ETV Bharat / bharat

ખેડૂતોને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ તેઓ અનિશ્ચિત સમય સુધી રસ્તા રોકી શકતા નથી: SC

author img

By

Published : Oct 21, 2021, 4:29 PM IST

ખેડૂતોને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ તેઓ અનિશ્ચિત સમય સુધી રસ્તા રોકી શકતા નથી: SC
ખેડૂતોને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ તેઓ અનિશ્ચિત સમય સુધી રસ્તા રોકી શકતા નથી: SC

સુપ્રીમ કોર્ટ(Supreme Court) નોઈડાની રહેવાસી મોનિકા અગ્રવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમણે કહ્યું હતું કે, ખેડૂતોના આંદોલન(Peasant movement)ને કારણે રસ્તા(Roads) રોકો આંદોલનને મુશ્કેલ બનાવે છે.

  • ખેડૂતોને કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કરવાનો અધિકાર છેઃ સુપ્રીમ કોર્ટે
  • સુપ્રીમ કોર્ટે કહ્યું કો, કૃષિ આંદોલન કારી રસ્તાઓ રોકી શકતા નથી
  • 7 ડિસેમ્બરે આ મામલાની સુનાવણી માટે સૂચિબદ્ધ કરી

દિલ્હી: સુપ્રીમ કોર્ટે(Supreme Court) ગુરુવારે કહ્યું કે, દિલ્હીની સરહદોBorders of Delhi પર વિરોધ કરી રહેલા ખેડૂતોને કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ(Opposition to agricultural law) કરવાનો અધિકાર છે, પરંતુ તેઓ અનિશ્ચિત સમય સુધી રસ્તાઓ(Roads) રોકી શકતા નથી. જસ્ટિસ એસ.એસ. કૌલ અને જસ્ટિસ એમ.એમ.સુંદરેશની ખંડપીઠે જણાવ્યું હતું કે, પડકાર કાયદાકીય રીતે પેન્ડિંગ હોવા છતાં કોર્ટ વિરોધ કરવાના અધિકારની વિરુદ્ધ નથી પરંતુ આખરે ઉકેલ શોધવો પડશે.

લોકોને રસ્તા પર ઉતરવાનો અધિકાર છેઃ બેન્ચ

બેન્ચે કહ્યું, ખેડૂતોને વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ તેઓ અનિશ્ચિત સમય સુધી રસ્તો રોકી શકતા નથી. તમે ઇચ્છો તે રીતે વિરોધ કરી શકો છો. પરંતુ તમે આ રીતે રસ્તા રોકી શકતા નથી. લોકોને રસ્તા પર ઉતરવાનો અધિકાર છે. પરંતુ તેઓ તેને રોકી શકતા નથી. સુપ્રીમ કોર્ટે ખેડૂત સંગઠનોને ત્રણ સપ્તાહની અંદર આ મુદ્દે પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને 7 ડિસેમ્બરે આ મામલાની સુનાવણી માટે સૂચિબદ્ધ કરી હતી.

ખેડૂતોના આંદોલનને કારણે રસ્તા રોકો આંદોલનને મુશ્કેલ બનાવે

ગુરુવારે સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પ્રજાસત્તાક દિન(Republic Day)ની હિંસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન ખેડૂતોના સંગઠનોએ હિંસા નહીં કરવાનું વચન આપ્યા બાદ આવું થયું હતું. સુપ્રીમ કોર્ટ નોઈડાની રહેવાસી મોનિકા અગ્રવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમણે કહ્યું હતું કે ખેડૂતોના આંદોલનને કારણે રસ્તા રોકો આંદોલનને મુશ્કેલ બનાવે છે.

સુપ્રીમ કોર્ટે 43 ખેડૂત સંગઠનોને એક અરજી પર જવાબ માંગ્યો હતો

અગાઉ, 4 ઓક્ટોબરના રોજ, સુપ્રીમ કોર્ટે 43 ખેડૂત સંગઠનો અને તેમના નેતાઓ, જેમ કે રાકેશ ટીકૈત, દર્શન પાલ અને ગુરનમ સિંહ, જે દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા હતા. તે બાબતે અદાલતે હરિયાણા સરકાર પાસેથી એક અરજી પર જવાબ માંગ્યો હતો. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ખેડૂત નેતાઓ(Farmer leaders) તેની સમિતિ સાથે વાતચીત કરી રહ્યા નથી જેથી અહીંના રસ્તાઓ પરના અવરોધને દૂર કરી શકાય.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટના 9 નવા ન્યાયાધીશોએ પદના શપથ ગ્રહણ કર્યા

આ પણ વાંચોઃ ધર્મસ્વતંત્રતા સુધારણા એકટની કલમો ઉપર સ્ટે મૂકાતાં રાજ્ય સરકાર હવે Supreme Court ના શરણે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.