ગુજરાત

gujarat

તડામાર તૈયારીઓ : દિલ્હી પંજાબના મુખ્યપ્રધાન સૌરાષ્ટ્રમાં કરશે રાજકીય સફર

By

Published : Oct 28, 2022, 10:52 AM IST

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal visit Gujarat) અને પંજાબના ભગવત માન ગુજરાત પ્રવાસે આવવાના છે. ચૂંટણી લક્ષી આગમનને લઈને ગુજરાતમાં (Aam Aadmi Party in Dhoraji) વિવિધ જગ્યાએ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. (dhoraji sabha CM Arvind Kejriwal)

તડામાર તૈયારીઓ : દિલ્હી પંજાબના મુખ્યપ્રધાનો સૌરાષ્ટ્રમાં મારશે આટાંફેરા
તડામાર તૈયારીઓ : દિલ્હી પંજાબના મુખ્યપ્રધાનો સૌરાષ્ટ્રમાં મારશે આટાંફેરા

રાજકોટ આગામી તારીખ 30 ઓકટોબરના રોજ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ધોરાજીની (Bhagwant Mann visit Gujarat) મુલાકાતે આવી રહ્યા છે. જ્યાં સભાને સંબોધશે તેવી વિગતો સામે આવી છે. જેને લઈને રાજકોટના ધોરાજી ખાતે કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. (AAP program in Dhoraji)

દિલ્હી પંજાબના મુખ્યપ્રધાનો સૌરાષ્ટ્રમાં મારશે આટાંફેરા

પ્રથમ વખત ધટના ધોરાજીના ઇતિહાસની અંદર કદાચ પ્રથમ વખત ઘટના બનશે કે જેમાં કોઈ બે રાજ્યના મુખ્યપ્રધાનઓ એક જ શહેરની અંદર પધારી રહ્યા હોય અને સભા સંબોધશે. તો બીજી તરફ ધોરાજી ખાતે યોજાનાર (Aam Aadmi Party in Gujarat) કાર્યક્રમને લઈને જિલ્લા ભરના કાર્યકર્તાઓ અને આગેવાનો કાર્યક્રમની તૈયારીઓ માટેની જોરશોરથી તૈયારીઓ કરતા પણ નજરે પડી રહ્યા છે.(Aam Aadmi Party in Dhoraji)

વિવિધ જગ્યા પર સભા ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા સમયથી ગુજરાત પ્રવાસે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રવાસે (Arvind Kejriwal visit Gujarat) આવી રહ્યા છે, ત્યારે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને મુખ્યપ્રધાન ભગવંત માન તારીખ 28થી લઈને 30 સુધી ગુજરાતની છ અલગ-અલગ જગ્યાઓ પર સભાઓ સંબોધવાના છે. જેમાં પંચમહાલ, પાટણ, નવસારી, નર્મદા, અમરેલી અને રાજકોટ જિલ્લા વિસ્તારની અંદર સભા સંબોધવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. (dhoraji sabha CM Arvind Kejriwal)

નવી જાહેરાતને લઈને અંદાજો જનાના હોસ્પિટલના ગ્રાઉન્ડ ખાતે આગામી 30 ઓક્ટોબરના રોજ યોજાના સભા અને કાર્યક્રમ અંગે ધોરાજી ઉપલેટા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ સખિયાએ જણાવ્યું હતું કે, આગામી કાર્યક્રમને લઈને તળાવમાં તૈયારીઓ શરૂ છે. આ કાર્યક્રમની અંદર બહોળી સંખ્યામાં લોકો પણ ઊંઘી પડશે તેવું જણાવ્યું છે. આ સાથે વધુમાં તેમને જણાવ્યું હતું કે જે રીતે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગેરંટીઓ આપી રહ્યા છે. તેમની ઉપર કામ કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં જ્યારે ધોરાજી ખાતે સભા સંબોધ છે ક્યારે પણ કાંઈક નવી જાહેરાત લઈને આવશે તેવું જણાવ્યું હતું. (Arvind Kejriwal Bhagwant Mann Gujarat)

ABOUT THE AUTHOR

...view details