ETV Bharat / bharat

મુંબઈમાં BJYM કાર્યકરો સાથે ઘર્ષણ બાદ શિવસેનાના 7 સભ્યો સામે FIR

author img

By

Published : Jun 17, 2021, 8:43 AM IST

મુંબઈમાં બીજેવાયએમ કાર્યકરો સાથે ઘર્ષણ થયા પછી મુંબઇ પોલીસે શિવસેનાના સાત નેતાઓ અને કાર્યકરો વિરુદ્ધ FIR દાખલ કરી હતી. બુધવારે BJYMના કાર્યકરોએ અયોધ્યામાં રામ મંદિર માટેના જમીન સોદાના કથિત કૌભાંડ અંગે શિવસેનાની ટીકા અંગે દાદરમાં શિવસેના ભવનની બહાર વિરોધ દર્શાવ્યો હતો.

મુંબઈમાં BJYM કાર્યકરો સાથે ઘર્ષણ બાદ શિવસેનાના 7 સભ્યો સામે FIR
મુંબઈમાં BJYM કાર્યકરો સાથે ઘર્ષણ બાદ શિવસેનાના 7 સભ્યો સામે FIR

  • મુંબઈમાં BJYM કાર્યકરો અને ઘર્ષણ બાદ શિવસેનાના 7 સભ્યો સામે FIR
  • અયોધ્યામાં રામ મંદિર માટેના જમીન સોદાના કથિત કૌભાંડ અંગે ઝઘડો
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવા પત્ર જાહેર કર્યો

મુંબઈઃ મુંબઈ પોલીસે બુધવારે દાદરમાં મુખ્યાલયની બહાર ભારતીય જનતા યુવા મોરચા (બીજેવાયએમ) અને શિવસેનાના કાર્યકરો વચ્ચે થયેલી ઝઘડા મામલે શિવસેનાના સાત નેતાઓ અને કાર્યકરો વિરુદ્ધ FIR નોંધી છે.

શિવસેનાના 7 કાર્યકરો વિરુદ્ધ FIR

“માહીમ પોલીસે બીજેવાયએમ કાર્યકરો અને શિવસેના વચ્ચેના ઝઘડા મામલે શિવસેનાના સાત નેતાઓ / કાર્યકરો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. ભારતીય દંડ સંહિતાની કલમ 141, 143, 147, 149, 392, 324, 323, 354 અને 509 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

પોલીસેનું નિવેદન

બુધવારે બીજેવાયએમ કાર્યકરોએ અયોધ્યામાં રામ મંદિર માટેના જમીન સોદાના કથિત કૌભાંડ અંગે શિવસેનાની ટીકા અંગે દાદરમાં શિવસેના ભવનની બહાર વિરોધ દર્શાવ્યો હતો, જેના પગલે બંને પક્ષોના સભ્યો અથડામણ થઈ હતી.

આ પણ વાંચોઃ શિવસેનાના નેતાએ સંજય રાઉતે કહ્યું, મહારાષ્ટ્રમાં કાયદો ટોચ પર છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવા પત્ર જાહેર કર્યો

આ ઘટના બાદ પોલીસે ઓછામાં ઓછા 40 બીજેવાયએમ કાર્યકરોની અટકાયત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવા સંપાદકીય પત્ર જાહેર કર્યા બાદ મંગળવારે ભાજપના યુવા સંગઠને દાદરમાં શિવસેના મુખ્ય મથક અને શિવસેના ભવનની બહાર વિરોધ કૂચ કરવાની હાકલ કરી હતી.

શિવસેનાના મુખપત્ર સામનાએ વડા પ્રધાનને એ ખાતરી કરવા કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ "કૌભાંડથી દોષિત ન થાય" કેમ કે તે "રાષ્ટ્રીય ગૌરવની વાત છે".

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.