ગુજરાત

gujarat

અધિકારી મેહરબાન તો ભ્રષ્ટાચારી પહેલવાન, આદસંગ ગામે લાંચિયાઓને લીલા લહેર

By

Published : Dec 24, 2022, 6:53 PM IST

અધિકારી મેહરબાન તો ભ્રષ્ટાચારી પહેલવાન, આદસંગ ગામે લાંચિયાઓને લીલા લહેર
અધિકારી મેહરબાન તો ભ્રષ્ટાચારી પહેલવાન, આદસંગ ગામે લાંચિયાઓને લીલા લહેર

અમરેલીના આદસંગ ગામમાં વેરહાઉસનું (Aadsang Corruption in warehouse operations)કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને એન્જિનિયર્સની મિલીભગત જોવા મળતાની સાથે સરપંચે ખેલ ઉઘાડો પાડ્યો હતો.અને લેખિતમાં મુખ્યમંત્રી (corruption in Addasang village)સુધી રજૂઆત કરવામાં આવી છે.

અધિકારી મેહરબાન તો ભ્રષ્ટાચારી પહેલવાન, આદસંગ ગામે લાંચિયાઓને લીલા લહેર

અમરેલી સાવરકુંડલામાં આવેલું ગામ આદસંગ. આ ગામના પાદરમાં 1 કરોડ 65 લાખના ખર્ચેએ (Aadsangat Warehouse cost of 1 crore 65 lakhs) વેરહાઉસનું કામગીરી ચાલી રહી છે. પાંચ જેટલા વેરહાઉસમાં ઈંટોની જગ્યાએ બેલાઓ મૂકી ભ્રષ્ટાચારકરવામાં આવી રહ્યો છે. સિમેન્ટ પણ હલકી કક્ષાની વાપરવામાં આવી રહી છે. અને રેતીની જગ્યાએ કાળી કપચીનો પાવડર વાપરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ (Aadsang Corruption in warehouse operations) સ્થાનિકો કરી રહ્યા છે.

વિકાસનું આંધણકાળી કપચીના પાવડરનો ભૂકો રેતીની જગ્યાએ વાપરીને કરોડો રૂપિયાના ખર્ચેસરકારના વિકાસનું આંધણ આદસંગ ગામે કોન્ટ્રાક્ટરો કરી રહ્યા હોવાનું પ્રતીતિ જોવા મળી રહી છે. પાંચ જેટલા વેરહાઉસમાં ઈંટોની જગ્યાએ બેલાઓ મૂકી ભ્રષ્ટાચાર (Aadsang Corruption in warehouse operations) કરવામાં આવી રહ્યો છે જેના કારણે વિકાસના નામે આંધણ મૂકાઇ રહ્યા હોય તેવું કહેવુ ખોટું નથી.

આ પણ વાંચો- ગાઝીપુર લેન્ડફિલ સાઇટ કચરો નહીં, ભ્રષ્ટાચારનો પહાડ છે: કેજરીવાલ

વેરહાઉસની હાઈટછે જે ઈટો પર ઉભી કરવાની હોય (corruption in Addasang village) તેની જગ્યાએ મસ મોટા બેલાઓ વાપરીને પ્લાન એસ્ટીમેટના નીતિ નિયમોને ધોળીને પી જતા કોન્ટ્રાક્ટરો બેલા વાપરી રહ્યા છે. ત્યારે રેતીની જગ્યાએ કાળી કપચીનો પાવડરનો ઉપયોગ કરીને વ્યાપક પણે ભ્રષ્ટાચાર થતો હોવાનું સ્થાનિકો અને સરપંચોએ લેખિતમાં મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. વેરહાઉસમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ કોન્ટ્રાક્ટરો કરી રહ્યા હોવાનો લેખિત પત્ર પાઠવવા છતાં પણ હજી લોલમલોલ કામગીરી ચાલુ હોવાનું સ્થાનિકો અને સરપંચો રોષ ઠાલવી રહ્યા છે.

કોન્ટ્રાકટરો અને અધિકારીઓની મિલીભગતલેખિતમાં રજૂઆતો (corruption in Addasang village)કરવા છતાં તંત્ર દ્વારા કડક પગલાં કેમ લેવામાં આવતા નથી તો શું કોન્ટ્રાકટરો અને અધિકારીઓની આ કરોડાના ખર્ચે વેર હાઉસના નિર્માણની કામગીરીમાં મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા આવા કોન્ટ્રાકટરો અને અધિકારીઓ સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details