ETV Bharat / bharat

Gyanvapi ASI Survey : જ્ઞાનવાપી પરિસરમાં હવે દરરોજ માત્ર પાંચ કલાક જ સર્વે થશે,જાણો શા માટે...

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2023, 2:55 PM IST

વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલના ASI ની ટીમ 4 ઓગસ્ટથી સર્વેમાં વ્યસ્ત છે. અત્યાર સુધી સર્વેની કામગીરી સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી થતી હતી. પરંતુ 19 ઓક્ટોબર ગુરુવારથી ASI ની ટીમે સર્વેનો સમય ઘટાડી દીધો છે. હવે સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી જ સર્વે થશે. ASI દ્વારા સમયમાં ફેરફાર કરવાનું કારણ જણાવવામાં આવ્યું છે.

Gyanvapi ASI Survey
Gyanvapi ASI Survey

ઉત્તરપ્રદેશ : વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલના ASI ની ટીમ 4 ઓગસ્ટથી સર્વેનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ASI ટીમે હવે સર્વે કાર્ય માટેનો સમય ઘટાડી દીધો છે. આ માત્ર એટલા માટે છે કારણ કે ASI ની ટીમ હવે રિપોર્ટ તૈયાર કરવામાં વ્યસ્ત છે. ASI ટીમ હવે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી સર્વેની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. તેથી હવે સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી જ સર્વે કરવામાં આવશે.

જ્ઞાનવાપી સર્વે : જિલ્લા ન્યાયાધીશ ડો. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે 21 જુલાઈના રોજ જ્ઞાનવાપી પરિસરમાં સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ 24 જુલાઈથી સર્વેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 24 જુલાઈના રોજ પ્રથમ દિવસે બપોરે 12 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી જ સર્વે થઈ શક્યો હતો. ત્યાર પછી કામ અટકી ગયું હતું. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ બાદ 4 ઓગસ્ટથી જ્ઞાનવાપી કેમ્પસમાં ફરી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારથી આ સર્વે કાર્ય સતત ચાલી રહ્યું છે.

સર્વ કાર્યનો સમય : સૌથી મોટી વાત એ છે કે ત્યારથી અત્યાર લઈને અત્યાર સુધીમાં ASI ની ટીમે કોર્ટ પાસે બે વખત સર્વેની પ્રક્રિયાનો સમય વધારવાની માંગ કરી હતી. કોર્ટે ત્યારબાદ સમય લંબાવ્યો છે. જ્યારે પ્રથમ વખત આઠ અઠવાડિયાનો સમય માંગવામાં આવ્યો ત્યારે ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારે ફરી એકવાર ASI ની ટીમે ચાર અઠવાડિયાનો સમય માંગ્યો છે. 6 ઓક્ટોબરે કોર્ટે દ્વારા ASI ટીમને રિપોર્ટ જમા કરાવવા કહેવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલા ASI ટીમે ચાર અઠવાડિયાનો વધારાનો સમય માંગ્યો છે.

ASI ટીમ રિપોર્ટ તૈયાર કરશે : ત્યારબાદ હવે ASI ટીમ પોતાનું સર્વ કાર્ય ધીમે ધીમે સવારે 8 વાગ્યાથી બપોરના 12:00 વાગ્યાના બદલે સવારે 8 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી કરી રહી છે. આજે 19 ઓક્ટોબરના રોજ આ સમય સુધીમાં સર્વેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ સર્વેક્ષણ ટીમ પુરાવા એકત્રિત કરવાનું અને ત્યાં હાજર તત્વોના આધારે રિપોર્ટ તૈયાર કરવાનું કામ કરશે.

  1. Gyanvapi ASI Survey: જ્ઞાનવાપી કેમ્પસ સર્વે મામલે ASI આ ટેકનિકથી ખોલશે ભોંયરાના રહસ્ય, જાણો
  2. Gyanvapi Shringar Gauri Case: જ્ઞાનવાપીનો ASI સર્વે ચોથા દિવસે એટલે કે રવિવારે યથાવત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.