ETV Bharat / bharat

કોંગ્રેસના 'જ્યોતિ' ભાજપમાં, કહ્યું- કોંગ્રેસમાં વાસ્તવિકતાનો અસ્વીકાર, નવી વિચારધારા અને આગેવાનીનો અભાવ

author img

By

Published : Mar 11, 2020, 2:36 PM IST

Updated : Mar 11, 2020, 4:55 PM IST

મધ્ય પ્રદેશના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઈ ગયાં છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની હાજરીમાં ભાજપ કાર્યાલયમાં સિંધિયાએ ભગવો ધારણ કરી દીધો છે.

કોંગ્રેસના 'જ્યોતિ' ભાજપમાં, 18 વર્ષ બાદ પિતાના રસ્તે સિંધિયા
કોંગ્રેસના 'જ્યોતિ' ભાજપમાં, 18 વર્ષ બાદ પિતાના રસ્તે સિંધિયા

નવી દિલ્હી: ભાજપમાં સામેલ થતા સિંધિયાએ કહ્યું કે, PM મોદી, ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર. તેમણે મને પોતાના પરિવારમાં સ્થાન આપ્યું છે. સિંધિયાએ કહ્યું કે, મારા માટે બે તારીખ મહત્વની છે. એક 30 સપ્ટેમ્બર 2001 જે દિવસે મારા પિતાનું અવસાન થયું હતું. જે દિવસ મારુ જીવન બદલનારો હતો. બીજી તારીખ 10 માર્ચ 2020 આ દિવસે મે મોટો નિર્ણય લીધો છે.

સિંધિયાએ કહ્યું કે, આજે હું દુખી અને વ્યથિત છું. જે કોંગ્રેસ પાર્ટી પહેલ જેવી નથી રહી, તેના ત્રણ મુખ્ય બિંદુઓ છે. પ્રથમ વાસ્તવિકતાનો ઈનકાર કરવો, નવી વિચારધારા અને આગેવાનીને માન્યતા ના આપવી. 2018માં જ્યારે મધ્ય પ્રદેશમાં સરકાર બની ત્યારે એક સપનું હતું, જે તૂટી ગયું છે, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકારે પૂર્ણ નથી કર્યું. કોંગ્રેસમાં રહીને જનસેવા ના કરી શકાય.

મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાની વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ છોડ્યાના 27 કલાક બાદ સિંધિયા ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયા બાદ સિંધિયાએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી આજે એવી નથી રહી જેવી પહેલા હતી.

મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યાં બાદ રાજકારણ ગરમાયું હતું. સિંધિયાએ કોંગ્રેસના હાથ છોડ્યા બાદ કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. મંગળવારે સિંધિયાએ PM મોદી અને અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો.

Last Updated : Mar 11, 2020, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.