ETV Bharat / bharat

શરદ પવારના નિવાસ સ્થાને રાષ્ટ્રીય મંચની મળી બેઠક, અનેક વિપક્ષી નેતાઓ રહ્યા હાજર

author img

By

Published : Jun 22, 2021, 3:29 PM IST

Updated : Jun 22, 2021, 7:54 PM IST

શરદ પવાર મંગળવારના રોજ તેમના નિવાસ સ્થાને રાષ્ટ્રીય મંચના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં વિપક્ષના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સોમવારે શરદ પવાર ( Sharad Pawar ) અને પ્રશાંત કિશોર ( Prashant Kishor ) બન્નેએ 2022 ની ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ અને 2024 ની સામાન્ય ચૂંટણીઓ પૂર્વે શાસક પક્ષ ભાજપ સામે રાષ્ટ્રીય ગઠબંધન પર ચર્ચા કરી હતી.

પ્રશાંત કિશોર સાથેની બેઠક બાદ શરદ પવાર આજે કરશે 15 વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે બેઠક
પ્રશાંત કિશોર સાથેની બેઠક બાદ શરદ પવાર આજે કરશે 15 વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે બેઠક

  • શરદ પવારના દિલ્હી ખાતેના નિવાસસ્થાને બેઠક મળી
  • બેઠકમા વિપક્ષી પાર્ટીઓના નેતાઓને રહ્યા ઉપસ્થિત
  • રાષ્ટ્રીય મંચની બેઠક અઢી કલાક ચાલી હતી

નવી દિલ્હી: શરદ પવાર ( Sharad Pawar ) મંગળવારના રોજ સાંજે 4 વાગ્યે તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય મંચના નેતાઓ સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં TMC નેતા યશવંત સિન્હા, ગીતકાર જાવેદ અખ્તર, રાષ્ટ્રીય લોકદળ (RLD) ના અધ્યક્ષ જયંત ચૌધરી, નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા, પૂર્વ જેડીયું નેતા પવન વર્મા, CPI સાંસદ બિર્નોય વિશ્ચમ સહિતના અન્ય નેતાઓ જોડાયા હતા.

રાજકારણના પરિવર્તનમાં ખેડૂતોની મહત્વની ભૂમિકા: જયંત ચૌધરી

બેઠક બાદ TMC નેતા યશવંત સિંહાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય મંચની બેઠક અઢી કલાક ચાલી હતી. આ દરમિયાન, ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તે જ સમયે, RLD પ્રમુખ જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે, બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો, અર્થતંત્ર અને દેશવ્યાપી અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ખેડૂત રાજનીતી હંમેશાં અસરકારક રહી છે, જ્યારે પણ દેશના રાજકારણમાં પરિવર્તન આવ્યું છે ત્યારે ખેડૂતોએ તેમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

બેઠકમાં 15 વિપક્ષી પાર્ટીઓને બોલાવાઈ

મળતી માહિતી મુજબ, બેઠક માટે 15 વિપક્ષી પાર્ટીઓના નેતાઓને બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, કોંગ્રેસના નેતાઓ મનીષ તિવારી અને શત્રુઘ્ન સિંહા પૂર્વ પ્રતિબદ્ધતાઓને કારણે બેઠકમાં ભાગ લે તેવી સંભાવના નથી. જ્યારે, યશવંત સિંહા, જનતા દળ (યુનાઇટેડ) ના પૂર્વ નેતા પવન વર્મા, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, કમ્યુનિસ્ટ પાર્ટી ઇન્ડિયાના ડી રાજા, નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, જસ્ટિસ એ.પી. સિંઘ, જાવેદ અખ્તર, કેટીએસ તુલસી, કરણ થાપર, આશુતોષ, એડવોકેટ મજીદ મેમણ , વંદના ચૌહાણ, પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર એસ.વાય. કુરેશી, કે.સી.સિંઘ, સંજય ઝા, સુધેન્દ્ર કુલકર્ણી, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ કોલિન ગોંસાલ્વેસ, અર્થશાસ્ત્રી અરૂણ કુમાર, સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ઘનશ્યામ તિવારી અને પ્રીતિ નંદી વગેરે બેઠકમાં ભાગ લેશે.

શરદ પવાર સાથે પ્રશાંત કિશોર સાથે થઈ હતી બેઠક

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સોમવારે દિલ્હીમાં મળ્યા હતા. આ ક્લોઝ ડોર મીટિંગ 2 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. માનવામાં આવે છે કે, બન્ને નેતાઓએ 2022ની ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ અને 2024ની સામાન્ય ચૂંટણીઓ પહેલા શાસક ભાજપ સામે રાષ્ટ્રીય ગઠબંધનની ચર્ચા કરી હતી.

વિપક્ષને એક કરી રહ્યા છે પવાર

શરદ પવાર અને પ્રશાંત કિશોરની બેઠક પર NCPના પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યં હતું કે, શરદ પવાર વિપક્ષના તમામ નેતાઓને એક કરવા માટે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત, મલિકે કહ્યું કે, પવાર તમામ વિપક્ષી નેતાઓને એક કરવા માટે કામ કરી રહ્યા છે. આ મુદ્દા પર અગાઉ પણ બેઠક થઈ હતી. બુધવારના રોજ દિલ્હીમાં પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક પણ યોજાનાર છે.

શું છે રાષ્ટ્રીય મંચ ?

રાષ્ટ્રીય મંચની સ્થાપના 2018 માં પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહા દ્વારા કરવામાં આવી હતી. હાલમાં તે TMCના વાઇસ પ્રેસિડેન્ટ છે. વિપક્ષી નેતાઓ ઉપરાંત બિન રાજકીય લોકો પણ આમાં ભાગ લઈ રહ્યા છે. રાષ્ટ્રીય મંચનો હેતુ કેન્દ્ર સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવવાનો છે.

આ પણ વાંચો:

Last Updated : Jun 22, 2021, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.