ગુજરાત

gujarat

Hindu New Year 2080 : નવા વર્ષે નર્મદાના પોઈચા સ્વામિનારાયણ મંદિરે ભક્તોની ભીડ

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2023, 3:04 PM IST

નર્મદા કિનારે આવેલા પોઇચા સ્વામિનારાયણ મંદિરે હિન્દુ નવું વર્ષ 2080 પ્રારંભે દર્શન કરવા હરિભક્તો ઉમટી રહ્યાં છે. સંસ્થાની સ્થાપનાને દશ વર્ષ પૂર્ણ થતાં દશાબ્દિ મહોત્સવની ઉજવણી પણ આજથી એટલે કે નવા વર્ષથી કરવામાં આવી રહી છે.

Hindu New Year 2080 : નવા વર્ષે નર્મદાના પોઈચા સ્વામિનારાયણ મંદિરે ભક્તોની ભીડ
Hindu New Year 2080 : નવા વર્ષે નર્મદાના પોઈચા સ્વામિનારાયણ મંદિરે ભક્તોની ભીડ

દશાબ્દિ મહોત્સવની ઉજવણી શરુ

નર્મદા : પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા નર્મદા જિલ્લામા નર્મદા કિનારો એક અનોખું સુંદર અને પ્રવાસીએાનુ આકર્ષણ છે. ત્યારે આ આકર્ષણમાં નર્મદા તટે પોઇચા ગામે એક એાર સોનેરી પંખ સમાન નીલકંઠવર્ણી ધામ આવેલું છે. જે 105 એકરમાં પથરાયેલ આ ધાર્મિક સ્થળ પ્રવાસીએામાં અનેરું આકર્ષણ ઊભું કરી રહ્યું છે અને હાલ દિવાળીનું મિની વેકેશન હોવાથી અને આજે હિન્દુ નવું વર્ષ 2080માં ભક્તોનું ઘોડાપુર અહીં ઉમટી રહ્યું છે. સાથે આ સ્વામિનારાયણ મંદિરના 10 વર્ષ પૂર્ણ થતાં દશાબ્દિ મહોત્સવની ઉજવણી પણ આજથી એટલે કે નવા વર્ષની કરવામાં આવી રહી છે.

તળાવની ફરતે મંદિરનો દેખાવ : જેના દર્શન માત્રથી પવિત્ર થઈ જવાય છે એવી સલીલા મા નર્મદાના તટે અહીં 9 વર્ષથી ઇજનેરી કળાના કોંશલ્ય સમા 105 એકરમાં પથરાયેલું નીલકંઠ વર્ણી ધામ બન્યું છે. ભારતમાં દિલ્હી અને ગાંધીનગરમાં બનાવવામાં આવેલ અક્ષરધામ મંદિર કરતા કાંઇક અલગ જ પોઇચા ખાતે બનાવવામા આવેલ આ નીલકંઠવર્ણી ધામ તળાવની ફરતે બનાવવામા આવેલ હોય તેમ પ્રથમ વખત બનાવવામા આવેલુ છે.

આજ તળાવના પાણી વડે જ આ મંદિરમાં સ્થાપિત તમામ દેવી દેવતાએા પર જળાભિષેક થાય છે. અહીં ભગવાન સ્વામિનારાયણનુ યુવા સ્વરૂપ નીલકંઠ વર્ણી, રાધા-કૃષ્ણ ,લક્ષ્મીનારાયણ,ગણપતિ જી, હનુમાનજી, શિવજી અને 24 શાલીગ્રામની વિધિવત પ્રતિષ્ઠા કરવામા આવી હતી.આ ધાર્મિક સ્થાન માત્ર ધાર્મિક સ્થાન જ ન બની રહે અને બાળકો અને મોટેરાએાને પણ હરવા ફરવાનું ગમે તે માટે અહીં બાળકો માટે અલગ પાર્ક અને યુવાનો માટે ટ્રેકિંગ કરી શકાય તે માટેની પણ વ્યવસ્થા છે....મંગળસ્વરૂપ સ્વામી ( સહસંચાલક, નીલકંઠવર્ણી ધામ પોઇચા )

ભક્તોની ભીડ : માત્ર હરવાફરવા આવતા પ્રવાસીઓ અહીં આવે તો પણ પ્રફુલ મને પરત ફરે તેવું વાતાવરણ અહીં બન્યુ છે. સવાર અને સાંજની આરતી સમયે તો અહીંનું વાતાવરણ આધ્યાત્મિક બની જાય છે. હાલ દિવાળીનું વેકેશન પણ ચાલુ છે અને આજે બેસતું વર્ષ એટલે લોકો પહેલાં નવા વર્ષમાં દેવદર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છેં. આજે આ પોઈચા સ્વામિનારાયણ મંદિર દિવાળી અને નવા વર્ષમાં એક દિવસમાં 1 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવ્યા છે. જોકે અહીં આવતા પ્રવાસીઓમાં મંદિરમાં પ્રવેશતા જ એક અલગ અનુભૂતિ થાય છે, જેને કારણે મંદિરમાં જ્યાં જુવો ત્યાં ભક્તોની ભીડ જોવા મળે છે.

  1. Diwali 2023: મુખ્યુપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી, જનતાને પાઠવી શુભકામના
  2. Gujarat Government: ધક્કામુક્કીથી થતી દુર્ઘટનાઓ ટાળવા સરકારે 8 યાત્રાધામ માટે એડવાઇઝરી આપી, સીસીટીવી સર્વેલન્સ માટે શું કહ્યું જૂઓ
  3. Diwali 2023: નૂતન વર્ષાભિનંદન, જુનાગઢવાસીઓએ ભવનાથ મહાદેવના દર્શન કરીને નવા વર્ષની કરી શરૂઆત

ABOUT THE AUTHOR

...view details