ETV Bharat / assembly-elections

કોગ્રેસને ભારત જોડો નહી, પહેલા પોતાની પાર્ટીને જોડવા જે પી નડ્ડાની ટકોર

author img

By

Published : Nov 19, 2022, 4:25 PM IST

Updated : Nov 19, 2022, 5:12 PM IST

ભરૂચ અંકલેશ્વરના ગડખોલ પાટિયા ખાતે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જાહેર સભા સંબોધી હતી. આ જાહેરસભામાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રા કાઢનાર કોંગ્રેસે પહેલા તેની પાર્ટીને જોડવાની જરૂર છે એમ કહ્યું હતું. આ સાથે તેમણે મોદીના વિકાસકાર્યોની વાત કરી ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કર્યો હતો.

અંકલેશ્વરમાં જે.પી.નડ્ડાનો ઝાંઝવતી પ્રચાર, કોંગ્રેસને પેહલા પોતાની પાર્ટીને જોડવા ટકોર
અંકલેશ્વરમાં જે.પી.નડ્ડાનો ઝાંઝવતી પ્રચાર, કોંગ્રેસને પેહલા પોતાની પાર્ટીને જોડવા ટકોર

ભરૂચ અંકલેશ્વરના ગડખોલ પાટિયા (Gadkhol Patiya of Ankleshwar) ખાતે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ (National President of BJP) જે.પી.નડ્ડાએ ઝાંઝવતી પ્રચાર કર્યો હતો. તેમણે દેશમાં મોદી સરકારે જન જન અને વિકાસના કામોની કરેલી વિકાસ ગાથા વર્ણવી હતી. ભારત જોડો યાત્રા લઈ નીકળેલી કોંગ્રેસને પહેલા પોતાની પાર્ટીને જોડવા ટકોર કરી રહી હતી.

જે.પી.નડ્ડાએ ઝાંઝવતી પ્રચાર કર્યો હતો. તેમણે દેશમાં મોદી સરકારે જન જન અને વિકાસના કામોની કરેલી વિકાસ ગાથા વર્ણવી હતી.

અંકલેશ્વરના જાહેરસભામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત અંકલેશ્વરના ગડખોલ પાટીયા ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જાહેર સભા સંબોધી હતી. કોંગ્રેસ પર આકરા પ્રહારો (BJP National President attacks Congress) કર્યા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) વચ્ચે ભાજપ દ્વારા આજરોજ સમગ્ર રાજયમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો, ત્યારે અંકલેશ્વર વિધાનસભા બેઠક (Ankleshwar assembly seat) પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જાહેરસભા સંબોધી હતી. અંકલેશ્વરના ગડખોલ પાટીયા ખાતે યોજાયેલ જાહેરસભામાં અંકલેશ્વર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ પહેલા પોતાની પાર્ટી જોડે, પછી દેશ જોડવા નિકળે જે.પી.નડ્ડાએ તેમના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જિતાડવા અપીલ કરી હતી. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંગે નિવેદન આપતા જણાવ્યુ હતું કે, કોંગ્રેસ પહેલા પોતાની પાર્ટી જોડે, પછી દેશ જોડવા નિકળે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દેશમાં તમામ સ્તરે થઈ રહેલા જેટગતીએ વિકાસની માહિતી પણ આપી હતી. તેમે 8 વર્ષમાં મોદીના શાસન કાળમાં ગ્રામીણ ભારતમાં 3 લાખ 26 હજાર કિલોમીટરના બેનલા રસ્તા અંગે ગૌરવ અનુભવ્યું હતું. દુનિયામાં ભૂમધ્ય રેખાના 8 ચક્કર લગાવે એટલી ગ્રામ્ય સડક મોદીના કાર્યકાળમાં બનાવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

Last Updated :Nov 19, 2022, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.