખ્યા અને ગુણોત્તર જમ્મુ ક્ષેત્ર માટે અગાઉની રાજ્ય વિધાનસભાઓમાં તેમનો અવાજ સાંભળવો હંમેશા પડકાર રહ્યો છે. ઊંચી વસ્તીના કદને કારણે મુખ્યપ્રધાન પસંદ કરવામાં અથવા અન્ય રાજકીય માગણીઓ કરવા બંનેમાં કાશ્મીરનો હંમેશા હાથ હતો. જમ્મુ પ્રદેશને ઉધમપુર, કઠુઆ, સાંભા, રાજૌરી, ડોડા અને કિશ્તવાડમાં 6-6 બેઠકો ફાળવવામાં આવી છે. તે દરમિયાન કાશ્મીરના કુપવાડા જિલ્લાને એક બેઠક ફાળવવામાં આવી છે. કમિશનની ભલામણો લાગુ થયા બાદ જમ્મુ ક્ષેત્રમાં કુલ 43 બેઠકો હશે. જ્યારે કાશ્મીરમાં કુપવાડા બેઠક ઉપરાંત 47 બેઠકો હશે.

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ

તે દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળ જમ્મુમાં આવેલા પક્ષો માટે વધુ રાજકીય ફેરફારો સાથે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીની તૈયારીઓ (Elections in Jammu and Kashmir) પહેલેથી જ શરૂ થઈ ગઈ છે. જમ્મુના કઠુઆ, ઉધમપુર અને સાંભામાં 85 ટકા હિન્દુ વસ્તી છે. જ્યારે અન્ય ત્રણ જિલ્લાઓમાં 35 અને 45 ટકા હિન્દુ વસ્તી છે, જેનો સૌથી વધુ ફાયદો ભાજપને થશે. ચૂંટણીના ભાગોને ફરીથી દોરવા માટે પંચે જે પરિમાણો પસંદ કર્યા છે. તે મુશ્કેલ પ્રદેશ ન હોવાના કારણે કાશ્મીર તરફ સંતુલનને કોઈ પણ રીતે નમશે નહીં.

કાશ્મીરના મોટા ભાગના જિલ્લાઓ ખીણમાં આવે છે. જ્યારે સપાટ વિસ્તારો વિશાળ પર્વતમાળાઓથી ઘેરાયેલા છે. જમ્મુ પ્રદેશના મત વિસ્તાર પર્વતીય પ્રદેશો પર છે અને ભાગ્યે જ કોઈ સપાટ વિસ્તાર ધરાવે છે. પરિણામે વસ્તી ઓછી છે.

જમ્મુ-કાશ્મીરે વિશેષ દરજ્જો ગુમાવ્યા પછી કમિશનની રચના કરાઈ હતી

વર્ષ 2002 અને વર્ષ 2008માં જમ્મુ અને કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં સંસદીય અને વિધાનસભા મત વિસ્તારોની સીમાઓ ફરીથી દોરવામાં આવી હતી. કારણ કે, તેને વિશેષ દરજ્જો મળ્યો હતો. પ્રદેશે વિશેષ દરજ્જો ગુમાવ્યા પછી કમિશનની રચના કરવામાં આવી હતી, મુખ્યત્વે બે પ્રદેશો વચ્ચે સમાનતા જાળવવાનો ઉદ્દેશ હતો, પરંતુ સૂચિત ભલામણોએ પક્ષોમાંથી પણ ભમર ખેંચ્યા છે, જેમને કાશ્મીર પ્રદેશમાં કેન્દ્રના સમર્થકો તરીકે જોવામાં આવે છે, જેમ કે, અપની પાર્ટી, પીપલ્સ કોન્ફરન્સ વગેરે.

