ગુજરાત

gujarat

Saurashtra University in Rajkot : પ્રોફેસરની બેદરકારીભર્યું પગલું, UKથી આવ્યા બાદ સીધા યુનિવર્સિટીમાં હાજર થયા

By

Published : Dec 8, 2021, 8:52 AM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University in Rajkot) પ્રોફેસરની ઘોર બેદરકારી સામે આવી છે. યુનિવર્સિટીના પ્રોફેસર UKના પ્રવાસેથી પરત આવ્યા બાદ યુનિવર્સિટી ખાતે પહોંચી(Rajkot professor's negligence) ગયા હતા. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના નવા વોરિયન્ટ એવા એમીક્રોન(omicron coronavirus in gujarat) હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે પ્રોફેસરને વિદેશ પ્રવાસ બાદ 7 દિવસ કોરાંટાઇનમાં રહેવાનું હોય છે. જેની જગ્યાએ તેઓ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને મળવા આવી પહોંચતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.

Saurashtra University in Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરની બેદરકારી, UKથી આવ્યા બાદ સીધા યુનિવર્સિટીમાં હાજર થયા
Saurashtra University in Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરની બેદરકારી, UKથી આવ્યા બાદ સીધા યુનિવર્સિટીમાં હાજર થયા

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરની બેદરકારી, UKથી આવ્યા બાદ સીધા યુનિવર્સિટીમાં
  • 7 દિવસ માટે કોરાંટાઇનનો નિયમોનો ભંગ કરી સીધા યુનિવર્સિટીમાં
  • યુકેના પ્રવાસેથી આવ્યા બાદ અલગ અલગ લોકો સાથે મુલાકાત કરી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના(Saurashtra University in Rajkot) પ્રોફેસરની ઘોર બેદરકારી સામે આવી છે. જ્યારે તેઓ તાજેતરમાં UKના પ્રવાસે ગયા હતા અને પ્રવાસમાંથી આવ્યા બાદ સીધા જ યુનિવર્સિટી ખાતે હાજર થવા માટે પહોંચ્યા હતા. જોકે તેમને 7 દિવસ માટે કોરાંટાઇન થવાનું હોય છે છતાં પણ તેઓ નિયમોનો ભંગ કરીને યુનિવર્સિટી(Rajkot professor's negligence) ખાતે પહોંચ્યા હતા. જેને લઈને એક ગંભીર બેદરકારી સામે આવી હતી. જ્યારે પ્રોફેસર ડીજી કુબેરકર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા. પ્રોફેસરને વિદેશ પ્રવાસ બાદ 7 દિવસ કોરાંટાઇનમાં(omicron coronavirus in gujarat) રહેવાનું હોય છે. જેની જગ્યાએ તેઓ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને મળવા આવી પહોંચતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.

Saurashtra University in Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરની બેદરકારી, UKથી આવ્યા બાદ સીધા યુનિવર્સિટીમાં હાજર થયા

કોરોના રિપોર્ટ આવ્યો છે નેગેટિવ

સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાયરસના નવા વોરિયન્ટ એવા એમીક્રોન(omicron coronavirus in rajkot) હાહાકાર મચાવી રહ્યો છે. જેને લઈને ભારત દેશમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વિશ્વના અલગ-અલગ દેશોમાંથી આવતા લોકોના કોરોના ટેસ્ટિંગ અને સ્કેનિંગ કરવામાં આવી રહ્યા છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડીજી કુબેરકર પણ યુકેના પ્રવાસથી આવ્યા હતા અને તેઓ યુકેના પ્રવાસથી આવ્યા બાદ ઘરે હોમ કોરાંટાઇન(home quarantine rules) થવાને બદલે સીધા જ યુનિવર્સિટી ખાતે આવી પહોંચ્યા હતા અને અહિયાં અલગ-અલગ વિદ્યાર્થીઓને મળ્યા હતા અને પ્રોફેસરોને પણ મળ્યા હતા જેને લઇને તેઓ વિવાદમાં સપડાયા હતા.

વિવાદ થયા બાદ પ્રોફેસર થયા કોરાંટાઇન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડીજે કુબેરકર યુકેના પ્રવાસેથી આવ્યા બાદ સીધા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે હાજર થવા પહોંચ્યા હતા. અહીં તેમને અલગ અલગ લોકો સાથે મુલાકાત પણ કરી હતી. જો કે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ(health department rajkot) દ્વારા પણ તેમને કોરાંટાઇન થવા માટેની કોઈ સૂચનાઓ આપવામાં આવી નહોતી. જેને લઈને તેઓ સીધા જ યુનિવર્સિટીમાં હાજર થવા માટે પહોંચ્યા હતા. જો કે સમગ્ર મામલે વિવાદ સર્જાતા હાલ તેઓ પોતાના ઘરે પણ કોરાંટાઇન થયા છે. યુનિવર્સિટીના પ્રોફેસર આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવતાશહેરભરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

આ પણ વાંચોઃ Omicron Variant In Rajkot : ઓમીક્રોન વધશે તો રાજકોટ AIIMSમાં પણ સારવાર શરૂ કરાશે

આ પણ વાંચોઃ રાજકોટ એરપોર્ટ પર મુસાફરોનું ઓમિક્રોન વાયરસ બાબતે ચેકિંગ કરાતું નથી: રામ મોકરિયા

ABOUT THE AUTHOR

...view details