ગુજરાત

gujarat

કચ્છના સોલારપાર્કની જમીન ફાળવણીના મુદે વિરોધ, ભૂજમાં કોંગ્રેસ આગેવાનોએ ઉચ્ચારી લડતની ચીમકી

By

Published : Dec 10, 2020, 10:02 PM IST

કચ્છના ખાવડા નજીક આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સોલાર એનર્જી પાર્કના શિલાન્યાસ માટે આગામી દિવસોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ આવી રહ્યા છે. આ જગ્યાએ ખાનગી ગ્રુપ અદાણીને જમીન ફાળવામાં આવતા વિરોધ થયો છે. રાજય સરકાર દ્વારા સુરક્ષા નિયમો નેવે મૂકીને 47 હજાર હેકટર જમીન 20 વર્ષની લીઝ પર આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સોલાર એનર્જી જમીન ફાળવામાં આવતા સરહદની સુરક્ષા નુકશાન થઈ શકે છે. તેમ જણાવીને ગુરુવારે કોંગ્રેસના પુર્વ પ્રદેશ મહામંત્રી અને આગેવાન આદમચાકીએ ભૂજમાં પત્રકાર પરીષદ બોલાવીને વિવિધ માંગણીઓ મુકી હતી.સરહદ પર ખાનગી ઉઘોગ, સુરક્ષાને ખતરો

કચ્છના સોલારપાર્કની જમીન ફાળવણીના મુદે વિરોધ, ભૂજમાં કોંગ્રેસ આગેવાનોએ ઉચ્ચારી લડતની ચીમકી
કચ્છના સોલારપાર્કની જમીન ફાળવણીના મુદે વિરોધ, ભૂજમાં કોંગ્રેસ આગેવાનોએ ઉચ્ચારી લડતની ચીમકી

  • કચ્છના સોલાર એનર્જી પાર્કનો વિરોધ
  • પીએમ મોદી કરવાના છે શિલાન્યાસ
  • જમીન ફાળવણીમાં ગેરરીતી અને સુરક્ષાનો મુદ્દો

કચ્છઃ જિલ્લાના ખાવડા નજીક આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સોલાર એનર્જી પાર્કના શિલાન્યાસ માટે આગામી દિવસોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ આવી રહ્યા છે. આ જગ્યાએ ખાનગી ગ્રુપ અદાણીને જમીન ફાળવામાં આવતા વિરોધ થયો છે. રાજય સરકાર દ્વારા સુરક્ષા નિયમો નેવે મૂકીને 47 હજાર હેકટર જમીન 20 વર્ષની લીઝ પર આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સોલાર એનર્જી જમીન ફાળવામાં આવતા સરહદની સુરક્ષા નુકશાન થઈ શકે છે. તેમ જણાવીને ગુરુવારે કોંગ્રેસના પુર્વ પ્રદેશ મહામંત્રી અને આગેવાન આદમ ચાકીએ ભૂજમાં પત્રકાર પરીષદ બોલાવીને વિવિધ માંગણીઓ મુકી હતી.

કચ્છના સોલારપાર્કની જમીન ફાળવણીના મુદે વિરોધ, ભૂજમાં કોંગ્રેસ આગેવાનોએ ઉચ્ચારી લડતની ચીમકી
સરહદ પર ખાનગી ઉઘોગ, સુરક્ષાને ખતરોઆ પત્રકાર પરીષદમાં આદમ ચાકી, ડો. રમેશ ગરવા, રશીદ સમા, ઘનશ્યામસિહં ભાટી, હનિફ ચાકી અને ઈમરાન મેમણએ જણાવ્યુ હતું કે, કચ્છના ખાવડા સ્થિત ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સોલાર એનર્જી પાર્ક માટે હજારો એકર જમીન ફાળવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સરહદ નજીક નિયમોને નેવે મૂકીને ઉધોગોને જમીન ફાળવામાં આવી છે. સરહદ નજીક માત્ર અઢી થી દસ કિલો મીટર વિસ્તારના અંતરે હજારો એકર જમીન ફાળવામાં આવતા દેશની સુરક્ષા અને સલામતીનો પ્રશ્ન ઉભો થયો છે તેમ જણાવી વિરોધ નોંધાવ્યો હતો.

કાયદાકીય લડતની તૈયારીઓ શરુ

કોંગ્રેસ નેતા આદમ ચાકીએ ખાવડા નજીક સોલાર પ્રોજેકટ જમીન ફાળવામાં લઈને સવાલો ઉઠાવ્યા છે. આ સાથે જ સરકાર પાસે ત્રણ માંગ કરી છે. આદમ ચાકીનું કહેવું છે કે, ખાવડા સ્થિત સોલાર પ્રોજેકટમાં કચ્છ અને રાજ્યના લોકોને રોજગારી આપવામાં આવે, સાથે જ દેશની આંતરરાષ્ટ્રીય સરહદ પર કાર્યરત થનારી સોલાર પાર્ક નિર્માણ બાદ દેશની સલામતી અને સુરક્ષા મુદ્દે વિશેષ ધ્યાન આપવામાં આવે તેમજ સોલાર એનર્જી પાર્ક શરૂ થાય ત્યારે કચ્છમાં વસવાટ કરતા લોકોને 50 % ભાવે વીજળી આપવાની માંગ કરી છે. આ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ 80 કીમી વિસ્તાર ઉદ્યોગો માટે જમીન આપી શકાય નહીં. સરકાર દ્વારા નિયમો નેવે મૂકીને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સોલાર પ્રોજેકટ માટે જમીન ફાળવામાં આવી છે. આગામી દિવસોમાં તેમણે કોર્ટમાં જવાની તેયારી બતાવી છે.

ABOUT THE AUTHOR

...view details