ગુજરાત

gujarat

રખડતા પશુઓ કોની માલિકીના છે! રખડતા ઢોરને લઈને રાજકોટનું તંત્ર એક્શનમાં

By

Published : Dec 10, 2022, 9:23 AM IST

રખડતા ઢોરને લઈને હવે રાજકોટનું તંત્ર (Stray Cattle in Rajkot) એક્શનમાં આવ્યું છે. જેને લઈને પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જે લોકો અમલી નહીં કરાવ્યા હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. (Rajkot Police Commissioner)

રખડતા પશુઓ કોની માલિકીના છે! રખડતા ઢોરને લઈને રાજકોટનું તંત્ર એક્શનમાં
રખડતા પશુઓ કોની માલિકીના છે! રખડતા ઢોરને લઈને રાજકોટનું તંત્ર એક્શનમાં

રાજકોટ : રાજકોટમાં રખડતા ઢોર મામલે પોલીસ હવે એક્શનમાં (stray cattle Torture in Rajkot) આવી છે. તેમજ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પશુઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. જ્યારે આ જાહેરનામું આગામી 12 તારીખથી રાજકોટ શહેરમાં અમલી બનશે. તેમજ જે લોકોએ પોતાના પશુઓના રજીસ્ટ્રેશન નહીં કરાવ્યા હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે. (Rajkot Police Commissioner)

રાજકોટ પોલીસ રખડતા ઢોરને લઈને જાહેરનામું

મહાનગરપાલિકામાં કરવું પડશે રજીસ્ટ્રેશનરાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું (Stray Cattle in Rajkot) બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, જે લોકો પાસે પશુ છે તેમને મહાનગરપાલિકામાં ફરજિયાત રજિસ્ટ્રેશન આ પશુઓનું કરાવવાનું રહેશે. જ્યારે આ પશુઓનું મોત થશે, તેની પણ જાણ કોર્પોરેશનને કરવાની રહેશે. આ સાથે જ પોતાના પશુઓનું ટેગિંગ પણ કરવાનું રહેશે. જેના પરથી જાણ થશે કે જે તે રસ્તા રખડતા પશુઓ કોની માલિકીના છે. (stray cattle notification in Rajkot)

રખડતા ઢોરને એનિમલ હોસ્ટેલમાં રાખવામાં આવશેશહેરમાં કોઈની પણ માલિકીના ઢોર રસ્તે રખડતા જોવા મળશે. તો તેમને તાત્કાલિક પકડીને રાજકોટ મહાનગરપાલિકાની એનિમલ હોસ્ટેલમાં રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. તેના કારણે અકસ્માતની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે. એવામાં હવે પોલીસ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. (Rajkot Police Notification regarding Stray Cattle)

ABOUT THE AUTHOR

...view details