ETV Bharat / state

કેજરીવાલના નિવેદન બાદ સન્યાસીઓએ કહ્યું, રાજકીય પક્ષોએ આવા નિવેદનોથી બચવું જોઈએ

author img

By

Published : Oct 27, 2022, 2:59 PM IST

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના ભારતીય (Junagadh Sadhus Statement) ચલણ પર નિવદેનને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. આ નિવેદનને લઈને જૂનાગઢના સન્યાસીઓએ કહ્યું કે રાજકીય પક્ષોએ આ પ્રકારના નિવેદનો આપવાથી બચવું જોઈએ. (Arvind Kejriwal Indian Currency Statement)

કેજરીવાલના નિવેદન બાદ સન્યાસીઓએ કહ્યું, રાજકીય પક્ષોએ આવા નિવેદનોથી બચવું જોઈએ
કેજરીવાલના નિવેદન બાદ સન્યાસીઓએ કહ્યું, રાજકીય પક્ષોએ આવા નિવેદનોથી બચવું જોઈએ

જૂનાગઢ ગઈકાલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા ભારતીય ચલણ પર (Junagadh Sadhus Statement) મહાત્મા ગાંધીની સાથે લક્ષ્મીજી અને ગણપતિને ફોટો રાખવાની વાતને લઈને નિવેદન આપ્યું હતું. જેને નાગા સન્યાસીઓ વખોડી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ પ્રકારના નિવેદનોથી તમામ રાજકીય પક્ષોએ બચવું જોઈએ. સનાતન ધર્મના દેવી-દેવતાઓનું માન અને સન્માન તમામ રાજકીય પક્ષોએ જાળવવું જોઈએ, ત્યારે આ પ્રકારના વાહિયાત નિવેદનો કરીને હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કોઈપણ રાજકીય પક્ષો ન કરે તેવું કહ્યું હતું.(Arvind Kejriwal Currency Statement)

કેજરીવાલના નિવેદન સન્યાસીઓએ નકાર્યુ

કેજરીવાલના નિવેદનને લઈને સંન્યાસીઓમાં રોષ ઈન્ડોનેશિયાના ચલણ પર હિન્દુ દેવી-દેવતાઓના ફોટાને (arvind kejriwal currency notes) સંદર્ભ લઈને આ પ્રકારે અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું હતું. જેને લઈને નાગાસન્યાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જુનાગઢ આવેલા નાગા સન્યાસીઓએ ભારતીય ચલણ પર હિન્દુ દેવી-દેવતાઓના ફોટોને લઈને આકરું વલણ અખત્યાર કર્યું છે. તમામ રાજકીય પક્ષોએ આ પ્રકારે અને ખાસ કરીને ચૂંટણીના સમયમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન થાય તે પ્રકારે નિવેદનો આપવાથી બચવું જોઈએ. તેવો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો. (Arvind Kejriwal Indian Currency Statement)

મહાકાલના નાગા સન્યાસીએ કેજરીવાલના નિવેદનને વખોડ્યું અરવિંદ કેજરીવાલે જે પ્રકારે ગઈકાલે ભારતીય ચલણ પર (arvind kejriwal gujarat) હિન્દુ દેવી દેવતાના ફોટા મુકવાની વાત રજૂ કરી હતી. જેને લઈને ETV Bharat ભવનાથમાં આવેલા નાગા સન્યાસીઓને સમગ્ર મામલાને લઈને તેઓનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ઉજ્જૈનથી આવેલા નાગા સન્યાસી ઓમકાર પૂરીએ કેજરીવાલના આ નિવેદન પર જણાવ્યું કે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન રાજકીય પક્ષો ન કરે તેવી સંન્યાસીની ભાષામાં વાત કરી હતી. ગુજરાતમાં હાલ ચૂંટણીનો સમય છે, ત્યારે આ પ્રકારના (Junagadh Sadhus Statement)નિવેદનોથી તમામ રાજકીય પક્ષોએ બચવું જોઈએ તેવો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે. (Arvind Kejriwal statement on currency)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.