ગુજરાત

gujarat

Seasonal Epidemic in Rajkot : રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં તાવ, ઉધરસ, શરદી જેવી સામાન્ય બિમારીઓના આંકડાઓ ચોકાવનારો

By

Published : Jan 11, 2022, 1:32 PM IST

રાજ્યમાં કોરોના સંક્રમણની સતત વધતું જાય છે. જ્યારે એમાં રાજકોટ શહેરમાં કોરોના સાથે સાથે છેલ્લા એક અઠવાડિયામાં સામાન્ય તાવ, ઉધરસ, શરદી જેવા રોગોનો(Seasonal Epidemic in Rajkot) આંકડો ચોકવનારો સામે આવ્યો છે.

Seasonal Epidemic in Rajkot : રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં તાવ, ઉધરસ, શરદી જેવી સામાન્ય બિમારીઓના આંકડાઓ ચોકાવનારો
Seasonal Epidemic in Rajkot : રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં તાવ, ઉધરસ, શરદી જેવી સામાન્ય બિમારીઓના આંકડાઓ ચોકાવનારો

રાજકોટઃ રાજકોટમાં કોરોનાના સંક્રમણ સતત વધતું જાય છે. એવામાં કોરોનાની સાથે રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વધ્યો(Seasonal Epidemic in Rajkot) છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો સામાન્ય તાવ, ઉધરસ અને શરદીના કેસમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે ઝાડા ઉલ્ટીના કેસમાં પણ ઉછાળો સર્જાયો છે. આ સાથે જ ડોઝ બાઈટના 371 કેસ રાજકોટમાં નોંધાયા છે. રાજકોટમાં કોરોનાની સાથે સાથે સામાન્ય(General Epidemic in Rajkot) તાવ, શરદી, ઉધરસના કેસમાં વધારો જોવા મળતા આરોગ્ય તંત્ર(Health System in Rajkot) પણ દોડતું થયું છે.

સામાન્ય તાવ શરદી ઉધરસના 543 કેસ નોંધાયા

રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં સામાન્ય બિમારીના આંકડાઓ ચોકાવનારા

રાજકોટમાં ઋતુજન્ય રોગચાળાની આંકડાકીય વિગત જોઈએ તો છેલ્લા એક અઠવાડિયામાં સામાન્ય તાવના 128, જ્યારે શરદી ઉધરસના 415 અને ઝાડા ઉલ્ટીના 76 કેસ નોંધાયા છે. આ સાથે જ ડોગ બાઈટના 371 કેસ, જ્યારે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના એક એક કેસ નોંધાયા છે. આ કેસના આંક પરથી ખ્યાલ આવે છે કે શહેરમાં ઋતુજન્ય રોગચાળો પણ વધ્યો છે. જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં(Rajkot Civil Hospital) દરરોજ OPD વિભાગમાં સારવાર માટે દર્દીઓની લાંબી લાઈનો પણ દેખાય છે.

મનપા દ્વારા અલગ અલગ વિસ્તારમાં સત્તત કામગીરી

રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વધતા મનપાની ટિમ(Rajkot Manpa Team) દ્વારા સત્તત કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે 3મી જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં 10504 ઘરોમાં મચ્છરોના પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 1498 ઘરોમાં ફોગિંગની કામગીરી કરાઈ હતી. આ સાથે મનપાની ટિમ દ્વારા વિવિધ જગ્યાએ મચ્છર ઉતપતિ સબબ ચકાસણી કરાઈ હતી. જેમાંથી 525 આસામીઓને નોટિસ ફટકારીને દંડ વસુલમાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ RajKot Engineer Suicide Update : કમિશનરે તપાસ સમિતિ રચી, આંતરિક તપાસ થશે

આ પણ વાંચોઃ Road and building department: રાજકોટ-અમદાવાદ 6 લેન હાઈવેના કામની મુખ્યપ્રધાને મુલાકાત લીધી

ABOUT THE AUTHOR

...view details