ETV Bharat / international

Pakistan Swears in New Parliament : પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં વિરોધના દ્રશ્યો વચ્ચે નવા સાંસદોએ લીધાં શપથ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 29, 2024, 8:13 PM IST

Pakistan Swears in New Parliament : પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં વિરોધના દ્રશ્યો વચ્ચે નવા સાંસદોએ લીધાં શપથ
Pakistan Swears in New Parliament : પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં વિરોધના દ્રશ્યો વચ્ચે નવા સાંસદોએ લીધાં શપથ

ઈમરાનખાનના સાથી પક્ષો દ્વારા વિરોધના દ્રશ્યો વચ્ચે પાકિસ્તાનના નવા સંસદ સભ્યોએ શપથ લીધાં હતાં. અવ્યવસ્થાભર્યાં દ્રશ્યો વચ્ચે અને ગૃહ " લોંગ લાઇવ શરીફ!" ના નારાઓથી ગુંજતું હતું, પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં સમાપ્ત થઇ રહેલી નેશનલ એસેમ્બલીના સ્પીકર રાજા પરવેઝ અશરફે નવા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતાં.

ઈસ્લામાબાદ : પાકિસ્તાન સંસદની 8 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ બાદ પાકિસ્તાનમાં સંસદનું પ્રથમ સત્ર શરૂ થયું છે. સત્ર શરૂ થતાં જ પીટીઆઈ સમર્થકોએ ઈમરાન ખાનના પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પછી તમામ સાંસદોએ પદના શપથ લીધા. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ગુરૂવારે નવા ચૂંટાયેલા સભ્યોએ ભારે ઉહાપોહના દ્રશ્યો વચ્ચે શપથ લીધા હતાં., કારણ કે જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સાથીઓએ ભારે વિરોધ કરતાં સૂત્રોચ્ચાર કર્યાં હતાં તેઓનો દાવો છે કે આ ધાંધલભરી ચૂંટણી છે. ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના ધારાસભ્યો વારંવાર વોટચોરના નારા લગાવી રહ્યાં હતાં.શેહબાઝ શરીફ, જેમને સરકાર બનાવવાની અપેક્ષા છે, તેમણે તેમના ભાઈ નવાઝ શરીફ સાથે સંસદના નીચલા ગૃહમાં પ્રવેશ કર્યો હતો.

સૂત્રોચ્ચારો વચ્ચે શપથ : ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ને સમર્થન કરતા સાંસદો દ્વારા ફેબ્રુઆરી 8ની સામાન્ય ચૂંટણીમાં કથિત ધાંધલી સામેના સૂત્રોચ્ચાર વચ્ચે અશરફે નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવ્યા હતા. શપથ લેનારા નવા સાંસદોમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના વડા નવાઝ શરીફ, PML-N પ્રમુખ શહેબાઝ શરીફ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સહ-અધ્યક્ષ આસિફ ઝરદારી અને PPP અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો-ઝરદારીનો સમાવેશ થાય છે.

નવાઝ શરીફે સાંસદ તરીકે શપથ લીધાં : ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફે સામાન્ય સાંસદ તરીકે શપથ લીધા હતા. ચૂંટણીમાં તેમની પાર્ટીનું સારું પ્રદર્શન ન થવાને કારણે થોડા દિવસો પહેલા તેમણે ચોથી વખત વડાપ્રધાન બનવાની કોશિશ છોડી દીધી હતી. નવા ચૂંટાયેલા સાંસદો નેશનલ એસેમ્બલીના નવા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની પસંદગી કરશે.

શેહબાઝ શરીફ ફરી વડાપ્રધાન બનશે : વડાપ્રધાન પદ માટેની ચૂંટણી શનિવારે યોજાવાની અપેક્ષા છે અને PML-N અને PPP વચ્ચે મતદાન પછીના કરાર હેઠળ નવાઝ શરીફના નાના ભાઈ અને ભૂતપૂર્વ વડાપ્રધાન શેહબાઝ શરીફને નવા નેતા તરીકે ચૂંટવામાં આવશે. ચૂંટણીમાં, પીટીઆઈ પાર્ટી દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ નેશનલ એસેમ્બલીની સૌથી વધુ 93 બેઠકો જીતી છે. પીએમએલ-એનને 75 અને પીપીપીને 54 બેઠકો મળી છે. મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM-P) એ 17 સીટો જીતી હતી.

બીજું બેલઆઉટ મેળવવા માટે દબાણ : નવી સરકાર આતંકવાદી હુમલામાં વધારો અને ઊર્જાની અછત સહિતના પડકારોનો સામનો કરશે; તેમજ એક બીમાર અર્થતંત્ર કે જે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ પાસેથી બીજું બેલઆઉટ મેળવવા માટે દબાણ કરશે. ઇમરાનખાનના પીટીઆઈના ધારાસભ્યોએ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ સંસદની અંદર અને બહાર ચૂંટણીમાં ધાંધલી સામે તેમનું અભિયાન ચાલુ રાખશે.

