ETV Bharat / bharat

પૂરનો પ્રકોપઃ આસામ અને બિહાર પાણી પાણી, લાખો લોકો પ્રભાવિત

author img

By

Published : Aug 7, 2020, 9:28 AM IST

આસામ અને બિહારમાં પૂરની સ્થિતિ યથાવત છે. જેનાથી જન જીવન ખોરવાયું છે. મળતી આંકડાકીય માહિતી મુજબ આસામ રાજ્યમાં પૂરથી અત્યાર સુધીમાં 110 લોકોના મોત થયા છે અને 19 જિલ્લા પૂરથી પ્રભાવિત છે. બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓ જળ સ્તરથી ઉપર વહી રહી છે. અત્યાર સુધીમાં આ વિનાશક પૂરથી 7,89,032 લોકો પ્રભાવિત થયા છે. આ તરફ બિહારમાં પૂરથી અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે, જ્યારે 16 જિલ્લાના 69,03,640 લોકો તેનાથી પ્રભાવિત થયા છે.

Etv Bharat, Gujarati News, Bihar Floods
Bihar Floods

પટનાઃ મોતિહારી ગંડક નદી પર બનેલો તટબંધ ચંપારણની પાસે તૂટતા અનેક પ્રખંડોમાં પૂરથી તબાહી મચી છે. સંગ્રામપુરમાં તાંડવ મચાવ્યા બાદ ગંડકનું પાણી કેસરીયા પ્રખંડમાં ચારે બાજૂ ફેલાયું છે. દુનિયાનો સૌથી ઉંચું બૌદ્ધ સ્તૂપ પણ ગંડકના તાંડવનો સાક્ષી બન્યો છે. બૌદ્ધ સ્તૂપ પરિસરની અંદર અને બહાર પૂરનું પાણી ફેલાયું છે.

જિલ્લાના મુખ્યાલયથી લગભગ 40 કિલોમીટર દૂર બરૌલી પ્રખંડના બભનૌલી ગામ પહોંચ્યા. જ્યાંની સ્થિતિ 'બદ થી બદતર' છે. આ ગામમાં હજારોની આબાદી નિવાસ કરે છે. ગામની ચારે તરફ 3 થી 4 ફૂટ પાણી ભરાયેલા છે.

બિહારમાં પૂરની સ્થિતિ

ડિઝાસ્ટર મેનેજમેન્ટે ગુરૂવારે પ્રાપ્ત માહિતી અનુસાર પૂરથી દરભંગા જિલ્લામાં સૌથી વધુ સાત લોકો, મુઝફ્ફરપુરમાં છ, પશ્ચિમી ચંપારણમાં ચાર તથા સારણ અને સિવાનમાં બે-બે લોકોના મોત થયા છે.

બિહારના 16 જિલ્લા સીતામઢી, શિવહરી, સુપોલ, કિશનગંજ, દરભંગ, મુઝફ્ફરપુર ગોપાલગંજ, પૂર્વી ચંપારણ, પશ્ચિમ ચંપારણ, ખગડિયા, સારણ, સમસ્તીપુર, સિવાન, મધુબની, મધેપુરા તેમજ સહરસા જિલ્લાના 124 પ્રખંડોના 1185 પંચાયતોની 69,317,83 લોકો પ્રભાવિત થયા છે.

જળ સંસાધન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બાગમતી નદી સીતામઢી, મુઝફ્ફરપુર અને દરભંગા, બુઢી ગંડક નદી મુઝફ્ફરપુર, સમસ્તીપુર અને ખગડિયામાં, કમલા બલાન નદી મધુબનીમાં, ગંગા નદી ભાગલપુરમાં, અધવારા નદી સીતામઢીમાં, ખિરોઇ દરભંગામાં અને ઘાઘરા નદી સિવાનમાં બુધવારે ભયના નિશાનથી ઉપર વહી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.