ETV Bharat / city

રાજકોટમાં યોજાયું હિન્દુ ધર્મ સંમેલન, પાટીલ અને પૂર્વ સીએમ એક સ્ટેજ પર

author img

By

Published : Mar 13, 2022, 9:27 PM IST

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આજે વિશાળ હિન્દુ ધર્મ સંમેલન (Hindu Dharma Sammelan held in Rajkot) યોજાયું હતું. જેમાં વિવિધ હિન્દુ સમાજના સંતો-મહંતો અને હિન્દુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે આ હિન્દુ ધર્મ સંમેલનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ (CR Patil and Rupani on one stage) રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટમાં યોજાયું હિન્દુ ધર્મ સંમેલન, પાટીલ અને પૂર્વ સીએમ એક સ્ટેજ પર
રાજકોટમાં યોજાયું હિન્દુ ધર્મ સંમેલન, પાટીલ અને પૂર્વ સીએમ એક સ્ટેજ પર

રાજકોટ: રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના (Hindu Dharma Sammelan) પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ, રાજકોટ શહેર ભાજપમાં આંતરિક જૂથવાદ હોવાનું સામે આવ્યું હતું. જોકે ત્યાર પછી રૂપાણી અને પાટીલ એક સાથે રાજકોટમાં (Rupani and Patil together in Rajkot) એક પણ કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળ્યા નહોતા, પરંતુ આજે રેસકોર્સ ખાતે યોજાયેલા હિન્દુ સંમેલનમાં (Hindu Dharma Sammelan held in Rajkot) રૂપાણી અને સી.આર.પાટીલ એક સાથે એક જ સ્ટેજ પર જોવા (CR Patil and Rupani on one stage) મળ્યા હતા. જેને લઈને રાજકારણમાં ઝબરો ગરમાવો આવ્યો હતો. પાટીલ અને રૂપાણી સ્ટેજ ઉપર વાતો કરતા પણ નજરે પડ્યા હતા, જેને લઇને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

આ પણ વાંચો: PM Modi In Khel Mahakumbh 2022: PM મોદીએ કહ્યું આગામી ઓલિમ્પિકના ખેલાડીઓ ખેલ મહાકુંભમાંથી જ નીકળશે

પાટીલનો આજે 67મો જન્મદિવસ: ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનો આજે 67મો જન્મ દિવસ (67th Birthday of CR Patil) છે, ત્યારે રાજકોટમાં સી આર પાટીલનું હિંદુ ધર્મ સંમેલન કાર્યક્રમમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે પાટીલનું વિવિધ 67 જેટલી હિન્દુ સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું હતું. આ સાથે જ પાટીલે 67 જેટલી દીકરીઓને અલગ-અલગ કીટનું વિતરણ કર્યું હતું.

આ પણ વાંચો: AAP In Gujarat: ગુજરાતમાં BJPના કાંગરા ખેરવવા કઇ રણનીતિ અપનાવશે AAP? ગોપાલ ઇટાલિયા સાથે રૂબરૂ મુલાકાત

સાધુ-સંતોની માંગણીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો: પોતાના સંબોધનમાં પાટીલે તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા બજેટમાં ગૌશાળા માટે નાણાંની ફાળવણી કરી છે તે અંગે જણાવ્યું હતું કે, સાધુ-સંતોની માંગણીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ આગામી દિવસોમાં સાધુ-સંતોની જે પણ માગણી હશે, તે ભાજપ સરકાર પૂર્ણ કરશે તેવું પણ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.