ETV Bharat / state

Road and building department: રાજકોટ-અમદાવાદ 6 લેન હાઈવેના કામની મુખ્યપ્રધાને મુલાકાત લીધી

author img

By

Published : Jan 8, 2022, 4:45 PM IST

અમદાવાદ અને રાજકોટ વચ્ચે 6 લેન હાઇવેની કામગીરી અત્યારે કાર્યરત છે.ત્યારે મુખ્યપ્રધાને તારાપુર 6 લેન માર્ગ અન્વયે અરણેજમાં બની રહેલા બ્રિજના કામોની મુલાકાત લીધી હતી. ઉપરાંત અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગ ને 6 લેન કરવાના પ્રગતિ હેઠળના કામોના(6 lane highway between Ahmedabad and Rajkot ) સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તા વગેરેની જાત માહિતી મેળવવાના હેતુસર મોટર માર્ગે આ રૂટ પર નીકળ્યા હતા અને જુદા જુદા સ્થળોની માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી તથા આ કામગીરી (Road and building department)સાથે સંકળાયેલા ઇજનેરો અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી.

Road and building department: રાજકોટ-અમદાવાદ 6 લેન હાઈવેના કામની મુખ્યપ્રધાને મુલાકાત લીધી
Road and building department: રાજકોટ-અમદાવાદ 6 લેન હાઈવેના કામની મુખ્યપ્રધાને મુલાકાત લીધી

ગાંધીનગર: રાજ્યના બે મહત્વના છે તેવા અમદાવાદ અને રાજકોટ વચ્ચે 6 લેન હાઇવેની કામગીરી અત્યારે(6 lane highway between Ahmedabad and Rajkot ) કાર્યરત છે. ત્યારે છેલ્લા બે વર્ષથી ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદ અને ગુજરાતના સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ વચ્ચેના રસ્તાની કામગીરી કેટલી પૂર્ણ થઈ અને હવે ક્યાં સુધી પહોંચશે અને કાર્યવાહી કઈ રીતે થઈ રહી છે તે બાબતે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)અને મુખ્ય સચિવ પંકજકુમાર સાથે માર્ગ અને મકાન વિભાગના(Road and building department) સચિવ સંદીપ વસાવાએ લીમડી બગોદરા વચ્ચે ચાલતાં છ માર્ગીય રસ્તાના ડામરના કામનું નિરીક્ષણ કર્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદમાં રક્ષક જ ભક્ષક બન્યો, પોલીસ કોન્સ્ટેબલે બે સગીરને માર્યો ઢોર માર

ક્યાં કામોનું કર્યું નિરીક્ષણ

મુખ્યપ્રધાને ભૂપેન્દ્ર પટેલે બગોદરા તારાપુર 6 લેન માર્ગ અન્વયે અરણેજ ખાતે બની રહેલા બ્રિજના કામોની પણ મુલાકાત લીધી હતી. ઉપરાંત અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગ ને 6 લેન કરવાના પ્રગતિ હેઠળના કામોના સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તા વગેરેની જાત માહિતી મેળવવાના હેતુસર મોટર માર્ગે આ રૂટ પર નીકળ્યા હતા અને જુદા જુદા સ્થળોની માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી તથા આ કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરો અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી.

મટીરિયલ બાબતે ચર્ચા

મુખ્યપ્રધાને આ સમગ્ર રૂટ પર મોટર માર્ગે ફર્યા હતા અને જુદી જુદી સાઈટ પર પ્રત્યક્ષ જઈને કામોની ગુણવત્તા,વપરાશમાં લેવાતા મટીરીયલ અંગેની વિગતો પણ મેળવી હતી. તેમણે બગોદરા માર્ગ પર કેરાલા પાસે બની રહેલા ઓવરબ્રિજની સાઈટનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ બધા પ્રગતિ હેઠળના કામોની જાત મુલાકાત લઈ ગાંધીનગર પરત આવતા સરખેજ ચિલોડા નેશનલ હાઈવેના 6 લેન કામો અન્વયે અદાણી શાંતિ ગ્રામ પાસે નિર્માણાધિન ઓવરબ્રિજની કામગીરી પણ જોઈ હતી.

આ પણ વાંચોઃ Tea Lover Cm : મુખ્યપ્રધાનનો અલગ અંદાજ, કૉમન મેનની જેમ માણી ચાની ચૂસ્કી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.