- વહેલી સવારમાં ચણા લઈને ખરીદ કેન્દ્ર પર આવેલ ખેડૂતોની કતારો લાગી
- યોગ્ય વ્યવસ્થા નહીં થવાથી કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી
- અધિકારીઓ એ ભૂલ સ્વીકારી કોન્ટ્રાક્ટરને આપશે નોટિસ
પોરબંદર: 1 એપ્રિલથી ચણાના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. પોરબંદરના કુતિયાણા તાલુકામાં પણ ચણાના ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર પર ખરીદી કરવાનું શરૂ કરાયું છે. ત્યારે રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં વારો ન આવતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. મજુરોની અછત હોવાના કારણે વ્યવસ્થાતંત્ર ખોરંભાઇ જતું હોવાનું અધિકારીઓએ સ્વીકાર્યું હતું. ત્યારે યોગ્ય વ્યવસ્થા નહીં થવાથી કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
બપોર સુધીમાં માત્ર 6 ખેડૂતોના ચણા જોખવામાં આવ્યા
પોરબંદરના કુતિયાણામાં ખરીદ કેન્દ્ર પર વહેલી સવારથી જ ખેડૂતો પોતાના ચણા લાવીને ટેકાના ભાવે વેચવા આવ્યા હતા, પરંતુ ખરીદ કેન્દ્ર પર એક જ વજન કાંટો હોવાને કારણે ખેડૂતોની ચણા ખરીદીમાં વ્યવસ્થા ખોરંભાઇ હતી. આ અંગે ખરીદ કેન્દ્રના અધિકારી માવદીયા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, ચણાના ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રક્રિયામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય, પરંતુ કોન્ટ્રાકટરના 4 મજુરો આવ્યા ન હોવાથી આ અવ્યવસ્થા સર્જાઈ છે.