ETV Bharat / bharat

Corona Update: 40,134 નવા કેસ, 24 કલાકમાં 422 મોત

author img

By

Published : Aug 2, 2021, 12:38 PM IST

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 40,134 નવા કેસ નોંધાયા છે અને સંક્રમણને કારણે 422 મૃત્યુ થયા છે. દેશમાં કોરોના વાઇરસનો રિકવરી રેટ હવે 97.35 ટકા છે અને દૈનિક સકારાત્મકતા દર 2.81 ટકા છે.

Corona Update
Corona Update

  • કોરોના વાઈરસ સંક્રમણના 40,134 નવા કેસ નોંધાયા
  • દેશમાં કોરોનાના કુલ કેસો વધીને 3,16,95,958 થયા
  • છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઈરસની 17,06,598 રસીઓ અપાઈ

નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઈરસ સંક્રમણના 40,134 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર આ સમયગાળા દરમિયાન દેશમાં 422 લોકો સંક્રમણથી મૃત્યુ પામ્યા છે. દેશમાં કોરોનાના કુલ કેસો વધીને 3,16,95,958 થયા છે અને કુલ મૃત્યુ 4,24,773 છે. સક્રિય કેસ 4,13,718 છે.

રસીકરણની કુલ સંખ્યા 47,22,23,639 પર પહોંચી ગઈ

સોમવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઈરસની 17,06,598 રસીઓ આપવામાં આવી હતી, ત્યારબાદ રસીકરણની કુલ સંખ્યા 47,22,23,639 પર પહોંચી ગઈ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોના વાઈરસનો પુન પ્રાપ્તિ દર હવે 97.35 ટકા છે અને દૈનિક સકારાત્મકતા દર 2.81 ટકા છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજયમાં કોરોનાના 21 પોઝિટીવ કેસ, એક પણ મૃત્યુ નહિં

આ પણ વાંચો: Gujarat Corona Update: 27 નવા કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહિં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.