જમ્મુને કાશ્મીરના કારણે ફાયદો થાય છે

પીડિત પક્ષો માને છે કે, કાશ્મીર સામે જમ્મુને વધુ બેઠકો આપવાની દરખાસ્ત કરતો ડ્રાફ્ટ (Draft Boundary Plan Political Party Reaction) એક અસમાનતા દર્શાવે છે, જે 2 પ્રદેશો વચ્ચેના વિભાજનને વધુ વિસ્તૃત કરી શકે છે. પંચે સંબંધિત સભ્યો સાથે ડ્રાફ્ટ શેર કર્યા પછી તરત જ કાશ્મીર સ્થિત પક્ષોએ તેમની નારાજગી દર્શાવી છે. તેઓએ સૂચિત ડ્રાફ્ટને (Draft Boundary Plan Political Party Reaction) સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો પણ સંકેત આપ્યો હતો, જ્યાં કલમ- 370 માટેનો કેસ આગામી સુનાવણી માટે પેન્ડિંગ છે.

અહીંની વસતી હંમેશા બદલાતી રહે છે

સૂચિત સીમાંકન પછી વસ્તીના કદને જોતાં જમ્મુમાં આવતા મત વિસ્તારોમાં 1.25 લાખ મતદારોની સરખામણીએ કાશ્મીરના મત વિસ્તારોમાં 1.5 લાખ મતદારો છે. અવિરતપણે થતા જન્મ અને મૃત્યુની સંખ્યા સાથે વસ્તી બદલાતી રહે છે. તેથી બંધારણની કલમ- 81 દરેક મતદાર ક્ષેત્રની વસ્તી અને સમગ્ર રાષ્ટ્રમાં સંબંધિત રાજ્યોમાં તેમને ફાળવવામાં આવેલી બેઠકોની સંખ્યા વચ્ચે તર્કસંગત સંતુલન બનાવવા માટે હસ્તક્ષેપ કરે છે. આ લેખ હવે વસ્તીના આધારે મત વિસ્તારો વચ્ચેનો ગુણોત્તર જાળવી રાખીને કોઈ પણ અસમાનતાને મંજૂરી આપે છે. 56 ટકાના વસ્તી ગુણોત્તર સાથે કાશ્મીરમાં 46 બેઠકો હશે, જે તેને વિધાનસભાની 52 ટકા બેઠકો બનાવશે. તે દરમિયાન જમ્મુની વસ્તીના હિસ્સાના 43 ટકા અને વિધાનસભામાં 47 ટકા બેઠક શેર સાથે 37 બેઠકો હશે.

કાશ્મીર રાજ્યોમાં વિધાનસભાની 111 બેઠક હતી, જેમાંથી 4 લદ્દાખને ફાળવાઈ

આ અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં કુલ 111 વિધાનસભા બેઠકો હતી, જેમાં 4 લદ્દાખને ફાળવવામાં આવી હતી. આમ, જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ સાથે 107 બેઠકો છોડી દેવામાં આવી હતી. તો 24 બેઠકો પાકિસ્તાનના કબજામાં રહેલા અપ્રતિનિધિત્વ વિનાના પ્રદેશો માટે આરક્ષિત હતી, જે સ્થાનિક રીતે POK (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર) કહેવાય છે.

ડ્રાફ્ટ પ્લાનમાં અનુસૂચિત જાતિને પ્રતિનિધિત્વ મળ્યું છે

જમ્મુ અને કાશ્મીરમાં વર્ષ 1995 સુધી માત્ર 12 જિલ્લા હતા અને તે 1994-95માં સીમાંકન કવાયત પછી વર્ષ 1991ની વસ્તી ગણતરીના આધારે અગાઉના રાજ્યની સીમાઓ ફરી હતી અને અગાઉના રાજ્યની સીમાઓ ફરી હતી અને વધીને 20 જિલ્લાઓ થઈ હતી. તો વર્ષ 2019માં કલમ- 370 વાંચવામાં આવે તે પહેલા અનુસૂચિત જનજાતિ માટે 7 બેઠકો અનામત હતી અને અનુસૂચિત જાતિ માટે કોઈ બેઠકો ન હતી. જોકે, સીમાંકન પંચ 2021 એ અનુસૂચિત જાતિ માટે 9 બેઠકોની જોગવાઈ મૂકી છે, જેનો મોટા ભાગે ફાયદો જમ્મુને થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.