ETV Bharat / state

પતિને અનોખી શ્રધ્ધાંજલિ: રાજકોટમાં પતિના મૃત્યુ પછી પત્નીએ રાહતદરે એમ્બ્યુલન્સની સેવા કરી શરુ

author img

By

Published : Dec 29, 2022, 7:49 AM IST

Updated : Dec 29, 2022, 2:26 PM IST

મૃતકની યાદમાં પુસ્તક અર્પણ કરતા અને પરબ બાંધતા લોકોના અનેક કિસ્સા સામે આવ્યા છે, પરંતુ સ્વર્ગસ્થ પતિની યાદમાં (A unique tribute to the husband) જરૂરતમંદ નાગરિકો માટે રાહત દરની એમ્બ્યુલન્સ સેવાની (ambulance service In Rajkot) શરૂઆત કરનારા સંગીતાબેન બહુ મોટા ગજાના માનવી છે. તેમની આ સેવા થકી (ambulance service on a relief basis) અનેક લોકો રાહતદરે પોતાના ઘરે પહોંચી શકયા છે. રાજકોટના રહેવાસી અને મુંબઈના આલ્ફા ફાઉન્ડેશનના સભ્ય સંગીતાબેન શાહ દ્વારા શરૂ કરાયેલી આ સેવાનો અત્યાર સુધીમાં હજારો દર્દીઓએ લાભ મેળવ્યો છે.

પતિને અનોખી શ્રધ્ધાંજલિ: પતિના મૃત્યુ પછી પત્નીએ રાહતદરે એમ્બ્યુલન્સની સેવા શરુ કરી
પતિને અનોખી શ્રધ્ધાંજલિ: પતિના મૃત્યુ પછી પત્નીએ રાહતદરે એમ્બ્યુલન્સની સેવા શરુ કરી

પતિને અનોખી શ્રધ્ધાંજલિ: રાજકોટમાં પતિના મૃત્યુ પછી પત્નીએ રાહતદરે એમ્બ્યુલન્સની સેવા કરી શરુ

રાજકોટઃ નેપાળથી રાજકોટ વ્યવસાય માટે આવેલા પરિવારની દીકરી ઝરણા શર્માને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને રાજકોટ સિવીલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સમય જતા તબિયતમાં સુધારો ન થતા અંતે ઝરણાએ ફરી નેપાળ જવાની વાત કરી હતી, પરંતુ ઝરણાની હાલત ગંભીર હોવાથી વાલીઓએ ઝરણા સાથે નેપાળ જવું જરૂરી હતું. પરિવારની નબળી આર્થિક સ્થિતિને લીધે તેઓ નેપાળ જઇ શકે તેમ નહોતા. આ પરિસ્થિતિમાં ઝરણા શર્મા તથા પરિવારને નેપાળ જવા માટે સંગીતાબેને રાહત દરની (ambulance service In Rajkot) એમ્બ્યુલન્સ સેવા પુરી પાડીને તમામને નેપાળ પહોંચાડયા હતા. (A unique tribute to the husband)

રાહત દરની એમ્બ્યુલન્સ: એમ્બ્યુલન્સ વિશે વધુ માહિતી આપતા સંગીતાબેન જણાવ્યું હતું કે, મારા સ્વગર્સ્થ પતિ હરેશભાઈ મનસુખલાલ શાહની યાદમાં (A unique tribute to the husband) જરૂરતમંદ નાગરિકો માટે રાહત દરની એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત મેં આશરે દોઢ વર્ષ પહેલા કરી હતી. જેનાથી હજારો દર્દીઓને બહારગામ જવા સહાય મળી રહે છે. રાહતદરે ચાલતી આ એમ્બ્યુલન્સ સેવા મારફત અત્યાર સુધી રાજકોટ, મોરબી, અમદાવાદ વગેરે સહિત છેક નેપાળ સુધી દર્દીઓને સહી સલામત પહોંચાડવામાં આવ્યા છે. માત્ર પૂજા પાઠ અને વિધિથી નહી, પરંતું અનેક વ્યકિતઓને સુરક્ષિત પહોંચાડવાની જવાબદારી નિભાવવી, એ જ મારા માટે સાચી શ્રધ્ધાંજલિ છે.

પતિને અનોખી શ્રધ્ધાંજલિ : મૃતકની યાદમાં પુસ્તક અર્પણ કરતા અને પરબ બાંધતા લોકોના અનેક કિસ્સા સામે આવ્યા છે, પરંતુ સ્વર્ગસ્થ પતિની યાદમાં (A unique tribute to the husband) જરૂરતમંદ નાગરિકો માટે રાહત દરની એમ્બ્યુલન્સ સેવાની (ambulance service In Rajkot) શરૂઆત કરનારા સંગીતાબેન બહુ મોટા ગજાના માનવી છે. તેમની આ સેવા થકી (ambulance service on a relief basis) અનેક લોકો રાહતદરે પોતાના ઘરે પહોંચી શકયા છે. રાજકોટના રહેવાસી અને મુંબઈના આલ્ફા ફાઉન્ડેશનના સભ્ય સંગીતાબેન શાહ દ્વારા શરૂ કરાયેલી આ સેવાનો અત્યાર સુધીમાં હજારો દર્દીઓએ લાભ મેળવ્યો છે.

્

બાળકોને ગ્લુકોઝના બાટલા પહોંચાડે છે : રાહતદરે ચાલતી એમ્બ્યુલન્સની સેવા ઉપરાંત, સંગીતાબેન શાહ રાજકોટના જરૂરીયાતમંદ વર્ગને ઉપયોગી થવા બાળકોને ગ્લુકોઝના બાટલા પહોંચાડે છે. અને મુંબઈની ઝુપડપટ્ટીમાં જઈ ભોજન આપવા સહીતનાં લોકકલ્યાણના કાર્યો પણ કરે છે.

Last Updated : Dec 29, 2022, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.