- મહેસાણા જિલ્લામાં સતત ત્રિજા દિવસે વાદળ છાયું વાતાવરણ
- વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ અને વાવઝોડાની અસર વર્તાઈ
- વાવઝોડું અને વરસાદની અસર થી જિલમાં કોઈ નુકસાની સામે આવી નથી
- જિલ્લામાં બેચરાજી, સતલાસણા, કડી, જોટાણા પંથકમાં વરસાદ
મહેસાણા જિલ્લામાં ત્રીજા દિવસે સતત વાદળછાયું વાતાવરણ, વાવાઝોડાની આંશિક અસર વર્તાઈ
મહેસાણા જિલ્લામાં ત્રીજા દિવસે સતત વાદળછાયું વાતાવરણ રહ્યું છે. જેમાં ગત 24 કલાકમાં 6 તાલુકાનો મળી કુલ 43mm વરસાદ નોંધાયો છે. કડીમાં 8 mm, સતલાસણામાં 12 mm, જોટાણામાં 14 mm, બેચરાજીમાં 6 mm વડનગરમાં 2 mm અને મહેસાણામાં 1 mm વરસાદ નોંધાયો છે.
મહેસાણાઃ તૌકતે વાવાઝોડાની અસરને પગલે રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે મહેસાણા જિલમાં પણ આ વાવાઝોડાની આંશિક અસર વર્તાતી હોય તેમ છેલ્લા 3 દિવસથી જિલ્લા પંથકમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાથે વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે. બદલાયેલા વાતાવરણ વચ્ચે જિલ્લાના 6 તાલુકામાં મળી કુલ 43 mm જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે અત્યાર સુધી કોઈ નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે વાવાઝોડા મામલે એલર્ટ રહ્યું છે.