બેંગલુરુ: પૂર્વ અંડરવર્લ્ડ ડોન અને જય કર્ણાટકના સ્થાપક મુથપ્પા રાયનું શુક્રવાર વહેલી સવારે કેન્સરના કારણે નિધન થયું છે.
લાંબા સમય સુધી કેન્સર સામે લડ્યા બાદ શુક્રવાર સવારે મુથપ્પા રાયનું અવસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, બુધવારે મુથપ્પા રાયની તબિયત બગડી હતી. મુથ્પ્પા રાયને યકૃતના કેન્સરની સારવાર દરમિયાન બ્રેઇન કેન્સર હોવાનું પણ નિદાન થયું હતું.