ETV Bharat / bharat

બાબરી વિવાદ: CBIની વિશેષ અદાલતમાં ત્રીજા દિવસે પ્રકાશ શર્માનું નિવેદન

author img

By

Published : Jun 6, 2020, 10:18 PM IST

અયોધ્યામાં બાબરી વિવાદ કેસમાં CBIની વિશેષ અદાલત સમક્ષ પ્રકાશ શર્મા નિવેદન આપવા હાજર થયા હતા.

prakash sharma statement
prakash sharma statement

લખનઉ: અયોધ્યામાં બાબરી વિવાદ કેસમાં CBIની વિશેષ અદાલત સમક્ષ પ્રકાશ શર્મા નિવેદન આપવા હાજર થયા હતા. પ્રકાશ શર્માએ CBI તરફથી તૈયાર કરેલી 1024 સવાલોનો સીઆરપીસીની કલમ 313 અંતર્ગત પોતાનો જવાબ આપ્યો હતો.

CBI કોર્ટમાં નિવેદન આપ્યાં બાદ બહાર નીકળીને પ્રકાશ શર્માએ કહ્યું હતું કે, સમગ્ર સુનાવણી રાજકીય રીતે પ્રેરિત હતી. હવે જ્યારે સુપ્રીમ કોર્ટનો રામ મંદિર નિર્માણ અંગેનો નિર્ણય આવી ગયો છે. આ કિસ્સામાં આ કેસનું કોઈ ઉચિત કારણ નથી. જોકે તેમણે કહ્યું હતું કે, આ મામલો કોર્ટમાં છે, તેથી આ અંગે કંઈ કહેવું યોગ્ય નથી.

આ કેસમાં નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પૂર્વ રાજ્યપાલ કલ્યાણસિંહ સાધ્વી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, વિનય કટિયાર અને અન્ય ઘણા અગ્રણી નેતાઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હજી પૂર્ણ થઈ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.