ગુજરાત કેડરના IPS અધિકારી વી ચંદ્રશેખરને મંગળવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)માં જોઈન્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કર્મચારી મંત્રાલયના આદેશ અનુસાર, 2000 બેચના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી ચંદ્રશેખરે કેન્દ્રીય તપાસ એજન્સીમાં પોલીસ અધિક્ષક અને ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ તરીકે પણ સેવા આપી હતી. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ પાંચ વર્ષના સમયગાળા માટે સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટરના પદ પર નિમણૂકને મંજૂરી આપી છે.
V Chandrasekhar: ગુજરાત કેડરના IPS વી ચંદ્રશેખરને CBIના જોઈન્ટ ડાયરેક્ટર પદે નિમણૂક
Published : Nov 8, 2023, 7:17 AM IST
કેબિનેટની નિમણૂક સમિતિએ પાંચ વર્ષના સમયગાળા માટે સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટરના પદ પર વી ચંદ્રશેખરની નિમણૂકને મંજૂરી આપી છે.
ગુજરાત કેડરના IPS અધિકારી વી ચંદ્રશેખરને મંગળવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)માં જોઈન્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કર્મચારી મંત્રાલયના આદેશ અનુસાર, 2000 બેચના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી ચંદ્રશેખરે કેન્દ્રીય તપાસ એજન્સીમાં પોલીસ અધિક્ષક અને ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ તરીકે પણ સેવા આપી હતી. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ પાંચ વર્ષના સમયગાળા માટે સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટરના પદ પર નિમણૂકને મંજૂરી આપી છે.