ETV Bharat / state

આજે આદ્યકવિ નરસિંહ મહેતાની જન્મ જયંતી, મહેતાજીના જીવન સાથે જોડાયેલી ત્રણ જયંતિ પણ મહત્વની - Narsingh Mehta

author img

By ETV Bharat Gujarati Team

Published : May 23, 2024, 10:11 AM IST

આજે નરસિંહ મહેતાની જન્મ જયંતી મનાવવામાં આવી રહી છે. વૈશાખ સુદ પૂનમના દિવસે મહેતાજીનો જન્મ થયો હતો. નરસિંહ મહેતાના જીવનકાળ સાથે સંકળાયેલી અન્ય બે જયંતિ એટલે કે હારમાળા અને તપ પ્રયાણ જયંતિ પણ મહેતાજીના જીવન સાથે જોડાયેલી છે. જેથી તેમના જન્મની સાથે હારમાળા અને તપ પ્રયાણ જયંતી પણ ઉજવવામાં આવે છે. narsingh mehta birth anniversary

આજે આદ્યકવિ નરસિંહ મહેતાની જન્મ જયંતી, મહેતાજીના જીવન સાથે જોડાયેલી ત્રણ જયંતિ પણ મહત્વની
આજે આદ્યકવિ નરસિંહ મહેતાની જન્મ જયંતી, મહેતાજીના જીવન સાથે જોડાયેલી ત્રણ જયંતિ પણ મહત્વની (ETV Bharat Gujarat)

નરસિંહ મહેતાની 616મી જન્મ જયંતી (ETV Bharat)

જુનાગઢ : આજે આદ્યકવિ નરસિંહ મહેતાની 616મી જન્મ જયંતી છે. વૈશાખ સુદ પૂનમના દિવસે મહેતાજી સદેહે સૃષ્ટિ પર અવતરણ કર્યું હતું. ભાવનગર જિલ્લાના તળાજામાં જન્મેલા નરસિંહ મહેતાએ જુનાગઢને પોતાની ભક્તિભૂમિ બનાવી અને ભગવાનની ભક્તિમાં લીન થયા. જુનાગઢ સ્થિત દામોદર કુંડ આજે પણ રાધા દામોદરજી માટે આસ્થા ધરાવે છે તેટલી જ આસ્થા સૌ ભક્તો નરસિંહ મહેતા માટે પણ ધરાવે છે. કોઈ પણ દૈવીય તત્વની આ પ્રકારે ત્રણ વખત જયંતિની ઉજવણી થતી હોય તેવું પણ ભાગ્યેજ જોવા મળે છે જેમાં એક છે નરસિંહ મહેતા કે જેને ભગવાન કૃષ્ણની ભક્તિના પર્યાય પણ માનવામાં આવતા હતા.

હારમાળા જયંતિનું મહત્વ : ભાભીના કડવા વચનોથી તળાજા છોડીને જુનાગઢ સુધી આવેલા નરસિંહ મહેતા અહીં કૃષ્ણ ભક્તિમાં લીન થયા હતા અને જ્યાં આજે પણ તેમની હાજરીના પુરાવા રૂપે નરસિંહ મહેતાનો ચોરો આવેલો છે. અહીં ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો નરસિંહ મહેતાના દર્શન કરવા માટે પણ સમગ્ર વર્ષ દરમિયાન આવતા હોય છે. નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિ જોઈને નાગરી નાતે તેના પર અનેક શંકા કુશંકાઓ વ્યક્ત કરી હતી અને પોતે શ્રીહરિનો ભક્ત હોવાનો ડોળ કરી રહ્યો છે તેવો નરસિંહ મહેતા પર આળ મૂકવામાં આવ્યુ હતુ. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન થયેલા નરસિંહ મહેતાની ભક્તિના પુરાવા રૂપે શ્રી હરિએ સ્વયમ દર્શન આપીને નરસિંહ મહેતા પર પુષ્પનો હાર ન્યોછાવર કર્યો હતો. ત્યાર થી નરસિંહ મહેતાની હારમાળા જયંતિની ઉજવણી પણ થાય છે.

તપ પ્રયાણ જયંતિનું મહત્વ : ભાભીના કડવા વચનો સાંભળીને મહેતાજીએ પોતાના ઘર તળાજાનો ત્યાગ કરીને ઇ.સ 1439ની વિક્રમ સંવત 1495ના ચૈત્ર માસની શુક્લ પક્ષની સાતમ અને સોમવારના દિવસે તપ કરવા માટે ઘરનો ત્યાગ કર્યો હતો. ત્યારથી નરસિંહ મહેતાની તપ પ્રયાણ જયંતિ માનવામાં આવે છે. ઘરનો ત્યાગ કર્યા બાદ નરસિંહ મહેતા પરિભ્રમણ કરતા કરતા તપોભૂમિ ગિરનાર પર આવી પહોંચે છે અને અહીં કૃષ્ણ ભક્તિમાં એટલા તલ્લીન બની જાય છે કે શ્રી હરિએ જુનાગઢની ભૂમિ પર નરસિંહ મહેતાને દર્શન આપવા માટે સ્વયં પ્રગટ થવું પડ્યું હતું.

  1. Tap Prayan Jayanti : આજના દિવસે નરસિંહ મહેતાએ પકડ્યો હતો ભક્તિનો પંથ
  2. આજે નરસિંહ મહેતાની 567મી હારમાળા જયંતિની થઈ રહી છે ઉજવણી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.