પાટણઃઆરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં પાટણના એપીએમસી હોલ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણીના(Celebration of Good Governance Week in Patan) ભાગરૂપે સમરસ ગ્રામ પંચાયતોને અનુદાન સહિતની સહાયનું(Grants to Samaras Gram Panchayats ) વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા સરકારની કોરોના ગાઈડ લાઈનો સરેઆમ ભંગ થયો હતો તો આરોગ્યપ્રધાને પણ વધતા જતા કોરોના કેસને લઈને મેળાવડા અને જાહેર કાર્યક્રમો ઓછા કરવા ઉપર ભાર મૂક્યો હતો.
સુશાસન સપ્તાહની ઉજવણી કાર્યક્રમ
પાટણ એપીએમસી હોલ ખાતે યોજાયેલ સુશાસન સપ્તાહની ઉજવણી કાર્યક્રમમાં આરોગ્યપ્રધાને જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેરને પગલે સાવચેતી રાખવા સૌને અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે રસીકરણના અમોધ શસ્ત્ર સાથે માસ્કનું અભેદ્ય કવચ અતિ આવશ્યક છે. કોરોના ગાઈડલાઈનના પાલનથી આપણે સુરક્ષિત રહી ત્રીજી લહેરનો સામનો કરી શકીશું.ઋષિકેશ પટેલના હસ્તે પાંચ સમરસ ગ્રામ પંચાયતોને કુલ 32.75 લાખના અનુદાનનો ચેક, પાંચ પાણી સમિતિઓને રૂ.18,03 લાખના અનુદાનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.