ગુજરાત

gujarat

હીરા બાના સ્વાસ્થ્ય માટે ઉર્દુ શાળાના વિદ્યાર્થીઓએ દુઆ કરી

By

Published : Dec 29, 2022, 1:27 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાની (PM Modi mother Hiraba) તબિયત લથડતા તેમને સારવાર માટે અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા (PM Modi mother hira ba admitted in hospital) છે. રાજ્યભરમાં લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓએ જલ્દી સ્વસ્થ થાય ત્યારે સુરતમાં હીરા બાદીઘાર્યુ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉર્દુ શાળામાં વિદ્યાર્થીઓએ દુઆ કરી ઈશ્વર અલ્લાહને પ્રાર્થના કરી (Urdu school students prayed for Heera Baa health) હતી.

Urdu school students prayed for Heera Baa health
Urdu school students prayed for Heera Baa health

હીરા બાના સ્વાસ્થ્ય માટે ઉર્દુ શાળાના વિદ્યાર્થીઓએ દુઆ કરી

સુરત: સુરતના આંજણા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જનાબ બહાદુરશાહ ઝફર કુમાર પ્રાથમિક શાળા (Bahadurshah Zafar Kumar Primary School surat) ક્રમાંક 194માં બાળકોએ હીરાબાના સુખમય સ્વાસ્થ્ય માટે ઉર્દુ માધ્યમના બાળકોએ દુઆ કરી (Urdu school students prayed for Heera Baa health) હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની અચાનક તબિયત લથડતા તેઓને સારવાર અર્થે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા (hira ba admitted in un mehta hospital) છે. માતાની તબિયત લથડતા પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેઓને ખબર અંતર પહોચવા અમદાવાદ હોસ્પિટલ પહોચ્યા હતા. બીજી બાજુ રાજ્યભરમાં હીરાબા જલ્દી સ્વસ્થ થાય અંતે પ્રાર્થનાઓનો દૌર ચાલી રહ્યું છે. સુરતમાં પણ હીરા બાના દીઘાર્યુ માટે મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા દુઆ કરવામાં આવી (Urdu school students prayed for Heera Baa health) હતી.

આ પણ વાંચોPM નરેન્દ્ર મોદીના માતા હીરા બાને નોર્મલ વોડમાં કરાયા ટ્રન્સફર

હીરાબા લાંબુ આયુષ્ય જીવે:પીએમ મોદીની માતા હીરા બા જલ્દી સ્વસ્થ થાય અને દીર્ઘાયુ માટે મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓએ એક સાથે દુઆ કરી હતી. શાળાના આચાર્ય શૈખ મુબીન અહેમદએ જાણાવ્યું હતું કે શાળામાં બાળકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબા લાંબુ સ્વાસ્થ્ય જીવે. તેઓ જલ્દી સ્વસ્થ થાય અને તેઓના દીર્ઘાયુ માટે બાળકોએ એક સાથે દુઆ અને પ્રાર્થના કરવામાં આવી (Urdu school students prayed for Heera Baa health) હતી.

આ પણ વાંચોપતિને અનોખી શ્રધ્ધાંજલિ: રાજકોટમાં પતિના મૃત્યુ પછી પત્નીએ રાહતદરે એમ્બ્યુલન્સની સેવા કરી શરુ

ઈલાજ સામાન્ય દર્દીઓની જેમ જ થઈ હતી:જો કે યુ એન મહેતા હોસ્પિટલનું સત્તાવાર બુલેટિન બહાર આવ્યું છે અને તેમાં હીરાબાની તબિયત સુધારા પર છે તેની જાણકારી આપવામાં આવી (PM mother Hiraben fine now) હતી. આ પહેલાં 2016માં PM નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત લથડી હતી. તેમને 108 બોલાવી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં (ahmedabad civil hospital) હતાં. એટલું જ નહિ, હોસ્પિટલના જનરલ વાર્ડમાં તેમની તપાસ સામાન્ય દર્દીઓની જેમ જ થઈ (PM mother Hiraben fine now) હતી.

ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા:PM મોદીના માતા હીરાબાને અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા (PM Modi mother hira ba admitted in hospital) છે. તેમની તબિયત નાદુરસ્ત થતાં તેમને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. આ સમાચાર મળતાની સાથે જ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને હીરાબાની તબિયત સુધારા અંગે માહિતી મેળવી હતી. ઉપરાંત નિષ્ણાત ડોકટરો સાથે મુલાકાત કરી હતી. યુ.એન.મહેતાએ સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન રીલિઝ કર્યું છે.શ્વાસ લેવામાં તકલીફ અને બ્લડ પ્રેશરને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details