ગુજરાત

gujarat

ચોમાસાના પ્રથમ વરસાદ સાથે વીજળી પડતાં એક આશાસ્પદ કિશોરનું મૃત્યુ

By

Published : Jun 15, 2022, 3:29 PM IST

પાટણના વાતાવરણ પલટાને કારણે(Climate change in Patan) આકાશી વીજળી પડતા શહેરના હાંસાપુર વિસ્તારમાં પિતાની નજર સામે કિશોરની કરપીણ હત્યા. આ મેઘરાજાની એન્ટ્રી થતા ઘણા વીજળીને(Light Thundering Patan) કારણે મૃત્યુ થયાના કિસ્સાઓ સામે આવ્યા છે.

ચોમાસાના પ્રથમ વરસાદ સાથે વીજળી પડતાં એક આશાસ્પદ કિશોરનું મૃત્યુ
ચોમાસાના પ્રથમ વરસાદ સાથે વીજળી પડતાં એક આશાસ્પદ કિશોરનું મૃત્યુ

પાટણ: શહેર સહિત જિલ્લામાં બપોરે એકાએક વાતાવરણમાં(Monsoon Season 2022) પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે આકાશી વીજળી પડતાં(Teenager Died in lightning strike in Patan) પાટણના હાંસાપુર વિસ્તારમાં(Hansapur area of Patan) પિતાની નજર સામે કિશોરનું મૃત્યુ થયું હતું. કિશોરના મૃત્યુને લઈને પરિવારજનોમાં ભારે રોકકળ મચી હતી. તે વિસ્તારમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.

આ પણ વાંચો:Teenager killed in lightning strike in Patan : વીજળી પ઼ડતાં જિલ્લામાં નોંધાયું આ બીજું મોત, શું ઘટના બની જૂઓ

છેલ્લા ૪ દિવસમાં વીજળી પડવાથી મોતની બીજી ઘટના - સમગ્ર રાજ્યમાં ચોમાસાએ દસ્તક દીધી છે. ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં પડી રહેલા વરસાદ સાથે આજે(બુધવારે) બપોર બાદ પાટણ શહેર સહિત જિલ્લામાં પણ વાતાવરણ પલટો આવ્યો હતો. અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે મેઘરાજાનું આગમન(Weather Condition in Gujarat ) થયું હતું. ચોમાસાના પ્રથમ વરસાદ તોફાની શરૂઆત થઇ હોય તેમ વીજળીના તેજ લિસોટા અને કડાકા સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. આ સમયે પાટણના હાંસાપુર પાસે દિયાના હાઉસની બાજુમાં આવેલા ખેતરમાં પિતા-પુત્ર બાજરી વાઢવાનું કામ કરતા હતા. તે દરમિયાન આકાશમાંથી તેજ લિસોટા સાથે 17 વર્ષીય અમરસંગ ઝાલા ઉપર વીજળી પડતાં તે જમીન ઉપર પછડાયો હતો. ત્યારે તેની બાજુમાં જ ઉભેલા તેના પિતા ઝાલા વિનુ સિંહ આ દ્રશ્ય જોઈ બેભાન થયા હતા. ખેતરમાં રહેલા પરિવારજનો આ ઘટના જોઈ ડઘાઇ ગયા હતા. તાત્કાલિક પિતા અને પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પુત્રને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં ભારે ગમગીની સાથે રોકકળ મચી હતી.

આ પણ વાંચો:ઝારખંડના ગિરિડીહમાં વીજળી પડવાથી 3 લોકોના મોત

વહીવટી તંત્રના અધિકારીઓ દોડી આવ્યા -પાટણ શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદ સાથે વીજળી પડતાં એક આશાસ્પદ કિશોરનું મૃત્યુ નિપજ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ તાલુકાના દુનાવાડા ગામે પણ વીજળી પડતા એક મહિલાનું મૃત્યુ થયું હતું. આમ પાટણમાં ચોમાસાની શરૂઆતમાં જ વીજળી પડવાથી બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પ્રાથમિક તપાસમાં મૃત્યુ વીજળી પડવાથી જ થયું હોવાની પુષ્ટિ કરી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details