ગુજરાત

gujarat

Vijay Rupani visits Ambaji Temple: અંબાજીમાં વિજય રૂપાણી, ગાયિકા અનુરાધા પોડવાલ સહિતના મહાનુભાવોએ કર્યા દર્શન

By

Published : Apr 4, 2022, 12:30 PM IST

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે (સોમવારે) સવારે શક્તિપીઠ અંબાજીની મુલાકાતે (Vijay Rupani visits Ambaji Temple) પહોંચ્યા હતા. અહીં તેમણે અંબાજી માતાના દર્શન કર્યા હતા. સાથે જ તેઓ મંગળા આરતીમાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો.

Vijay Rupani visits Ambaji Temple: અંબાજીમાં વિજય રૂપાણી, ગાયિકા અનુરાધા પોડવાલ સહિતના મહાનુભાવોએ કર્યા દર્શન
Vijay Rupani visits Ambaji Temple: અંબાજીમાં વિજય રૂપાણી, ગાયિકા અનુરાધા પોડવાલ સહિતના મહાનુભાવોએ કર્યા દર્શન

અંબાજીઃ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે (સોમવારે) સવારે ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસે શક્તિપીઠ અંબાજીમાં માતાજીના (Vijay Rupani visits Ambaji Temple) દર્શન કર્યા હતા. મંદિર ટ્રસ્ટે કુમકુમ તિલકથી વિજય રૂપાણીનું સ્વાગત કર્યું હતું. વિજય રૂપાણીની સાથે તેમના ધર્મપત્ની અંજલિ રૂપાણી (Vijay Rupani visits Ambaji Temple), પ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પોડવાલ (Singer Anuradha Podwale performed Ambaji Mata Darshan), ઊર્જા પ્રધાન મુકેશ પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન મુખ્યપ્રધાને અંબાજી મંદિરમાં મંગળા આરતીની સાથે દર્શનનો લાભ લીધો હતો.

વિજય રૂપાણીએ ગુજરાત માટે કરી પ્રાર્થના -

આ પણ વાંચો-Sara ali Khan Dwarka Visit: 'ચકાચક ગર્લ' સારા અલી ખાને ભગવાન દ્વારકાધીશના કર્યા દર્શન

મહારાજે વિજય રૂપાણીને અર્પણ કરી ભેટ -અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને માતાજીની પ્રતિમા સ્મૃતિ ચિહ્ન સ્વરૂપે ભેટ અર્પણ (Vijay Rupani visits Ambaji Temple) કરી હતી. સાથે જ વિજય રૂપાણીએ માતાજીની ગાદી ઉપર મુખ્ય પૂજારી પાસે આશીર્વાદ લઈ રક્ષાપોટલી બંધાવી હતી.

આ પણ વાંચો-અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સ્વામિનારાયણ મંદિરમાં કર્યા દર્શન

કોરોનાના કારણે 2 વર્ષ પછી ભક્તોને દર્શનનો મળ્યો લાભ -કોરોના કાળમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન છેલ્લા 2 વર્ષથી અંબાજી મંદિરમાં ઘટ્ટ સ્થાપન કરાતું હતુ, પરંતુ ભક્તોને માતાજીના દર્શનનો લાભ મળતો નહતો. તેને લઈ વિજય રૂપાણીએ (Vijay Rupani visits Ambaji Temple) જણાવ્યું હતું કે, 2 ચૈત્રી નવરાત્રી બાદ ભક્તોને આ વખતની ચૈત્રી નવરાત્રીએ દર્શનનો લાભ મળ્યો છે. ત્યારે તેમણે અહીં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ તેમણે ગુજરાતની સુખ સમૃદ્ધિ માટેની પ્રાર્થના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details