લખનઉઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે બુધવારથી પાન-મસાલા, ગુટખાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે. જેનાથી કોરોના વાઈરસ સામેની લડતને બળ મળશે.
આ પ્રતિબંધ સમગ્ર દેશમાં લૉકડાઉન કરાયુ તેના પહેલા દિવસે મુકાયું છે. જે અનિશ્નિતકાળ માટે રહેશે. જ્યાં સુધી બીજો નિર્ણય ન લેવાઈ ત્યાં સુધી આ પ્રતિબંધ યથાવત રહેશે તેવું સરકાર દ્વારા જણાવાયુ છે.
જાહેરમાં થુંકવાથી કોરોના વાઈરસ ફેલાઈ શકે છે. જેથી આ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે.