આ દિવાલ પર દેશની ઉપલ્બ્ધિઓની સાથે સામાજિક સંદેશ અને સામાજિક કુરિવાજો નષ્ટ કરવાની આકર્ષક તસ્વીરો દોરાઈ છે. આ ઉપરાંત સામાન્ય જીવનમાં સ્વચ્છતાનું સ્થાન વધે તે માટે સંદેશો અપાયો છે. પર્યાવરણ સંરક્ષણથી માંડી ઈસરોની ઉપ્લબ્ધિઓ પણ આ દિવાલ પર ચિતરાઈ છે.
વળી, આ દિવાલ પર સ્વામી વિવેકાનંદ અને ભગતસિંહને પણ સ્થાન અપાયું છે. વળી, બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાનને વિશેષ રીતે રજૂ કરાયું છે, ઉપરાંત કાશ્મીરના લાલ ચૌકને પણ ત્રિરંગા સાથે દર્શાવાયો છે. જે દેશભક્તિ માટેનું નિશાન છે. સામાન્ય ભારતવાસી પોતાના મતાધિકારનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભાવતો હોવાની પણ દ્રષ્ટિ અહીં ચિત્ર સ્વરૂપે રજૂ કરાઈ છે.
20 દિવસ પહેલા આ દિવાલ પર ચિત્રકામ શરૂ થયું હતુ. જે હવે પૂર્ણતાની આરે છે. આ વચ્ચે જ યુવાનોમાં દિવાલની પાસે સેલ્ફી લેવાનો ક્રેઝ શરૂ થઈ ગયો છે. પરંતુ એક સત્ય હકીકત એ છે કે ટેકનોલોજીના યુગમાં ખોવાયેલા યુવાનો ક્રેઝના ભાગરૂપે તથા ટ્રેન્ડ મુજબ વર્તન કરે છે, જો તેઓ આ દિવાલ પર દર્શાવેલા તમામ ચિત્રોમાં રહેલો મેસેજ પોતાના સ્વભાવમા ઉતારે તો ઘણી ખમ્મા..