ETV Bharat / bharat

કોવિડને પગલે સબસિડી બિલમાં 160નો ધરખમ વધારો

author img

By

Published : Feb 1, 2021, 8:25 PM IST

અત્યંત ચેપી કોરોનાવાઇરસને સમુદાયમાં પ્રસરતો અટકાવવા માટે ત્રણ મહિના સુધી દેશભરમાં સંપૂર્ણપણે લોકડાઉનને પગલે આ વર્ષે કેન્દ્રના સબસિડી બિલમાં A 160 ટકાનો નોંધપાત્ર વધારો થયો હતો, કારણ કે દેશની બે-તૃત્યાંશ વસ્તીને ભોજન અને ઇંધણ ક્ષેત્રે રાહત આપીને અને સાથે જ કેટલીક રોકડ રકમ આપીને તેમને સહાય પૂરી પાડવી જરૂરી હતી, તેમ નાણાં મંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરવામાં આવેલા અંદાજપત્રમાં જણાવવામાં આવ્યું હતું.

કોવિડને પગલે સબસિડી બિલમાં 160નો ધરખમ વધારો
કોવિડને પગલે સબસિડી બિલમાં 160નો ધરખમ વધારો

અત્યંત ચેપી કોરોનાવાઇરસને સમુદાયમાં પ્રસરતો અટકાવવા માટે ત્રણ મહિના સુધી દેશભરમાં સંપૂર્ણપણે લોકડાઉનને પગલે આ વર્ષે કેન્દ્રના સબસિડી બિલમાં A 160 ટકાનો નોંધપાત્ર વધારો થયો હતો, કારણ કે દેશની બે-તૃત્યાંશ વસ્તીને ભોજન અને ઇંધણ ક્ષેત્રે રાહત આપીને અને સાથે જ કેટલીક રોકડ રકમ આપીને તેમને સહાય પૂરી પાડવી જરૂરી હતી, તેમ નાણાં મંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરવામાં આવેલા અંદાજપત્રમાં જણાવવામાં આવ્યું હતું.

સંસદમાં આપવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, નાણાંકીય વર્ષ 2019-20માં આહાર, ઇંધણ અને ફર્ટિલાઇઝર પરનું કેન્દ્ર સરકારનું સબસિડી બિલ રૂ. ૨.૨૮ લાખ કરોડ હતું.

ગયા વર્ષે બજેટ રજૂ કરવા દરમિયાન નિર્મલા સીતારમને વ્યક્તિગત ક્ષેત્રે નજીવા ફેરફારો સાથે સમાન રેન્જમાં સબસિડી બિલનો અંદાજ આંક્યો હતો.

જોકે, કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન અને તેને પગલે આવેલી મુશ્કેલીઓને કારણે કેન્દ્ર સરકારને તેના પ્રારંભિક અંદાજ કરતાં 2.6 ગણા વધુ નાણાં આહાર, ઇંધણ અને ફર્ટિલાઇઝર પાછળ ખર્ચવાની ફરજ પડી હતી.

લોકસભામાં સોમવારે નાણાં પ્રધાન દ્વારા આપવામાં આવેલા સુધારાયુક્ત અંદાજ અનુસાર, સરકારનું સબસિડી બિલ ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. According to the Rs 5.59 લાખ કરોડ જેટલું ઓલટાઇમ હાઇ રહે, તેવી શક્યતા છે.

આ માટે આહાર બિલમાં થયેલો નોંધપાત્ર વધારો જવાબદાર છે, કારણ કે સરકારનું ખાદ્ય સુરક્ષા બિલ રૂ. 1.15 લાખ કરોડથી વધીને રૂ. 4.22 લાખ કરોડને પાર થઇ ગયું હતું. આમ, બજેટના અંદાજ કરતાં તેમાં 267 ટકાનો ઊછાળો નોંધાયો હતો.

ફર્ટિલાઇઝર સબસિડી બિલ પણ રૂ. 71,000 કરોડ કરતાં વધુના બજેટ અંદાજથી વધીને 89 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1.34 લાખ કરોડ થયું હતું.

એકમાત્ર ઘટાડો પેટ્રોલિયમ સબસિડી બિલમાં જોવા મળ્યો હતો, જે રૂ. 41,000 કરોડના બજેટ અંદાજથી નજીવો ઘટીને રૂ. 38,790 કરોડ નોંધાયો હતો.

બજેટમાં સબસિડી બિલનું પ્રમાણ 17 ટકા

કેન્દ્ર સરકારનું સબસિડી બિલ રૂ. 5.95 લાખ કરોડનું હોવાનો અંદાજ છે, જે ચાલુ નાણાંકીય વર્ષમાં સરકારના કુલ અંદાજપત્રીય ખર્ચના 17 ટકા કરતાં વધુ છે, જે સુધારા સાથેના અંદાજ અનુસાર રૂ. 34.50 લાખ કરોડ થશે.

નાણાં મંત્રીએ આગામી નાણાંકીય વર્ષમાં સબસિડી બિલ ઘટીને રૂ. 3.35 લાખ કરોડના વ્યવસ્થાપન કરી શકાય, તેવા સ્તરે પહોંચવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો, જે નાણાંકીય વર્ષ 2021-22ના કુલ અંદાજપત્રીય ખર્ચના 9.62 ટકા રહેશે.

- ક્રિષ્નાનંદ ત્રિપાઠી, ETV ભારત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.