ચૂંટણીમાં ગોટાળો કરવામાં આવ્યો હોવાનો આરોપ : પીટીઆઈના વર્તમાન વડા ગોહરઅલી ખાને કહ્યું, " હા, ચૂંટણીમાં ગોટાળો કરવામાં આવ્યો છે. " પીટીઆઈએ શનિવારે દેશવ્યાપી રેલીઓનું આહ્વાન કર્યું છે. પાર્ટી દાવો કરે છે કે તેને બહુમતી જીતવાથી રોકવા માટે ડઝનબંધ મતવિસ્તારોમાં તેના પરિણામો બદલવામાં આવ્યા હતાં, જે આરોપ પાકિસ્તાનના ચૂંટણી પંચે નકારી કાઢ્યો હતો. 8 ફેબ્રુઆરીની ચૂંટણીઓ પછી, કોમનવેલ્થના નિરીક્ષકોએ બહુવિધ આતંકવાદી હુમલાઓ છતાં મતદાન યોજવા બદલ ચૂંટણી અધિકારીઓની પ્રશંસા કરી હતી, પરંતુ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા, સંગઠન અને શાંતિપૂર્ણ એસેમ્બલીના નિયંત્રણો હેઠળ મતદાન યોજાયું હતું.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનો જવાબ : યુરોપિયન યુનિયને કેટલાક રાજકીય નેતાઓની ચૂંટણી લડવાની અસમર્થતાની પણ ટીકા કરી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આવી ટીકા પર વળતો જવાબ આપતા કહ્યું કે મતદાન મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે થયું હતું. કોઈપણ વિદેશી નિરીક્ષકોએ વ્યાપક મત-ચોરીનું વર્ણન કર્યું નથી. શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ પાર્ટી, અથવા પીએમએલ-એન, અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી, 336 બેઠકો ધરાવતી નેશનલ એસેમ્બલી અથવા સંસદના નીચલા ગૃહમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઝરદારી ઝૂકાવશે : સત્તાની વહેંચણીની ફોર્મ્યુલા હેઠળ શરીફની પાર્ટી આવતા મહિને યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઝરદારીને ટેકો આપશે. આઉટગોઇંગ પ્રેસિડેન્ટ આરિફ અલ્વી ઇમરાનખાનના સાથી છે અને રાષ્ટ્રપતિ બન્યા પહેલા પીટીઆઈના વરિષ્ઠ સભ્ય હતા. ખાન હાલમાં બહુવિધ કેસોમાં જેલની સજા ભોગવી રહ્યો છે અને તેમને હોદ્દો મેળવવા અથવા હોલ્ડિંગ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યાં છે. ઇમરાનખાનને ત્રણ અલગ-અલગ ચુકાદાઓમાં ભ્રષ્ટાચાર, સત્તાવાર રહસ્યો જાહેર કરવા અને લગ્ન કાયદાનું ઉલ્લંઘન કરવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યાં છે અને તેને 10, 14 અને 7 વર્ષની એકસાથે જેલની સજા ફટકારવામાં આવી છે. ખાન તમામ કેસમાં અપીલ કરી રહ્યા છે. તે હજુ પણ ભ્રષ્ટાચારથી લઈને હિંસા અને આતંકવાદને ઉશ્કેરવાના આરોપમાં લગભગ 170 કાનૂની કેસોનો સામનો કરી રહ્યાં છે.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડને પત્ર : બુધવારે, પીટીઆઈએ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડને પત્ર લખીને ઈસ્લામાબાદ સાથેની કોઈપણ વાટાઘાટોને દેશની તાજેતરની ચૂંટણીના ઓડિટ સાથે જોડવા વિનંતી કરી હતી, જેમાં તેમનો પક્ષ ધાંધલીનો આક્ષેપ કરે છે. તાજેતરનુંં ડેવલપમેન્ટ IMF દ્વારા પાકિસ્તાનને બેલઆઉટ લોનનો ચાવીરૂપ હપ્તો બહાર પાડવાના દિવસો પહેલા આવ્યું છે.

આઈએમએફનું બેલઆઉટ : ઇમરાનખાનના પગલાંની શરીફ સહિત તેમના હરીફો તરફથી વ્યાપક ટીકા થઈ હતી, તેમણે કહ્યું કે ખાન દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવા માંગે છે. એપ્રિલ 2022 માં અવિશ્વાસના મત દ્વારા ખાનની હકાલપટ્ટી બાદ શરીફે ગયા ઉનાળામાં જ્યારે IMFએ બહુપ્રતીક્ષિત $3 બિલિયનને મંજૂરી આપી ત્યારે વિદેશી ચુકવણીઓ પર ડિફોલ્ટ ટાળવા માટે સખત સંઘર્ષ કર્યો હતો. શરીફે કહ્યું છે કે તેઓ માર્ચ પછી IMF પાસેથી નવું બેલઆઉટ ઇચ્છે છે, જ્યારે ગયા વર્ષે આઈએમએફનું બેલઆઉટ સમાપ્ત થવા જઇ રહ્યું છે.

  1. Pakistan News : પીએમએલ-એનએ શહેબાઝ શરીફને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા, બિલાવલ ભૂટ્ટોનું સમર્થન
  2. Pakistan Election: ડઝનભર અપક્ષ ધારાસભ્યોએ નવાઝ શરીફને સમર્થન આપવાની કરી જાહેરાત,
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.