ગુજરાત

gujarat

અમદાવાદમાં ગણેશ વિસર્જન કરતાં ભક્તોએ કરી આવી પ્રાર્થના

By

Published : Sep 9, 2022, 5:51 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

આજે અનંત ચતુર્દશી એટલે કે ગણપતિ દાદાની મૂર્તિઓનો વિસર્જન દિવસ. અમદાવાદમાં પણ ભગવાન ગણેશના ભક્તો 10 દિવસ સુધી પૂજાઅર્ચન કરીને આજના દિવસે ગણપતિનું વિસર્જન કરતા હોય છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર વિસર્જન માટે આવનારા ભક્તોએ દાદાની મૂર્તિના વિસર્જન સમયે ગરબા પણ લીધાં હતાં. ગણેશ ભક્ત મહિલાએ જણાવ્યું હતું કે બાપાના પૂજન અર્ચનમાં દસ દિવસનો સમય ક્યારે પસાર થઇ ગયો તે ખબર જ ન પડી. આ દસ દિવસ આખું ઘર ભક્તિમય બની ગયું હતું. અમે દસ દિવસ પ્રાર્થના કરી હતી. આવનાર વર્ષ ફળદાયી, સુખમય અને નીરોગી રીતે પસાર થાય તેવી પ્રાર્થના કરી હતી. Ganesh Visarjan in Ahmedabad , Sabarmati River Front , Anant Chaturdashi 2022
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details