ETV Bharat / bharat

Home Loan Scheme: કેન્દ્ર સરકાર સત્વરે હોમ લોનના વ્યાજમાં છુટ આપતી યોજના શરૂ કરશેઃ હરદીપ પુરી

author img

By ANI

Published : Sep 29, 2023, 9:56 PM IST

કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ પ્રધાન હરદીપ સિંહ પુરીએ એક મીડિયા બ્રિફિંગ દરમિયાન એક ગૃહ યોજના વિશે જણાવ્યું હતું.જેમાં હોમ લોનનું વ્યાજ ઘટવાનો લાભ મળશે. તેમણે ક્રુડ ઓઈલની કિંમતો પર પણ ચર્ચા કરી. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક

કેન્દ્ર સરકાર સત્વરે હોમ લોનના વ્યાજમાં છુટ આપતી યોજના શરૂ કરશે
કેન્દ્ર સરકાર સત્વરે હોમ લોનના વ્યાજમાં છુટ આપતી યોજના શરૂ કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ પ્રધાન હરદીપ સિંહ પુરીએ શુક્રવારે હોમ લોનનું વ્યાજ ઓછુ થવાના સંકેત આપ્યા છે. હરદીપ સિંહે જણાવ્યું કે કેન્દ્ર સરકાર સત્વરે હોમ લોનના વ્યાજમાં છુટ આપતી યોજના શરૂ કરશે. એક મીડિયા બ્રીફિંગમાં હરદીપ સિંહે જણાવ્યું કે અમે આ યોજનાનું અંતિમ સ્વરૂપ લઈને આપની સમક્ષ આવીશું. આ એક અગત્યની ગૃહ યોજના હશે જે લોનના વ્યાજમાં છુટછાટ આપશે.

  • #WATCH | Delhi: "Worldwide the prices went up around India by 70-80%, in North America by 40-50%, India prices came down by 5% that's because of the decisive steps PM Modi has taken...High oil prices at this point in time are not only endangering recovery but are actually… pic.twitter.com/v3EbzCn7Zx

    — ANI (@ANI) September 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

લોનના વ્યાજમાં મળશે સહાયતાઃ 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસે વડાપ્રધાને આપેલા ભાષણમાં આ યોજનાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં શહેરમાં રહેતા આવાસથી વંચિત લોકોને લાભ થશે. આ યોજનાના લાભાર્થીઓમાં ખાસ કરીને ઝુંપડી, ભાડાના મકાનો, ચાલ અને ગેરકાયદેસર કોલોનીમાં રહેતા લોકોનો સમાવેશ કરવામાં આવશે. આર્થિક રીતે નબળા વર્ગના લોકો ઘર બનાવવા માંગતા હોય તો સરકાર બેન્કમાંથી લોન લેવામાં અને વ્યાજ ઓછુ કરાવવામાં મદદરૂપ બનશે.

ક્રુડ ઓઈલના વધતા ભાવઃ હરદીપ સિંહે સમગ્ર વિશ્વમાં ક્રુડ ઓઈલના વધતા ભાવો પર ચિંતા વ્યક્ત કરી હતી. અત્યારે ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ 96 અમેરિકન ડોલર સુધી પહોંચી ગયું છે.જેનાથી પેટ્રોલ અને ડીઝલ બંનેમાં રિકવરી ઘટી ગઈ છે. હું હંમેશા ઓઈલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મારા મિત્રો સાથે વાત કરુ છું ત્યારે વડાપ્રધાન મોદીએ લીધેલા નિર્ણયોની ચર્ચા થાય છે. ભારતે બે પ્રસંગે ઈંધણના ભાવ ઘટાડ્યા છે.

ભાજપ શાસિત રાજ્યોની કાર્યપદ્ધતિઃ કેન્દ્રીય પ્રધાન પુરીએ ઊર્જા સ્ત્રોતોની કિંમત વધુ રાખવા બદલ ભાજપ શાસિત સિવાયના રાજ્યોની ટીકા કરી હતી. ભાજપ શાસિત રાજ્યો અને તેના સિવાયના રાજ્યોમાં ઈંધણના ભાવમાં 11.80 રૂપિયા સુધી ફરક છે. ભારત સરકાર ઉત્પાદન શુલ્ક ઓછું કરે અને ભાજપા શાસિત રાજ્ય વેટ ઓછો કરે છે જ્યારે આ સિવાયના રાજ્યો આ મુદ્દે કોઈ પગલું ભરતા નથી. તેથી આ અસમાનતા ઊભી થઈ છે. (ANI)

  1. Women's Reservation Bill: મહિલા આરક્ષણ વિધેયકને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ આપી મંજૂરી, સરકારે જાહેર કરી ગેજેટ અધિસૂચના
  2. PM Modi Gujarat Visit : 21મી સદી પછી ગુજરાત ફાયનાન્શિયલ હબ બન્યું, આગળનાં 20 વર્ષ વધુ મહત્ત્વનાં: PM મોદી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.