- સંભવિત વાવાઝોડાને પગલે માંગરોળ બંદર પર લગાવવામાં આવ્યું ત્રણ નંબરનું સિગ્નલ
- મધદરિયે માછીમારી કરી રહેલી તમામ બોટો ને માંગરોળ બંદર પર પરત ફરવા આપવામાં આવ્યો આદેશ
- આજે મોટાભાગની બોટ માંગરોળ બંદર પર પરત ફરે તેવી શક્યતા
જૂનાગઢ: અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલા શાહિન વાવાઝોડાને પગલે જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ સાવચેતીના ભાગરૂપે લગાવી દેવામાં આવ્યું છે અને આગામી 48 કલાક સુધી કોઈપણ વ્યક્તિએ દરિયો નહીં ખેડવાની સલાહ બંદર વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે મધ દરિયામાં માછીમારી કરી રહેલી તમામ બોટો ના ટંડેલ અને તેના ખલાસીઓને વાયરલેસ મારફત મેસેજ મોકલી આપવામાં આવ્યો છે અને સંભવત આજ સવાર સુધીમાં મોટાભાગની બોટો મધદરીએ માછીમારી કરી રહી છે તે માંગરોળ બંદર પર પરત ફરી શકે છે.
આ પણ વાંચો :રાજ્યમાં ભારે વરસાદ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજીને વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી